SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ અધ્યાત્મ રાશક એવી પોતાની સ્વરૂપ પ્રતિષ્ઠાનરૂપ કેવલ એક શુદ્ધ આત્મઅનુભવદશાનું જીવન્મુક્તદશાનું માર્મિક દર્શન પણ કરાવી દીધું છે. અને આમ હસતાં રમતાં પ્રગટ પ્રત્યક્ષપણે જૂદે ને જૂદો મુક્ત આત્મા અનુભવવારૂપ જીવન્મુક્તદશાનો મુક્ત આનંદ જેના પ્રભાવે પ્રાપ્ત થયે, તે સર્વોત્કૃષ્ટ સુખના હેતભૂત આ પરમાર્થ સમ્યગદર્શનની મુક્તક કે સ્તુતિ કરતાં પરમ ભાવિતાત્મા શ્રીમદ્ પોતાની હાથોંધમાં (૨-૨૦) પોતાના પરમ ઉપકારી સમ્યગદર્શનને પરમ ભાવપૂર્ણ નમસ્કાર કરે છે– હે સર્વોત્કૃષ્ટ સુખના હેતભૂત સભ્યન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત છે તારા આશ્રય વિના અનંત અનંત દુ:ખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં સચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્ય, કૃતકૃત્ય થવાને માર્ગ ગ્રહણ થયે.” આ સમ્યગદર્શનનો મહિમાતિશય સર્વ જ્ઞાનીઓએ મુક્તકઠે ગાય છે શ્રી ભદ્ર બાહુસ્વામી ૪ઉવસગ્ગહર તેત્રમાં કળે છે–“હે ભગવાન ! ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળું સમ્યકત્વ પ્રાપ્ત થયે જીવે અવિદનથી-નિર્વિધનપણે અજરામર સ્થાનને પામે છે.” કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી કહે છે –“સખ્યત્વસહિત દરિદ્ર પણું સારું, પણ સમ્યક્ત્વરહિત ચક્રવર્તિપણું પણ નહિં સારૂં.” શ્રી સમંતભદ્રાચાર્યજી રત્નકરંડ* શ્રાવકાચારમાં કહે છે-“ત્રણે કાળમાં ત્રણે લોકમાં સમ્યક્ત્વ સમું પ્રાણીઓનું કંઈ શ્રેય નથી અને મિથ્યાત્વસમું કંઈ ઐય નથી. શ્રી ગુણભદ્રસ્વામી આત્માનુ શાસનમાં કહે છે–પુરુષના શમ-બોધ-વૃત્ત-તપનું ગૌરવ પાષાણ જેવું છે, તે જ સમ્યક્ત્વ –સંયુક્ત હેતું મહામણિની જેમ પૂજ્ય હોય છે. શ્રી અમૃતચંદ્રાચાર્યજી પુરુષાર્થ – સિદ્ધિઉપાયમાંxx કહે છે–તે મેક્ષમાર્ગમાં આદિમાં સત્વ આખલ–સર્વયત્નથી સભ્યપણે આશ્રય કરવા યોગ્ય છે, કારણ કે તે સતે જ જ્ઞાન અને ચારિત્ર હોય છે.” અર્થાત્ સભ્યત્વ વિનાના જ્ઞાન–ચારિત્ર મિથ્યા છે, એકડા વિનાના મીંડા જેવા શૂન્ય છે. કારણ કે દર્શન સમ્યક્ હોય તો જ્ઞાન-ચારિત્ર સમ્યક્ થાય છે, દર્શન મિથ્યા હોય તો જ્ઞાન–ચારિત્ર મિથ્યા થાય છે. એટલે અનંતકાળથી જે સાન-ચારિત્ર મિથ્યા થાય છે તેને સમ્યફમાં પલટાવી નાંખી એક સમયમાત્રમાં બીજી જાતિના-જાત્યંતર કરી દીએ છે, વટલાવી નાખે છે, તે સમશનનો અજબ કીમિત છે! અને એટલે જ "तुह सम्मत्ते लद्धे चिंतामणिकप्पपायवब्भहिए । પાવતિ વિઘi ની અસર1મરે ટાળે છે’ –ઉવસગરહરસ્તાવ “न सम्यक्त्वसमं किंचिन्त्रैकाल्ये त्रिजगत्यपि । શ્રેયો જોય% મિથ્યાત્વસ નાથત્ત–મૃતામ છે’ –રત્નકડશ્રાવકાચાર " शमबोधवृत्ततपसां पाषाणस्येव गौरव पुसः ।। જૂથે મામલેરિય તહેવ સરવઈયુમ –આત્માનુશાસન, ૧૫ तत्रादौ सम्यकस्व समुपायश्रयणीयमखिलयत्नेन । મિક્ષાત થતા મત ફા જાત્રે ૨ ”—-પુરુષાર્થસિદ્ધિઉપાય ૨૧
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy