________________
પ્રકરણ ઓગણપચામું પરમાર્થસખા સૌભાગ્યભાઈનું શ્રીમદ્દ સાથે પ્રથમ ધ મિલન
શ્રીમદ્દન સર્વ સત્સંગીઓમાં જેનું સ્થાન સર્વથી પ્રથમ-મૂર્ધન્ય સ્થાને છે અને જેને શ્રીમદ્ પિતાના “હૃદયરૂપ પરમવિશ્રામ શ્રીસુભાગ્ય તરીકે બિરદાવે છે, એવા એક શ્રીમદૂના પરમાર્થસખા પરમાર્થ રંગી સૌભાગ્યભાઈના શ્રીમદ્ સાથેના સમાગમનું આલેખન કરવાનું હવે કમપ્રાપ્ત છે. અત્યારસુધીમાં શ્રીમદૂના સત્સંગી મુમુક્ષુઓનું યથાપ્રસંગ કથન કરવામાં આવ્યું કે હવે પછી કરવામાં આવશે, તે સર્વમાં પ્રમુખસ્થાને બિરાજમાન અસામાન્ય કેટિને જે કંઈ ખરેખરો મુમુક્ષુ ને ખરેખરે પરમાર્થ રંગી હોય તે તે આ શ્રી સૌભાગ્યભાઈ છે. શ્રીમના પરમાર્થજીવનમાં સૌભાગ્યભાઈને પરમાર્થ સંબંધે ઘણે અગત્યનો ભાગ ભજવ્યું છે, અને કયારે “મુને મિલસે મારા સંત નેહી’–મને વ્હારે સંત સ્નેહી ક્યારે મળશે એવી શ્રીમની સંત નેહીની ઝંખના સૌભાગ્યભાઈ જેવા વિરલા પરમાથી પુરુષનો મેળાપ થતાં પૂર્ણ થઈ છે. શ્રીકૃષ્ણને અર્જુન જેવા સખા ને શિષ્યની જેમ, શ્રીમદને સૌભાગ્ય જે પરમાર્થ સખા ને અનન્ય શિષ્ય મળી ગયો. શ્રીમદૂના આવા એક “મનમેલું' હદય પરમાર્થ સખા પરમ સત્સંગી પુરુષનું શ્રીમદ સાથે મિલન ક્યારે કેવા સંજોગોમાં કેવી રીતે થવા પામ્યું, તેનું પરમ અદ્દભુત હૃદયંગમ રોમાંચક દર્શન આ પ્રકરણમાં કરશું.
શ્રી સૌભાગ્યભાઈના પિતાશ્રી લલ્લુભાઈ પ્રથમ લિંબડીના કારભારીપદે હતા, પણ રાજખટપટથી તે પદ તેમને છોડવું પડયું ને તેઓ “ભગતના ગામ” તરીકે પ્રસિદ્ધ સાયલા આવીને વસ્યા. પ્રથમ તેમની વ્યાવહારિક સ્થિતિ સારી હતી, પણ પછી પડતી સ્થિતિ આવી પડી. પછી કઈ સાધુસેવાથી કંઈ લબ્ધિસિદ્ધિ કે મંત્રવિદ્યા મળી જાય તે સ્થિતિ સુધરે-આપણું કામ થઈ જાય એમ મુગ્ધભાવે વિચારી તેઓ આવા કામમાં મારવાડી સાધુઓ નિપુણ હોય છે એમ જાણી રતલામ આવ્યા. ત્યાં તેમને એક વૃદ્ધ મારવાડી યતિ મળ્યા. તેની પાસે તેમણે પોતાની દુઃખી કહાણી રજૂ કરી પોતાની અર્થકામનાની વિજ્ઞપ્તિ કરી; પણ તેમના ધાર્યાથી ઉલટું તે સાધુ તે અધ્યાત્મનિષ્ઠ નિકળ્યા, એટલે સાધુ પાસેથી આવી અર્થની અનર્થકામના કરવા માટે સાધુએ ઉલટ. ઉપાલંભ આપ્યો. લલુભાઈએ ક્ષમા માગી અને કંઈ આત્મસાધનની વાત કરવા વિજ્ઞપ્તિ કરી. એટલે આત્મસાધન બતાવતાં સાધુએ ગ્ય અધિકારી જાણીને લલુ ભાઈને સુધારસ” નામની ગક્રિયાની–બીજજ્ઞાન'ની–પરમાર્થ રહસ્યભૂત વાત કરી ને કહ્યું કે કોઈ ગ્ય પાત્રને આપશે, તે તેને પણ જ્ઞાનપ્રાપ્તિમાં ઉપકારી થઈ પડશે.
પછી લલ્લુભાઇ તે સાયલે આવી બીજી બધી ક્રિયા છેડી દઈ આ પરમાર્થ