SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ અધ્યાત્મ રાજય કે છે. નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે, અધિક શું કહેવું? હાડ, માંસ અને તેની મજ્જાને એક જ એ જરંગનુ રંગન છે. એક રામ પણ એના જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કઇ જોવું ગમતું, નથી કાંઇ સૂવું ગમતું, નથી કાંઇ સાંભળવું ગમતું; નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈસ્પ`વું ગમતું, નથી ખેલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી એસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું, કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યુ રહેવું ગમતું, નથી અસંગ ગમતા કે નથી સંગ ગમતા, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી, એમ છે; તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઇ જ ઊગતું જણાતું નથી. તે હા તે પણ ભલે અને ન હેા તાપણ ભલે, એ કંઈ દુ:ખનાં કારણ નથી. દુ:ખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જો સમ છે તેા સર્વ સુખ જ છે, એ વૃત્તિને લીધે સમાધિ રહે છે, તથાપિ મહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઇ શકતી, દેહભાવ દેખાડવે પાલવતા નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલાક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવુ ? કયા પર્વતની ગુફામાં જવુ અને અલાપ થઈ જવું, એ જ રસાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શાક તા નથી, તથાપિ સહન કરવા જીવ ઇચ્છતા નથી. પરમાનંદ ત્યાગી અને ઇચ્છે પણ કેમ ?? કેવી અલૌકિક પરમ અદ્ભુત આત્મદશાની વાત છે! સ્ફટિક જેવા સ્વચ્છ હૃદયે દર્શાવેલું કેવું અદ્દભુત હૃદયદર્શન છે! માહ્ય વ્યવહાર મધ્યે પણ કેવી અનન્ય પરમા લગની છે ! ઉપાધિ મધ્યે પણ કેવી અપૂર્વ સમાધિ છે! શ્રીમદ્નના આ અમર લેખમાં (Immortal document) મહામુનીશ્વરાને પણ દુર્લભ એવી આત્મારામી દશાનું કેવુ' તાદૃશ્ય આલેખન છે! ઘેાડા વખત નહિ પણ રાત્રી અને દિવસ’—રાત ને દિવસ, ખીજા કોઈપણ નહિં પણ ‘એક’–અદ્વિતીય પરમાર્થવિષયનું જ મનન’—— મનથી ચિંતન શ્રીમને રહે છે. સૂતાં બેસતાં જાગતાં ઊઠતાં ખાતાં પીતાં હાલતાં ચાલતાં—સવ પ્રવૃત્તિ કરતાં શ્રીમદ્નને આ એક પરમાનું જ મનન અંતમાં ચાલ્યા કરે છે. ‘નિશદિન સૂતાં જાગતાં હૈડાથી ન થાયે દૂર રે' એવી એક પરમા નિષ્ઠ દશા શ્રીમની વર્તે છે. રાત્રી અને દિવસ શ્રીમને મનન શેનું છે? પરમાર્થનું. આહાર કચેર્યા છે? પરમાર્થના. નિદ્રા કઈ છે? પરમાની. શયન કયાં છે ? પરમાથ માં. સ્વપ્ન શેનું છે? પરમાનું. ભય શેના છે? પરમાનેા. લેગ શેના છે? પરમાને. પરિ ગ્રહ શેના છે ? પરમાર્થના. ચલન કયાં છે ? પરમા માં. આસન કયાં છે? પરમા આમ પરમા એ જ શ્રીમદ્ભુના આહાર, નિદ્રા, શયન, સ્વપ્ન, ભય, ભાગ, પરિગ્રહ, ચલન, આસન છે. ધ્યાન સુધારસ પાન મગનતા, ભેાજન સ્વગુણુ ઉપલેાગ રે; રીઝ એકત્વતા તાનમે વાજે, વાજિંત્ર સન્મુખ યાગ ૨,’—એવી મહામુનિ દેવચંદ્રજીએ ગાયેલી ધન્ય એક પરમા ધ્યાનદશા શ્રીમદ્ન પ્રગટી છે. 6 માં. આવું દિન રાત રહે તદ ધ્યાન મહીં' એવું દિવસ ને રાત મનન કેને રહે? કયારે રહે? જેને આ પરમાથ વિષયને જ પરમ રસ પરમ લાગ્યું હેાય તેને; આ જ એક પરમા રસ જ સરસ છે. બાકી બીજા બધા રસ વરસ છે એમ જ્યારે જાણ્યુ હૈાય ત્યારે.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy