________________
૩૦૨
અધ્યાત્મ રાજચંદ્ર રૂપ શુદ્ધ ચેતનરસ અનુભવાય તે જ સુધારસ. (આ અંગે વિશેષ વિવેચન આગળ પર યથાસ્થાને અલગ પ્રકરણમાં કરશું). સમયસારમાં સ્થળે સ્થળે અમૃતચંદ્રાચાર્યજીના કળશમાં આ અમૃતાનુભવનું વર્ણન કહ્યું છે તેમ–“સર્વતો વરસનિર્મમાā રેત સ્વયમ શનિદૈ –સર્વતઃ સ્વરસથી નિર્ભર ભાવવાળી સ્વને એકને હું અહીં ચેતું છું–અનુભવું છું. તેમજ–બનારસીદાસજીએ કહ્યું છે તેમ-શુદ્ધતા વિચારે ધ્યાને શુદ્ધતામેં કેલિ કરે, શુદ્ધતામેં થિર હૈ અમૃતધારા વરસે.–શુદ્ધતાને વિચાર કરે, શુદ્ધતાનું ધ્યાન કરે, શુદ્ધતામાં ક્રીડા-રમણતા કરે, શુદ્ધતામાં સ્થિર થઈને રહે, ત્યાં અમૃતધારા-શુદ્ધ આત્માનુભવની અમૃતધારા વરસે, ઈ. ભાવ અત્ર ચિંતવવા ચોગ્ય છે. એટલે અત્રે પ્રકરણમાં તો પરમાર્થ ભૂત બીજજ્ઞાનની અથવા બાધબીજની જે ગાથા આપવા સૌભાગ્યભાઈ આવ્યા હતા, તે ઘણું કરી સમયસારના પ્રથમ અંકના પૂર્વ રંગની આ છેલ્લી (૩૮મી) ગાથા સંભવે છે
'अहमिक्को खलुसुद्धो, दसणणाणमईओ सदारूवी ।
णवि अस्थि मज्झ किचिवि, अण्णं परमाणुमित्तंपि ॥' –હું એક નિશ્ચયે કરીને શુદ્ધ, દર્શનજ્ઞાનમય, સદા અરૂપી છું; અન્ય કંઈપણ પરમાણુમાત્ર પણ હારૂં છે નહિં,-એમ આત્મારામ મુનિને-જ્ઞાનીને કેવુંક સ્વરૂપસંચેતન -આત્માનુભવ થાય છે તેનું પરમ અદ્ભુત ભાવપૂર્ણ દર્શન કરાવતી આ ગાથા ખરેખર પરમાર્થ સમ્યકત્વના બીજરૂપ–અર્કરૂપ થઈ પડે એવી છે, એટલે તેને બોધબીજ ગાથા નામ આપવામાં આવે તે તે યથાર્થ જ છે. કારણ કે આ પ્રસ્તુત ગાથાઝ પરમાર્થ– અનુભવને માટે ખાસ ઉપયોગી છે, અને પરમાર્થ–પરમઅર્થ તે શુદ્ધ આત્મા–સમયસાર, તેને યોગ્ય અધિકારીને અમૃતાનુભવ કરાવવાને સમર્થ છે.
આ અનુમાન જે યથાર્થ હોય ને આશયાંતર ન સમજાયે હોય તો સૌભાગ્યભાઈના પિતાશ્રી લલ્લુભાઈ તે ગાથાને મર્મ સમજ્યા પછી હાલતાં ચાલતાં પિતાને સામાયિક છે એમ કહેતા તેને ખુલાસો અત્ર મળી જાય છે કે, કંઇ અંશે તે પરમાર્થ અનુભવ તેઓ કરતા હતા અને તેમને નિમિત્તે સૌભાગ્યભાઈ પણ આ પરમાર્થની સ્પષ્ટ અનુભવાશ પ્રતીતિને પામેલા હતા. એટલે જ આવા શ્રીમદ્દ જેવા પરમાર્થમાર્ગમાં ઘણું ઘણું આગળ વધી ગયેલા પરમાર્થગુરુને તેમણે આટલા જલદી પીછાણી લીધા અને તેમને પોતાના પરમાર્થ ગુરુ માન્ય કરી તેમનું નમ્ર દીન શિષ્યપણું સ્વીકાર્યું. શ્રીમદ્ ત્રેવીશ વર્ષના અને સૌભાગ્યભાઈ પચાસ વર્ષના ! ગુરુ-શિષ્યની કઈ અજબ જોડી ! શ્રીમમાં સૌભાગ્યભાઈને પરમાર્થગુરુના દર્શન થયા ને
ભાગ્યભાઈમાં શ્રીમને પોતાના એક પરમાર્થ સદ્-પરમાર્થ સત્સંગી પરમાર્થ સખાના દર્શન થયા. શ્રીમને પરમાર્થ સંવેદનનું દર્શન કરાવવાનું કેઈ સ્થળ ન હતું—એ વાત યથાર્થ પણે ઝીલી શકે એવું કોઈ યથાયોગ્ય પાત્ર ન હતું. ત્યાં સૌભાગ્યભાઈ જેવા
૪ આ ગાથાને પરમ અદભુત પરમાર્થ મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સમયસારની આત્મખ્યાતિ ટીકામાં પ્રકાશ્યો છે.