________________
અધ્યાત્મ રાજચંદ્ર
શ્રીમદે ગંભીરપણે માર્મિક ટકોર કરી–અહીં આ અનાર્ય જેવા ક્ષેત્રમાં ચાતુર્માસ અર્થે કેમ પધારવું થયું? મુનિને અનાર્ય જેવા ક્ષેત્રમાં વિહરવાની આજ્ઞા થોડી જ હોય છે ? એટલે “ભરમ ભાંગે તવ પ્રભુ શું પ્રેમ, વાત કરું મન ખોલીજી; સરલ તણે હઈડે જે આવે, તે જણાવે બેલીજી” – એવા સરલ ભાવથી મુનિએ આગમનકારણ સ્પષ્ટ કહી દીધું – આપના સમાગમની કામનાને લીધે – સમાગમલાભના લોભને લીધે જ અમારું અત્ર ચાતુર્માસ માટે આગમન થયું છે. અહીં આવવામાં તમને કઈ અંતરાય કરે છે ? એમ શ્રીમદે પૂછતાં મુનિએ ના કહી નમ્રતાથી વિનયવિજ્ઞપ્તિ કરી–રોજ એકાદ કલાકને સમાગમલાભ મળી શકશે ? શ્રીમદ્દ વદ્યા-મળી શકશે. એટલે પછી ચીંચપોકલીને ઉપાશ્રય જે ભૂલેશ્વરથી લગભગ ત્રણ–ચાર માઈલ દૂર છે ત્યાંથી પાદવિહાર કરતા લલ્લુછ મુનિ યથાવસર વારંવાર શ્રીમદના સમાગમઅર્થે ભૂલેશ્વરના નાકે તેમની પેઢી પર જતા. ત્યારે શ્રીમદ પેઢી પરથી ઊઠી પાસેની એક અલગ ઓરડીમાં જઈ એકાંતે મુનિને સમાગમલાભ આપતા, સૂયગડાંગ સૂત્ર-ભતૃહરિ વૈરાગ્યશતક આદિમાંથી શ્રવણ કરાવતા–સમજાવતા. અત્રે શ્રીમદની સર્વત્ર ઔચિત્ય જાળવનારી સૂક્ષ્મ વિવેકદષ્ટિ સમજવા જેવી છે. એક વિનયસંપન્ન મુનિ માન મૂકી વિનયાન્વિતપણે શ્રવણતત્પર બનેલ છે, તેને બીજાઓની હાજરીમાં ઉપદેશ નથી આપતા, પણ તેના યથારોગ્ય માન-મર્યાદા જળવાય એમ ઉચિતપણે એકાંતે ઉપદેશ કરે છે.
ત્યાં ખંભાતવાળા એક મુમુક્ષુ ભાઈ સુંદરલાલ આવ્યા હતા. તેની પાસે દેવકરણુજીએ શ્રીમદ્રના દર્શનની જિજ્ઞાસા બતાવી કે શ્રીમદ્દ અત્રે પધારે તો સારું. પછી તેની વિજ્ઞપ્તિથી એક દિવસ સુંદરલાલ સાથે શ્રીમદ ચીંચપોકલી ઉપાશ્રયે પધાર્યા, ત્યારે લલ્લુજી-દેવકરણજી–હીરાજી-ચતુરલાલજી એ ચાર મુનિઓ પાટ પરથી નીચે ઉતર્યા. પછી સૂયગડાંગ સૂત્રની એક હસ્તપ્રત હાજર કરી તેમાં શાસ્ત્રપાઠના કેટલાક અક્ષરો ઊડી જવાથી અર્થ બેસતો નહતો, તે અંગે દેવકરણજીએ શ્રીમદને પૂછયું–અત્રે આ પાઠમાં કયા અક્ષરો જોઈએ? ને તેનો અર્થ શો ? શ્રીમદે તરત જ તે પાઠ ઉકેલ્ય, અક્ષર અને અર્થ બને બરાબર બેસાડી આપ્યા. દેવકરણજી શ્રીમદ્દની પ્રજ્ઞાથી પ્રભાવિત થયા-ચમત્કાર પામ્યા. પછી—
जे अबुद्धा महामागा वोरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परकंतं सफलं होइ सव्वसा ॥ जेय बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो ।
सुद्धं तेसिं परकंतं अफलं होइ सवसो ॥ –સૂત્રકૃતાંગની આ બે સુપ્રસિદ્ધ ગાથાના પાઠ સંબંધી દેવકરણજીને શંકા થઈ–ઉપર જ્યાં “સફળ” છે ત્યાં “અફળ” ઠીક લાગે છે અને “અફળ” છે ત્યાં “સફળ” ઠીક લાગે છે, માટે તેમાં લખિત દેર છે છે કે બરાબર છે? તેનું સમાધાન કરતાં શ્રીમદે કહ્યું–‘લખિત દોષ નથી. સફળ છે ત્યાં સફળ અને અફળ છે ત્યાં અફળ બંને બરાબર છે.” એમ કહી તેને અપૂર્વ પરમાર્થ આ પ્રકારે ઘટાવી આપે–