SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૫ શ્રીમદ્દનું રાત્રી અને દિવસ એક પરમાર્થ મનન બીજાઓને તો પ્રાયે પરમાર્થને લક્ષ પણ હોતો નથી, કેઈને કદાચ લક્ષ હોય તો તે પરમાર્થનું મનન યથાશક્તિ થોડો ઘણો વખત ને તે પણ બીજા અનેક વિષયોની સાથે સાથે આનુષંગિકપણે માત્ર ઉપાટિયા સામાન્ય ભાવથી રહે છે ત્યારે શ્રીમદને તે “રાત્રી ને દિવસ” તે “એક માત્ર પરમાર્થવિષયનું જ અનન્ય મનન અંતટિયા અસામાન્ય ભાવથી રહે છે,–તે તેમને પરમાર્થવિષય પરને આત્યંતિક પરમ પ્રેમ પ્રકાશે છે. પરમાર્થવિષયમાં આવી અથાક પ્રવૃત્તિ આવા પરમ આત્યંતિક પ્રેમરસ વિના કેમ બને? વ્યવહારવિષયમાં જે દિવસ ને રાત અથાગ પ્રવૃત્તિ કરે છે, તેનું રહસ્યકારણ તેઓને તે તે નિજ નિજ પ્રવૃત્તિમાં રસ છે, રુચિ છે, વૃત્તિ છે તે છે, એટલે જ તે તે પ્રવૃત્તિમાં તેઓ સ્વરસથી આપોઆપ પ્રવર્તે છે; તે પછી પરમાર્થવિષયમાં જ જેને અનંતગુણવિશિષ્ટ પરમ પ્રેમરસ છે, રુચિ ને વૃત્તિ છે, એવા શ્રીમદ જેવા પરમ પરમાર્થસીઆ દિવસ ને રાત પરમાર્થમાં તેવી અથાગ પ્રવૃત્તિ કેમ ન કરે? તે પરમાર્થ પ્રવૃત્તિમાં અનંતગુણવિશિષ્ટ પ્રેમથી સ્વરસથી આપોઆપ કેમ ન પ્રવર્તે ? આ પરમાર્થ એટલે શું? પરમ અર્થ તે પરમાર્થ. આખા વિશ્વમાં જે કંઈ પરમ અર્થ–પદાર્થ હોય તો તે આત્મા છે, સમયસાર છે. સમયસાર ગાથા ૧૫૧ માં આ પરમાર્થના એકાWવાચક શબ્દની તુલના કરી છેઃ પરમાર્થ તે નિશ્ચય કરીને સમય, શુદ્ધ, કેવલી, મુનિ, જ્ઞાની છે તે સ્વભાવમાં સ્થિત મુનિઓ નિર્વાણને પામે છે. અર્થાત્ પરમાર્થ તે જ આત્મા છે, તે જ સમય છે, તે જ શુદ્ધ છે, તે જ કેવલી છે, તે જ મુનિ છે, તે જ જ્ઞાની છે, તે જ “સ્વની-જ્ઞાનની ભાવમાત્રતાથી સ્વભાવ છે, તે જ “સ્વતઃ ચિની ભવનમાત્રતાથી સદૂભાવ છે,-એમ એ આઠે શબ્દોને પરમાર્થ એક જ છે. આ પરમાર્થ જ્ઞાન એ જ મોક્ષહેતુ છે. એટલે જ સમયસાર ગાથા ૨૦૬ માં કહ્યું છે કે–આમાં–પરમાર્થરૂપ જ્ઞાનપદમાં નિત્ય રત , આમાં નિત્ય સંતુષ્ટ હે, આનાથી નિત્ય તૃપ્ત હે, તને ઉત્તમ સૌખ્ય થશે.” અર્થાત્ પરમાનંદ પામવાનો આ જ માર્ગ છે. એટલે જ્ઞાની નિત્ય એમાં જ રત હોય છે, એમાં જ સંતુષ્ટ હોય છે, અને એમાં જ તૃપ્ત હોય છે, એમાં જ એને પરમાનંદ અનુભવાય છે. અને શ્રીમદ્દ જેવા પરમાર્થ કરત પરમ જ્ઞાનીને તે કેવા આત્યંતિક રૂપમાં આ પરમજ્ઞાનદશા પ્રગટી છે, તે એમના આ સ્વયંભૂ ઉદ્ગાર જ સૂચવે છે. એટલે જ જેના મનન, આહાર, નિદ્રા, શયન, સ્વપ્ન, ભય, ભેગ, પરિગ્રહ, "परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी गाणी । તz fટ્ટા સાથે મુળ વંતિ ળિયા છે ” સમયસાર ગા. ૧૫૧ " एझि रदो णिच्चं संतुटो होहि णिश्चमेदसि । vળ ઢો િતત્તો રોઢ સુદ્ર ઉત્તમ કર્યું ” સમયસાર ગા. ૨૦૬ "यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः । આwજોવ ઉતસ્ય વાર્થ ન વિથ ” –ગીતા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy