________________
શુદ્ધસમ્યગ્દર્શન અને શ્રીમદને આત્મસાક્ષાત્કાર
૩૨૯ અનુભવગમ્ય વસ્તુઓ છે એમ “શ્રુત અનુભવ કરી બતાવ્યું છે,–મૃત જ્ઞાનની પરોક્ષ વાતને પ્રત્યક્ષ સાક્ષાત્ અનુભવ કરી દેખાડયો છે. અને પ્રત્યક્ષ અનુભવની ભૂમિકા તે પક્ષ શાસ્ત્ર કરતાં પણ પર છે—હતiતા , એટલે પ્રત્યક્ષ અનુભવપ્રયોગસિદ્ધ વાત તે પરોક્ષ વાત કરતાં પણ ઓર વિશેષ બળવાન ને ઓર વિશેષ પ્રમાણભૂત છે.
આમ શ્રીમદને ૧૯૪૭માં શુદ્ધસમ્યક્ત્વ પ્રગટયું, તે પૂર્વે પણ ક્ષોપશમ સમ્યકત્વ તે હતું જ ને તે ઉત્તરોત્તર વિશુિદ્ધ પામતું જતું હતું, એ–“ઓગણીસસેં ને એકતાળીશે આ અપૂર્વ અનુસાર રે”—એ મોક્ષમાળાના રચનાકાળથી તે આપણે પદે પદે સ્પષ્ટ વ્યક્તપણે જોઈ શકીએ છીએ. શ્રીમદ્દનું આ ક્ષયોપશમસમ્યકત્વ પણ એવી અસાધારણ અદ્દભુત અલૌકિક કેટિનું છે, કે તેવા સમ્યકત્વને પ્રાયે સ્વલ્પ અંશ પણ વર્તામાનમાં ભાગ્યે જ જોવામાં આવે. જેને વીતરાગદર્શનને હાડેહાડ રંગ લાગ્યો હતો અને મતદષ્ટિથી નહિં પણ સન્દષ્ટિથી રોમે રમે એ સદર્શનને જ અનન્ય નિશ્ચય વ્યાપ્યો હતો, એવા શ્રીમદને તે તત્ત્વદર્શનને નિશ્ચય કે અનન્ય છે, તે તો આંધળો પણ દેખી શકે અને બહેરો પણ સાંભળી શકે એવા બુલંદ નાદથી મોક્ષમાળામાં પદે પદે સ્પષ્ટ જણાઈ આવે છે. તેમજ–“શી એની શેલી! જ્યાં આત્માને વિકારમય થવાને અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજજવળ શુકલધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથનાં પવિત્ર વચનેની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહે!” (અં. પર)–એ શ્રીમદના આત્માને ઊંડાણમાંથી નિકળેલા અંતરોદુગાર શ્રીમદ્દના વીતરાગદર્શનના અખંડ નિશ્ચય-શ્રદ્ધાનની જીવતી જાગતી જ્વલંત સાક્ષી પૂરે છે. આ પરથી સમ્યગ્રદર્શનનું તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ- ‘તરવાર્થાનં સરનY'–શ્રીમમાં કેવી પરાકાષ્ટાને પામ્યું છે તે જોઈ શકાય છે; અને અત્રે સમશ્રેણી–નિગ્રંથશ્રેણી પ્રકરણમાં શ્રીમદને પ્રશમ ગુણ કે છે, સંગતિશય પ્રકરણમાં સંવેગ-નિર્વેદ ગુણ કેવા છે, આત્માનુભૂતિ પ્રકરણમાં શુદ્ધાત્માનુભૂતિ આસ્તિકા આદિ ગુણ કેવા છે, તે અમે સ્પષ્ટ વિવરી બતાવ્યું છે, એ પરથી શમ-સંવેગ-નિર્વેદ-આસ્તિક્ય–અનુકંપ આદિ સર્વ સમ્યકત્વ લક્ષણ અને શુદ્ધાત્માનુભૂતિ એ મુખ્ય અંતર્ગત લક્ષણ શ્રીમદ્દમાં કેવા પ્રકર્ષને પામ્યા છે તે પણ જોઈ શકાય છે, તેમજ “વીતરાગતા એ સમ્યગ્દર્શનનું મુખ્ય લક્ષણ છે” તે પણ શ્રીમદ્દમાં કેવી પરાકાષ્ઠાને પામ્યું છે, તે પણ જોઈ શકાય છે. આમ મતદાતીત શ્રીમદની આ સતસ્વનિશ્ચયરૂપ સમ્યકત્વધારા પદે પદે કેવી બળવત્તર બનતી જતી હતી તેનું દિગ્ગદર્શન અમે આગલા પ્રકરણમાં યથાપ્રસંગે કરાવ્યું જ છે, એટલે તેનું પિષ્ટપેષણ કરવાને અન્ન અવસર નથી. છતાં વચ્ચે વચ્ચે દર્શનવિશુદ્ધિના જે ધન્ય આવિષ્કાર (manifestations) થતા ગયા, તે તે પ્રસંગે શ્રીમદૂના અંતરાત્મામાંથી જે ધન્ય અંતરોદુગાર નિકળી પડથા, તેને પ્રાસંગિક નિર્દેશ કરવો અત્ર સપ્રસંગ છે. સં. ૧૯૪૬ના કાર્તક માસમાં સમ્યક્ત્વની કેઈ વિશિષ્ટ શ્રેણીને અનુભવઉલ્લાસમાં શ્રીમદને અંતરાત્મા બોલી ઊઠે છે –
તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્ણન છે, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુખ નથી, શંકાનું નિમિત્ત નથી, અ-૪૨