________________
કેવલજ્ઞાનને અપૂર્વ આત્મપુરુષાર્થ
૩ર૩ છે-“અધિક શું કહેવું? લખ્યું લખાય તેમ નથી, કચ્યું કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે. કાં તો શ્રેણીઓ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તો અવ્યક્તતા જ છે.'—જ્ઞાને– અનુભવજ્ઞાને કરી માત્ર ગમ્ય-જણાય તેવું છે, અથવા તે શ્રેણીઓ શ્રેણીઓ-કમે-કમેઅનુભવપરંપરાક્રમે સમજાય તેવું છે, બાકી તે “અવ્યક્તતા –અપ્રગટતા જ છે. છેવટ આવી આ નિઃસ્પૃહ દશાનું જ પિતાનું રટણ છે તે દર્શાવે છે— માટે જે નિસ્પૃહ દશાનું જ રટણ છે, તે મળે, આ કલિપત ભૂલી ગયે છૂટકે છે. -
જ્યાં એક આત્મા સિવાય અન્ય વસ્તુની સમયમાત્ર પણ પરમાણુમાત્ર પણ પૃહાકામના નથી એવી પરમ નિસ્પૃહ-નિષ્કામ દશાનું જ “રટણ છે-અજપાજાપ છે, તે મળ્ય-પ્રાપ્ત થયે, આ “કલ્પિત–આત્મા સિવાય બાકી બીજું બધું ય જે આત્માનું કલ્પેલું પરમાર્થ અસત્-અભૂતાઈ છે તે ભૂલી ગયે છૂટકો છે. મહર્ષિ કુંદકુંદાચાર્યજી ને અમૃતચંદ્રાચાર્યજીની શુદ્ધ આત્માનુભવદશાનું સ્મરણ કરાવે એવા આ વચન પરથી સાક્ષાત સમયસારભૂત શ્રીમદની આત્મદશા–આત્માનુભવદશા કેવી અદ્દભુત હશે ! તેને કંઈક ખ્યાલ આવે છે–ઝાંખી થાય છે. પત્રના અંતે શ્રીમદ્ પિોતાના પરમાર્થ સુહદુ સૌભાગ્યને લખે છે જ્યારે આગમન થશે ?”—જેનો પરમાનંદમય સત્સંગ શ્રીમદ્દ નિરંતર ઈચ્છે છે એવા સૌભાગ્યભાઈ પ્રત્યેનો શ્રીમદ્દ કે પરમાર્થ પ્રેમ અત્ર આમંત્રણમાં દશ્ય થાય છે !
આમ એક શુદ્ધ કેવલ જ્ઞાનમય આત્માના અનુભવનમાં જ પરમ પ્રીતિમાન શ્રીમદ કેવલજ્ઞાન ભણી દોટ મૂકવાના આત્મપુરુષાર્થમાં કેવા લીન થયા છે તેનું દર્શન કરાવતા, આ પછીના ૧૯૪૭ના કા. શુ. ૫ (જ્ઞાનપંચમી)ના દિને લખેલા પત્રમાં શ્રીમદ આ પરમાર્થ સખા સૌભાગ્યને લખે છે–પરમપૂજ્ય–કેવલબીજ સંપન્ન સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ',અત્રે પરમપૂજ્ય સૌભાગ્યને “કેવલબીજ સંપન્ન” અને “સર્વોત્તમ ઉપકારી” એ બે સૂચક વિશેષણથી બિરદાવતાં શ્રીમદે સ્પષ્ટ સૂચવ્યું છે કે સૌભાગ્ય કેવલજ્ઞાનના બીજને અથવા બીજજ્ઞાનનેબાધબીજને પામેલા છે, અને આ કેવલબીજની–બીજજ્ઞાનની વસ્તુનું ને પૂર્વાનુભૂત આત્મદશાનું એમના નિમિત્ત સ્મરણ થવાથી તેઓ પિતાના સર્વોત્તમ ઉપકારી છે. એટલે જ શ્રીમદ આગળ માર્મિકપણે લખે છે-“આપના પ્રતાપે આનંદવૃત્તિ છે. પ્રભુપ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે.”આપના નિમિત્ત થકી કેવલના બીજની ને આત્મદશાની સ્મૃતિ થઈ અને આત્માના પરમાનંદનો અનુભવ થઈ રહ્યો છે.-આ બધું આપના લીધે છે, આપ થકી છે, એટલે “આપના પ્રતાપે” આનંદવૃત્તિ છે–પરમાનંદ વર્તે છે. અંતરમાં આનંદવૃત્તિ છે, પણ મ્હારમાં ઉપાધિ છે અને તે પ્રભુઈશ્વર–પરમાત્મા થકી છે,–જેમ પ્રારબ્ધ પરમાત્માના જ્ઞાનમાં દષ્ટ છે તેમ-(આરોપિતભાવે) તેની ઈચ્છા થકી છે, એટલે “પ્રભુપ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે.”-પ્રભુપ્રતાપે–પ્રભુના પ્રભાવે અથવા “પ્રતાપે–પ્રકૃષ્ટ તાપે (!) આ “પ્રતાપ”—પ્રકૃણ તાપ ઉપજાવનારી ઉપાધિમાં વર્તાવારૂપ વૃત્તિ છે! આમ અંતરમાં આનંદવૃત્તિ અને બિહારમાં તાપરૂપ ઉપાધિવૃત્તિએ વિચિત્રતા છે!