________________
૨૯૭
મુનિ લલ્લુજી ને દેવકરણજીને શ્રીમદ્દો સમાગમલાભ મિથ્યાષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે, અર્થાત્ તેને પુણ્ય પાપ ફળનું બેસવાપણું છે; સમ્યગ્દષ્ટિની ક્રિયા અફળ છે, ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી, અર્થાત્ નિર્જરા છે. એકની (મિથ્યાદષ્ટિની) ક્રિયાનું સંસારહેતુક સફળપણું અને બીજાની (સમ્યગ્દષ્ટિની) ક્રિયાનું સંસારહેતુક અફળાપણું એમ પરમાર્થ સમજવા ચોગ્ય છે.” આવી અપૂર્વ પરમાર્થઘટનાથી સર્વ સંતોષ પામ્યા, દેવકરણજીની સર્વ શંકા સમાધાન પામી ને તેમને શ્રીમની મહાબુદ્ધિ માટે બહુમાન ઉપર્યું તથા શ્રીમદ્દ અંગેના લલ્લુજીના વચનની પ્રતીતિ થઈ. પછી શ્રીમદ્ સ્વસ્થાને ગયા અને વિચારસાગર ગ્રંથ મધ્યેથી ગુરુમહાભ્યપ્રકરણ અંગેના પાના તેમણે દેવકરણજીના અવેલેકનાથે સુંદરલાલ સાથે મોકલ્યા. દેવકરણજીએ તે અવેલેકયા, પણ તેનો ઊંડો ગૂઢ આશય સમજાય નહિં. જો કે અવિરતિ સમ્યગ્દષ્ટિની નિંદામાં પણ મહાપાપ છે એમ દઢપણે માનતા દેવકરણજી પૂર્વે પણ કદી શ્રીમદની નિંદા તે કરતા જ નહિ અને હવે તે આ એક મહાબુદ્ધિશાળી પ્રાણ પુરુષ છે એમ પ્રશંસા કરવા લાગ્યા, તોપણ આ એક મહાજ્ઞાની પુરુષ છે એવી શ્રીમદ્દ પ્રત્યે પૂજ્ય ગુરુબુદ્ધિ ઉપજવાને તેમને હજુ વાર હતી.
એક વખત સમાગમપ્રસંગમાં લલ્લુજીએ શ્રીમદૂને કહ્યું–જે દેવકરણછ બોધ પામે તો ઘણા ઓને લાભ થાય. શ્રીમદે કહ્યું—એ વાત જવા દો. છતાં લલ્લુજી ફરી ફરી એ જ વાતનો આગ્રહ કરતા, એટલે શ્રીમદે દેવકરણજીને સાથે લાવવા કહ્યું. પછી લલુછ દેવકરણજી સાથે શ્રીમદ્દના નિવાસસ્થાને ગયા, ત્યાં બે મુનિ અને શ્રીમદ એકાંતે બેઠા હતા. ત્યારે દેવકરણુજી સાથે આમ વાર્તાલાપ પ્રસંગ બને (“જીવનકળા” અનુસાર) : શ્રીમદે દેવકરણુજીને પૂછ્યું–વ્યાખ્યાન કેણુ વાંચે છે? પર્વદા કેટલી ભરાય છે. દેવકરણુજીએ કહ્યું–હું વાંચું છું, હજારેક માણસની પર્ષદા ભરાય છે. શ્રીમદે ફરી પૂછયું–સ્ત્રીઓની પર્ષદા જઈ કાંઈ વિકાર થાય છે? દેવકરણજીએ કહ્યું-કાયાથી થતો નથી, મનથી થાય છે. એટલે શ્રીમદે કહ્યું–મુનિએ તો મન વચન કાયા એ ત્રણે વેગથી સાચવવું જોઈએ. ત્યારે દેવકરણજીએ કહ્યું–તમે ગાદી તકીએ બેસો છે અને હીરામાણેક તમારી પાસે પડયા હોય છે ત્યારે તમારી વૃત્તિ ડહોળાતી નહિં હોય? શ્રીમદે કહ્યું–મુનિ ! અમે તે કાળકૂટ વિષે દેખીએ છીએ, તમને એમ થાય છે? આ સાંભળી દેવકરણજી સજજડ થઈ ગયા. પછી શ્રીમદે પૂછયું–તમે કેણ છે? દેવકરણજીએ કહ્યું– જેટલો વખત વૃત્તિ સ્થિર રહે તેટલે વખત સાધુ છીએ. શ્રીમદે ફરી પૂછ્યું–તેવી રીતે સંસારીને પણ રહે તેને સાધુ કહીએ? દેવકરણજી બીલકુલ બેલ્યા નહીં. પછી શ્રીમદે કહ્યું – હે મુનિ! જેમ નાળીયેરને ગળે જૂદો રહે તેમ અમે રહીએ છીએ.”
શ્રીમની આ ચમત્કારિક વાતથી દેવકરણુજી આશ્ચર્યચકિત થયા, પણ હજુ નિશ્ચય થયે નહીં. જો કે અત્રે શ્રીમદે માર્મિકપણે પિતાની જીવન્મુક્ત જ્ઞાનદશાનું સૂચન કરી જ દીધું છતાં દેવકરણછ સમજ્યા નહીં. નાળીયેર એક છતાં જેમ અ-૩૮