SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાઈસખા સૌભાગ્યભાઈનું શ્રીમદ્દ સાથે પ્રથમ ધન્ય મિલન ૩૦૧ રહસ્યભૂત “બીજજ્ઞાન'ની જ આરાધના કરવા મંડી પડ્યા, અને હાલતાં ચાલતાં તેનું ધ્યાન કરતા તે પિતાને જંગમ સામાયિક છે એમ કહેવા લાગ્યા. તેમણે પિતાના પુત્ર સૌભાગ્યભાઈને આ પરમાર્થ ભૂત “બીજજ્ઞાનના અનુભવને બંધ કર્યો, અને કઈ ચોગ્ય પાત્ર હોય તો તેને પણ તે બતાવવાનું સાથેસાથે જણાવ્યું. પછી સૌભાગ્યભાઈને જેતપર (મોરબી તાબે) વ્યાપારી કાર્યપ્રસંગે જવાનું હતું અને શ્રીમદ્દ ત્યાં બિરાજમાન હતા. સૌભાગ્યભાઈએ પોતાના પિતાશ્રીને પૂછયું–આખા કાઠિયાવાડમાં હાલ રાયચંદ કવિ પરમ યોગ્ય પુરુષ તરિકે પંકાય છે; આપની અનુમતિ હોય તો હું તેમને બીજજ્ઞાન દર્શાવું. પિતાએ અનુમતિ આપી એટલે તે જેતપર ગયા, ત્યાં શ્રીમદની સ્થિતિ જાણી તેમને મળવા ગયા, ત્યારે શ્રીમદ્દ તેમના બનેવી ચત્રભુજ બેચરની દુકાને બિરાજ્યા હતા. સૌભાગ્યભાઈનું શ્રીમદ સમીપે આગમન થવા પૂર્વે જ શ્રીમદના નિર્મલ જ્ઞાનમાં પ્રતિભાસ્યમાન થયું કે સૌભાગ્યભાઈ નામના પુરુષ બીજજ્ઞાનની વસ્તુ દર્શાવવા આવી રહ્યા છે. પછી એક કાગળની કાપલી પર તે બીજજ્ઞાનની વસ્તુ લખી ગાદી પાસેના ગલ્લામાં તે કાપલી મૂકી. સૌભાગ્યભાઈ આવ્યા એટલે શ્રીમદ્ નામ લઈને આવકાર આપતાં બોલ્યા-આવો, સૌભાગ્યભાઈ ! સૌભાગ્યભાઈને પરમ આશ્ચર્ય થયું– હું એમને ઓળખ નથી, એ મને ઓળખતા નથી, એકબીજાને કદી મળ્યા નથી ને દીઠા નથી. છતાં એમણે મને નામ લઈને શી રીતે બોલાવ્યો ! આશ્ચર્યમુગ્ધ થયેલા સૌભાગ્યભાઈ હજુ આમ ચિંતવે છે ત્યાં શ્રીમદે કહ્યું–આ ગલ્લામાં એક કાપેલી છે તે કાઢીને વાંચો.” સૌભાગ્યભાઈએ કાપલી કાઢી વાંચી તો જે બીજજ્ઞાનની પરમાર્થભૂત વસ્તુ દર્શાવવા પિોતે આવ્યા હતા તે જ વસ્તુ એમાં લખેલી દીઠી ! સૌભાગ્યભાઈ તે આશ્ચર્યથી દિંગ થઈ ગયા, અને ચમત્કાર પામી તેમણે શ્રીમદના ચરણમાં ત્રણ નમસ્કાર કર્યા અને શ્રીમદ્ પણ તે ક્ષણે કેઈ અપૂર્વ આત્મસમાધિમાં લીન થઈ ગયા. જે પરમાર્થભૂત બીજજ્ઞાનની વસ્તુ બતાવવા હું આવ્યો છું, તે તો આ પુરુષ જાણે છે ! એવા આ અલૌકિક અતીંદ્રિય જ્ઞાનીને તે મારે શું બતાવવાનું હોય ? એવા ભાવથી આ પરમાર્થગુરુના ચરણમાં સૌભાગ્યભાઈને આત્મા ભકિતભાવે નમી પડે. પરમાર્થ ભૂત બીજજ્ઞાનની વા સુધારસની વાત કાપલીમાં લખી રાખી હતી તે કોઈ ગાથા હતી એ ચોકકસ છે. આ ગાથા કઈ હશે ? આ સુધારસ વા બીજજ્ઞાન શું હશે? તે અંગે અને વિશેષ માહિતીના અભાવે આનુષંગિક પૂરાવાઓ પરથી (Circumstantial evidence) માત્ર અનુમાન કરવાનું રહે છે. આ સુધારસની ગપ્રક્રિયાને બીજજ્ઞાન પણ કહે છે. આ બીજજ્ઞાન તે શું ? અથવા સુધારસ તે શું ? કેવળજ્ઞાનના બીજરૂપ જ્ઞાન તે બીજજ્ઞાન; આ સુદ ૧૦ ૧૯૪૬ના પત્રમાં સ્વયં શ્રીમદે લખ્યું છે –“બીજજ્ઞાન. શોધે તો કેવલજ્ઞાન.” કેવલ શુદ્ધ આત્માને જ્યાં અનુભવ થાય છે એવું શુદ્ધાત્માનુભૂતિરૂપ જે પરમાર્થ સમ્યક્ત્વ તે જ કેવલજ્ઞાનના બીજરૂપ થઈ પડે છે, એટલા માટે તે બીજજ્ઞાન કહેવાય છે, “વ કેવલ બીજગ્યાની કહે, નિજકે અનુભી બતલાઈ દિયે. અને આ શુદ્ધાત્માનુભૂતિને જે અમૃતઅનુભવ થાય—અમૃત
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy