SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ અધ્યાત્મ રાજચંદ્ર અંતરંગ માહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય દનજ્ઞાન; સભ્યયાતિમય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સત્સ્વરૂપદર્શિતાની બલિહારી છે! જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કખા, વિતિગિચ્છા, મૂષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે.' સ આ પછી ૧૯૪૬ના પાષમાં સમ્યક્ત્વની કેાઈ એર ચઢતી ધારાનેા પ્રગટ અનુભવ થતાં શ્રીમદ્ સમ્યક્ત્વ સાથે વાર્તાલાપ કરતાં સમ્યકત્વને ઉદ્દેશીને કહે છે... આવા પ્રકારે તારા સમાગમ મને શા માટે થયા? કાં તારૂં' ગુપ્ત રહેવું થયું હતું ? ગુણાંશ તે સમ્યક્ત્વ (અ. ૯૫) આથી પણ વધતી દશાને અનુભવ થતાં—આ જ વના વૈશાખ માસમાં સુદ ૪ના દિને-પરમ ઉછરંગમાં આવી ગયેલા શ્રીમદ્નના પરમ ધન્ય ઉર્દૂગાર નિકળી પડયા છે કે—આજ મને ઉછર્ગ અનેાપમ, જન્મ કૃતારથ જોગ જણાયા; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક એ ક્રમ સ્પષ્ટ સુમા ગણાયા, અને તે માગ કયા ? તે દર્શાવતા— મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સદેહ; હાતા સેા તે જલ ગયા, ભિન્ન યિા નિજ દેહ’—એ આત્મસામ ચાગની દશાના સૂચક પરમ અદ્ભુત ઉદ્ગારા પણ તે જ દિને નિકળ્યા છે. અને પરમા સખા સૌભાગ્યના સમાગમ પછી તેા શ્રીમની પરમા અનુભવની આત્માનુભવની અખંડ ધારા કેવી વેગવતી પ્રવર્તી તે તે આપણે હમણાં જ-છેલ્લા ત્રણચાર પ્રકરણેામાં જોયું જ છે. આ દનવિશુદ્ધિના માગે` અખંડ પ્રયાણ કરતાં શ્રીમદ્નનું સમ્યગ્દન ઉત્તરાત્તર વિશુદ્ધિ પામતું પરમ શુદ્ધભાવને પ્રાપ્ત થયું. અને આમ અત્યારે—૧૯૪૭માં શ્રીમને દનમેાહના સથા વિગમ થવાથી —કણિકા પણ નહિં રહેવાથી ‘શુદ્ધ’—નિરાવરણ સમકિતની પ્રાપ્તિ થઇ છે; દશ નમેાહના આત્યંતિક અભાવથી પ્રગટતું પરમશુદ્ધ સમ્યગ્દશ ન પ્રગટયું છે,પરમશુદ્ધભાવે જ્યાં અનુભવપ્રત્યક્ષપણે આત્મા પ્રત્યક્ષ સાક્ષાત્ પ્રગટ નિરંતર અનુભવાય છે એવું અખંડ આત્માનુભૂતિરૂપ પરમશુદ્ધદન પ્રકાશ્યું છે; પરમાÖસમકિત-નિશ્ચયસમકિત-નૈશ્ચયિક વેદ્યસ‘વેદ્યપદ અનુભવગેાચર થયું છે; આત્મસાક્ષાત્કાર થયા છે,—કેવળ એક શુદ્ધ આત્મા અનુભવપ્રત્યક્ષ થયા છે; શુદ્ઘનયથી એકત્વમાં નિયત એવા સ્વગુણુપર્યાયવ્યાપી પૂ જ્ઞાનધન આત્માનું દ્રવ્યાંતરોથી પૃથક્-ભિન્ન-વિવિક્ત દન એ જ (પરમાર્થી) સમ્યગ્દ”ન છે અને આ આત્મા પણ તેટલે જ સમ્યગ્દર્શનપ્રમાણુ જ છે, તેથી આ એક આત્મા જ અમને હે! !એવી જ્વે નિયતસ્ય યુદ્ધનયતો' એ સુપ્રસિદ્ધ સમયસારકળશમાં મહષિ અમૃતચંદ્રચાર્યજીએ સંગીત કરેલી કેવલ એક શુદ્ધ આત્માના અનુભવસાક્ષાત્કારરૂપ પરમ ધન્ય દશા શ્રીમને પ્રગટી છે. " एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः, पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यांतरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं, तन्मुक्त्वा नवतत्त्व संततिमिमामात्मायमेकोऽस्तु नः ॥ " —મહર્ષિ અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસારકળશ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy