SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધસમ્યગદર્શન અને શ્રીમને આત્મસાક્ષાત્કાર ૩૩૧ આત્મા જે પદાર્થને તીર્થકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યકત્વ છે, એવો શ્રી તીર્થકરનો અભિપ્રાય છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૩૧. આ આત્મસાક્ષાત્કારરૂપ પરમાર્થ સમ્યગ્દર્શનની પ્રાપ્તિને પરમ હર્ષ ઉલ્લાસ દર્શાવતાં શ્રીમદ્દ પરમાર્થ સદ્ સૌભાગ્યને ૧૯૪૭ના કા. શુદ ૧૩ના દિને લખેલા પત્રમાં (સં. ૧૬૮) લખે છે – એનું સ્વપ્ન જે દર્શન પામે છે, તેનું મન ન ચઢે બીજે ભામે રે, થાયે કૃષ્ણને લેશ પ્રસંગ છે, તેને ન ગમે સંસારનો સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદને નાથ વિહારી રે, ઓધા જીવનદેરી અમારી રે.” આ વચનો કઈ ઓર અપૂર્વ પરમાર્થ અર્થમાં ટાંકી અત્ર દિવ્યદ્રષ્ટા શ્રીમદે પિતાના અદૂભુત પરમ આત્મદર્શનરૂપ આત્મસાક્ષાત્કારનું દર્શન કરાવ્યું છે. આ આત્માનું –પરમાત્માનું જે સ્વપ્નમાં પણ દર્શન-સાક્ષાત્કાર થાય છે તે દર્શન કરનારનું મન બીજા “ભામે” –બીજી ભ્રમણામાં ન ચડે; આત્મસ્વરૂપના અનુપમ સૌંદર્યથી જે ચિત્તવૃત્તિઓરૂપ ગોપીઓને પિતાના સ્વરૂપસૌંદર્ય ભણી આવી રાખે છે એવા શુદ્ધઆત્મારૂપ કૃષ્ણનો જેને લેશ પણ પ્રસંગ થાય, તેને સંસારને સંગ ન ગમે. આ તે સ્વપ્નની વાત થઈ, શ્રીમદૂને તે પૂર્ણ આત્મજાગ્રત અવસ્થામાં શુદ્ધ આત્માનું દર્શન” – સાક્ષાત્કાર થયેલ છે, એટલે એમનું મન બીજા “ભામે’–આત્મસ્વરૂપને છોડી બીજી કેઈ બ્રમણામાં જાય જ કેમ? એમને તે આત્માના દર્શનનો એટલે બધો આત્યંતિક પ્રસંગ પ્રાપ્ત છે, એમનું મન તો અનુપમ આત્મસ્વરૂપના સૌંદર્ય માં એટલું બધું આકર્ષિત થયું છે કે એમને સ્વપ્નાંતરે પણ સમયમાત્ર પણ સંસારને લેશ પણ સંગ ન જ ગમે; “અરમાડમેદiseતુ –આ આત્મા જ એક અમને હો-એ જ ગમે. આ જ આત્માનુભવસિદ્ધ આત્મસાક્ષાત્કારદશા વર્ણવતાં શ્રીમદ્. મુક્તાનંદનું વચન ટાંકી પિતાના મુતઆનંદનો પરમ હર્ષોલ્લાસ દર્શાવે છે –“હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે’–હસતાં રમતાં પ્રગટ-પ્રત્યક્ષપણે “હરિને –કમને હરનારા શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ હરિને–પરમાત્માને દેખું છું, ત્યારે “મારૂં જીવ્યું સફળ તવ લેખું રે–મહારૂં જીવ્યું હું સફળ લેખું છું. “મુક્તાનંદને નાથ વિહારી રે એ જ “ઓધા જીવનદોરી અમારી _હે ઓધા–ઓધવજી! (“ઊર્ધ્વગામી આત્મા !) અમારી જીવનદોરી છે. આવા મુક્ત આનંદનો-જીવન્મુક્ત દશાના આનંદને નાથ- સ્વામી જે આત્મા આત્મસ્વરૂપમાં વિહરનારો વિહારી' થયે છે, તે જ અમારી “જીવનદારી છે–તે જ અમારું પરમાર્થ જીવનસૂત્ર ચલાવનારી દેરી છે, પરમાર્થના જીવનરૂપ આ જીવનદોરીને લઈને જ અમે પર માર્થ જીવનથી જીવીએ છીએ. આમ આત્મસાક્ષાત્કારરૂપ સાક્ષાત્ આત્મદર્શનનું દર્શન કરાવતાં આત્મદ્રષ્ટા શ્રીમદે, જ્યાં કેવલ એક શુદ્ધ આત્માનું નિરંતર અનુભવ થાય છે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy