________________
૩૨૮
અધ્યાત્મ રાજચંદ્ર જે કે ઉપશમભાવને લઈ પુનઃ આવરણઉદયથી તે દશામાંથી પ્રમત્ત થઈ પતન અનુભવવું પડયું હતું, તોપણ વર્તમાનમાં કઈ વિશિષ્ટ અતીંદ્રિય જ્ઞાનના પ્રભાવે ભૂતકાળની તે અનુભૂત દશાનું સ્મરણ થતાં “મૂળ શુદ્ધ તે આત્મપદનું અતિશય સ્મરણ થયું. એટલે હવે પુનઃ પતન ન થાય એવી અખંડ એકધારાવાળી પરમશુદ્ધ દશા જ પ્રાપ્ત કરવી એ દઢ નિશ્ચય શ્રીમદ્દના દિવ્ય આત્મામાં પ્રકાશ્યો; પૂર્વે પ્રકૃતિઓ ઉપશમ-ક્ષપશમભાવમાં હતી એટલે પતન થયું, પણ હવે પુનઃ તેમ ન થાય એ અર્થે તે તે કર્મપ્રકૃતિઓને ક્ષય કરવા ભણી શ્રીમદે પોતાનું આત્મવીર્ય સકુરાવ્યું અને તે અર્થે જ કેવલ એક શુદ્ધ આત્માના અનુભવરૂપ પરમાર્થ માં જ શ્રીમદે પિતાનું સમસ્ત આત્મબળ કેન્દ્રિત (centralised, concentrated) કર્યું અને આમ સ્થિર એક શુદ્ધ આત્મતત્વમાં વત્તતાં શ્રીમદ્ આત્મશક્તિ કુરાવી પરમશુદ્ધ સમ્યક્ત્વભાવને પામ્યા પણ ખરા.
આ સમ્યક્ત્વની અથવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ગ્રંથિભેદથી થાય છે, અર્થાત્ ગ્રંથિભેદનું ફળ આ સમ્યગ્દર્શન છે. આ ગ્રંથિભેદ અંગે ખીમજીભાઈ પરના પત્રમાં (અં. ૪૭) શ્રીમદ્ સ્વયં લખે છે –“અનંતાનુબંધી કોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ ચાર તથા મિથ્યાત્વમોહિની, મિશ્રમોહિની સમ્યક્ત્વહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યફદષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વને ઉદય થાય છે. તે પ્રકૃતિની ગ્રંથિ છેદથી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત કે સુલભ છે. તત્ત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાને ફરી ફરીને બંધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિઃસંદેહ છે.” અપૂર્વકરણરૂપ આત્મપુરુષાર્થથી આ ગ્રંથિભેદ થાય છે. શ્રીમદે અપૂર્વ આત્મપુરુષાર્થ રૂપ અનન્ય આત્મ પરાક્રમથી આ ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગનો ભેદ કર્યો. આ ગ્રંથિભેદ પિતાને થયો છે ને તેના સર્વ જ્ઞાનીઓ સાક્ષી છે એમ ડિડિમ નાદથી ઉદ્ઘેષતા અમૃતપત્રમાં (સં. ૧૭૦) શ્રીમદ્દ પિતાના હૃદયરૂપ પરમાર્થ સદ્ધ સૌભાગ્યને આ રહસ્યવાર્તા લખે છે– “આત્મા જ્ઞાન પામ્યા. એ તે નિઃસંશય છે; ગ્રંથિભેદ થયે એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે.” ઈ. શ્રીમદૂના આ અમર લેખરૂપ અમૃત (Immortal, nectarlike) વચને સ્પષ્ટ સૂચવે છે કે-આ ગ્રંથિભેદ બા. એમને અંતરાત્મા આત્મસાક્ષાત્કારની સાક્ષી પૂરે છે એટલું જ નહિ, પણ “સર્વ જ્ઞાનીઓએ પણ આ વાત સ્વીકારી છે’–સર્વ જ્ઞાનીઓ પણ આ વસ્તુના સાક્ષી છે, એમ પિતે કઈ અતિક્રિય જ્ઞાનવિશેષથી જાણ્યું છે અને એટલે જ તેમણે આમ બેધડકપણે દઢ આત્મવિશ્વાસથી–પરમ આત્મનિશ્ચયથી ઉદ્દધ્યું છે. આ આત્માનુભવસિદ્ધ હકીકત (fact, reality) પરથી શ્રીમદે શાસ્ત્રોની વાત સાચી છે એમ શાસ્ત્રોક્ત હકીકતોને સત્યકાર કરાવ્યા છે, ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણી–ગ્રંથિભેદ આદિ કાંઈ કલ્પિત વાતો કે માત્ર શાસ્ત્રીય ચર્ચાનો વિષય નથી, પણ ખરેખરી પરમાર્થ સત સત્ય