SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલજ્ઞાનનો અપૂર્વ આત્મપુરુષાર્થ ૩૨૫ શ્રીમદ કથે છે—હું ધારું છું કે કેવલજ્ઞાન સુધીની મહેનત અલેખે તે નહીં જાય”કેવલના બીજરૂપ આ બીજજ્ઞાનનું ફળ કેવલજ્ઞાન છે. તે જ પામવાને આ આત્માનો ઉદેશ છે, અને તે માટેનો જ આ આત્માનો આ આત્મપુરુષાર્થ છે, એટલે ઠેઠ કેવલજ્ઞાન પહેચવા સુધીની “મહેનત”—પરિશ્રમ “અલેખે તે નહીં જાય”—લેખામાં–ગણનામાં ન આવે એમ અલેખે-નકામે ફેગટ તો નહિં જાય, નિષ્ફળ તો નહિં જાય. ભલે કદાચ એમ કહેવામાં આવતું હોય કે આ કાળમાં કેવળજ્ઞાન ન હોય, પણ અમારે આત્મપુરુષાર્થ તે કેવળજ્ઞાન પામવા સુધીનો છે, અને તે માટે તેવો બળવાન ઉગ્ર પુરુષાર્થ અમે કરવા માગીએ છીએ અને કરીએ છીએ. ઘણ ઉંચા લક્ષ્યને જે તાકે છે તે કદાચ તેથી કંઈક નીચા-દોરાવાર નીચા લક્ષ્યને તો જરૂર વીંધશે. કદાચ તે ઈષ્ટ લક્ષ્યને સોએ સો ટકા ન પહોંચાયું, તે તેથી કંઈક નીચે–એછાવત્તા યાવતું ૯-૯ અંશે તે પહોંચી શકાશે, એટલે તે પુરુષાર્થ એલેખે તે નહિં જાય-નિષ્ફળ તે નહીં જાય. એટલે જ શ્રીમદ્દ અત્ર વ્યંગમાં લખે છે –મેલની આપણને કોઈ જરૂર નથી. કેવલ શુદ્ધ આત્માને અનુભવ જ્યાં થઈ રહ્યો છે ત્યાં જીવન્મુક્તદશા સાક્ષાત્ અનુભવાય છે, તો પછી મોક્ષની જરૂર શેની રહે ? જીવતાં છતાં જ મુક્તદશા અનુભવાઈ રહી છે, એટલે તે ધારો કે આ કાળમાં ન હોય તો પણ આપણને તેની જરૂર નથી. ત્યારે જરૂર શેની છે? “નિઃશંકપણની, નિર્ભયપણાની, નિમુંઝનપણાની અને નિઃસ્પૃહપણાની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે; અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે.”–વસ્તુતવરૂપ જે યથાસ્થિત સ્થિતિ છે તે બા. નિઃશંકપણું છે, એને લઈને મારૂં કંઈ પણ જવાનું નથી એમ નિર્ભયપણું છે, એને લઈને પરવસ્તુ મહારી છે એ મેહ થતો નથી એટલે પરવસ્તુમાં નહિં મુંઝાવારૂપ નિમ્ઝન પણું-નિર્મોહપણું–અમેહપણું છે, અને એને લઈને પરવસ્તુની પૃહા લેશ પણ નથી થતી એવું નિઃસ્પૃહપણું છે. આમ નિઃશંકપણું, નિર્ભયપણું, નિમુંઝનપણું અને નિઃસ્પૃહપણું ઘણે અંશે શ્રીમદને પ્રાપ્ત થયેલ છે અને પૂર્ણ અંશે કરુણાસાગર પરમાત્મા કૃપાથી પ્રાપ્ત કરાવશે એમ આશા રહે છે. આમ સમયસાર ગાથા ૨૨૮માં કહ્યું છે તેમ-સમદ્રષ્ટિ નિઃશંક હોય છે તેથી નિર્ભય હોય છે, કારણ કે સપ્તભયથી વિપ્રમુકના સર્વથા મુક્ત હોય છે તેથી તેઓ નિશ્ચય કરીને નિઃશંક હોય છે',-આવું પરમ નિ:શંકપણું, પરમ નિર્ભયપણું પરમ સમ્યગદૃષ્ટિ જ્ઞાનીશ્વર શ્રીમદને પ્રગટયું છે, “છતાં વળી એથી યે અલૌકિક દશાની ઈચ્છા રહે છે',–આ નિઃશંકપણું આદિ પૂર્ણાશે પ્રાપ્ત થાય એથી પણ અધિક–આગળ વધેલી અલૌકિક દશા પામવાની શ્રીમદ્ને ઈચ્છા રહે છે, “ત્યાં વિશેષ શું કહેવું?” "सम्मद्दिट्टी जीवा निस्संका होंति णिब्भया तेण ।। તત્તમવિમુI Hહ્મા તન્ના દુ જ છે –સમયસાર ગા. ૨૨૮ નિરા રાત હાઈ ર જ્ઞાનં રવા વિંતિકા”_શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસારકળશ આમ એક શુદ્ધ કેવલ જ્ઞાનમય આત્મતત્ત્વના પરમ નિશ્ચયને પામવાથી આવા પરમ નિઃશંક, પરમ નિર્ભય, પરમ નિર્મોહ, પરમ નિસ્પૃહ જ્ઞાનેશ્વર શ્રીમદ અત્ર
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy