SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ અધ્યાત્મ રાજચંદ્ર એટલે જ “પ્રભુપ્રતાપે” આવી વિચિત્રતાને લઈ શ્રીમદ્ પૂર્ણ પ્રેમથી વ્યંગમાં કહે છે–ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી! વિચિત્ર કરવું એ જ એની લીલા! ત્યાં અધિક શું કહેવું?” ભગવાન પરિપૂર્ણ “સર્વગુણસંપન્ન–સર્વગુણસંપત્તિથી યુક્ત કહેવાય છે, તે પણ એમાં પણ અપલક્ષણ” કંઈ ઓછાં નથી!—આ વ્યંગમાં–વકૅક્તિમાં ઉપાલંભરૂપે–ઓળંભારૂપે પરમપ્રેમથી કહ્યું છે. ભગવાન્ પરમાત્માને અનન્ય ભક્ત આ રાજચંદ્ર વર્તમાનમાં પૂર્ણ આત્મસમાધિદશામાં વત્તી રહ્યો છે, બાહ્યમાં લેશ પણ ઉપાધિ ન જોઈએ—ન સહન થઈ શકે એવી તેની સ્થિતિ છે–અંતર્દશા છે, છતાં આવા પિતાના અનન્ય ભક્તને ભગવાને પોતાનો પ્રતાપે આ ઉપાધિના “પ્રતાપ” મળે મૂક્યો છે, તે તેનું “અપલખણ નહિં તે બીજું શું! ખરી રીતે તે ભગવાને આ રાજચંદ્રને બાહ્ય ઉપાધિથી મુક્ત સ્થિતિમાં રાખવો જોઈતો હતો, તેને બદલે આમ ઉપાધિમાં રાખે એમ “વિલક્ષણતા” કરી–લક્ષણથી વિપરીતતા કરી એ જ એનું અપલક્ષણ! અને એ જ એની વિચિત્રતા! વિચિત્ર કરવું એ જ એની લીલા !” ખરી રીતે તે બધું પ્રારબ્ધદયાધીનપણે થાય છે, પણ તે સર્વ પરમાત્માના જ્ઞાનમાં જેમ છે તેમ પ્રતિભાસે છે, તેથી પ્રભુના જ્ઞાનમાં દીઠા પ્રમાણે સર્વ થાય છે, એટલે અત્ર આરોપિતભાવે કહ્યું છે કે “વિચિત્ર કરવું એ જ એની લીલા!” રાજચંદ્ર પરમાત્માના અંતને જાણે છે, ને પરમાત્મા રાજચંદ્રના અંતરને જાણે છે, એ અભેદભાવરૂપ અનન્ય નિરંતર પ્રેમ પરમાત્મા પ્રત્યે શ્રીમદુને વર્તે છે. આવા અનન્ય ભક્તને પણ ભગવાને આમ કર્યું, એ જ એના અપલક્ષણ! એ જ એની વિચિત્રતા ! એ જ એની વિચિત્ર લીલા ! એમ અત્રે શ્રીમદે પરમપ્રેમથી વ્યંગમાં ઉપાલંભરૂપે કહ્યું છે ! અને તેને ઊંડો મર્મ શ્રીમદના હૃદયને જાણનાર સૌભાગ્યભાઈ જેવો વિરલ પરમાર્થજ્ઞ સમજી શકે એમ છે એટલા માટે આ પરમાર્થ. સુહૃદ પ્રત્યે શ્રીમદે આમ લખ્યું છે. આટલી માર્મિક પલ્લવી લખી શ્રીમદ્દ લખે છે-“સર્વ સમર્થ પુરુ આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે.—કેવલજ્ઞાનના બીજરૂપ જે બીજજ્ઞાન-કેવલબીજ તમને પ્રાપ્ત છે, તે આત્મસામર્થ્ય સંપન્ન સર્વ સમર્થ પુરુષ ગાઈ ગયા છે. તે શુદ્ધ આત્મજ્ઞાનરૂપ તે બીજજ્ઞાન એવું અદ્ભુત છે, કે તેને મહામહિમા સર્વ સમર્થ જ્ઞાની પુરુષોએ સંગીત કર્યો છે,–“ગાવું” એ પરમ આત્મઉલ્લાસ વિના બને નહિં, એટલે “ગાયે છે” એટલે પરમ આત્મભાલ્લાસથી સંગીત કર્યો છે. આમ કહી શ્રીમદ્ પિતાની અનુભવદશા કથે છે—એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. આ કેવલબીજ-કેવલજ્ઞાનના બીજરૂપ જે બીજજ્ઞાન કહ્યું–શુદ્ધ આત્મજ્ઞાન કહ્યું તે જ્ઞાનની દિવસે ને દિવસે “આ” આત્માને–પ્રત્યક્ષ અનુભવાઈ રહેલા આ રાજચંદ્રના આત્માને વિશેષતા-અધિકતા થતી જાય છે, તે જ્ઞાન ઉત્તરોત્તર બળવત્તર બનતું જાય છે, સમયે સમયે પુષ્ટ થતું જાય છે. એટલે જ પિતાના આ આત્મપુરુષાર્થની પૂર્ણ સફળતાના દઢ આત્મવિશ્વાસથી પરમ આત્મપુસવાથી
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy