________________
૩૨૬
અધ્યાત્મ રાજદ્ર
• અનહદ
પત્રના અંતે માર્મિકપણે લખે છે– અનહદ ધ્વનિમાં મણા નથી. પણ ગાડીઘેાડાની ઉપાધિ શ્રવણનું સુખ થાડુ' આપે છે. નિવૃત્તિ વિના અહીં ખીજું બધું ય લાગે છે.' અત્ર આત્મસમાધિમાં સ્થિત અમેહસ્વરૂપ શ્રીમદ્દે ઉપાધિના શાભાસ્થાનરૂપ મેાહમયી મુંબઇ માટે માર્મિક ટકાર કરતાં ઘણા ઊંડા ગંભીર ભાવ દર્શાવ્યા છે: ધ્વનિમાં–અંતમાં ઊઠતા અનાહત નાદમાં ‘મણા નથી ’-કાંઈ કસર નથી, અને અહીંમુંબઇમાં ‘અનહદ ધ્વનિમાં ’–અનહદ–દ વગરના અવાજ-ઘોંઘાટમાં માનથી ! ગાડીઘેાડાની ધમાલ છે, પણ ગાડીઘેાડાની ઉપાધિ શ્રવણનું સુખ થાડુ' આપે છે ! ’ · અનહદ’–અનાહત નાદ સંભળાતા હોય તે શ્રવણનું સુખ આપે, પણ આ ગાડીઘેાડાના ‘અનહુદ' નાદ શ્રવણનું સુખ થાડુ' જ આપે છે!–એમ વ્યંગમાં કહ્યું છે. અમારા જેવા ચેગીને તે અંતમાં ઊઠતેા ‘અનહદ’–અનાહત નાદ સાંભળવાનું પ્રિય હાય, એને બદલે અહીં-હારમાં મુંબઇમાં ‘અનહદ’-હદ વગરને ના-ઘાંઘાટ સાંભળવાનું મળે છે તે શ્રવણનું સુખ કયાંથી આપે ? · નિવૃત્તિ વિના અહીં બીજું બધું ય લાગે છે',–અત્ર પ્રવૃત્તિક્ષેત્રમાં પ્રવૃત્તિ પ્રવૃત્તિ ને પ્રવૃત્તિ જ છે!
ત્યારે આવા સ્થળમાં શું બેઠા રહ્યા છે ? અને બેઠા બેઠા શું કરે છે ? તે માટે પમ ઉદાસીન અવધૂત શ્રીમદ્ અત્ર પત્રમાં છેવટની માર્મિક પ`ક્તિ લખે છે ‘જગને, જગત્ની લીલાને બેઠા બેઠા મફતમાં જોઇએ છીએ.'—અમે અમારા સ્વરૂપના ઘરમાં બેઠા બેઠા આ જગત્ને-જગત્ની લીલાને ‘મફતમાં’–વગર પૈસે જોઈએ છીએ,-જગત્ના ભાવ ન સ્પશી` શકે એવા ઉદાસીન અલિપ્ત ભાવે અમે,-તટસ્થ નાટકપ્રેક્ષકની જેમ સાક્ષીભાવે,—આ જગત્નાટક દૃષ્ટા-જ્ઞાતારૂપે જોયા કરીએ છીએ. નાટકલીલા જોવા માટે તેા પૈસા ખર્ચવા પડે પણ આ જગન્નાટક તેા અમે સાક્ષીપણે વગર પૈસે- મફતમાં' જોઈએ છીએ અને નિજાન ંદમાં મગ્નપણે એક શુદ્ધ કેવલ જ્ઞાનમય આત્માને પરમાનંદ અનુભવીએ છીએ
બેસી સ્વરૂપના ઘરમાંહી, ચેાગી સાક્ષી ભાવે આંહિ;
પુટ્ટુગલજાલ તમાસો જીવે, લીલા લ્હેર મફત અનુભવે.—ચાગદૃષ્ટિકળશ ૧૩૦ (સ્વરચિતા)
પ્રકરણ ત્રેપનમુ
‘ઓગણીસસે ને સુડતાલીશે સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે’
શુદ્ધ સમ્યગ્દર્શન અને શ્રીમદ્ના આત્મસાક્ષાત્કાર ૮ ઓગણીસસે' ને સુડતાલીશે, સમકિત શુદ્ધ પ્રકાસ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે....ધન્ય રે દિવસ આ અહે!' —શ્રીમદ્ રાજચંદ્ર
આમ અપૂર્વ આત્મપુરુષાથ થી-અનન્ય સ ંવેગથી કેવલજ્ઞાન ભણી દોટ મૂકતા પરમ