SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ લલ્લુજી ને દેવકરણજીને શ્રીમદ્ના સમાગમલાભ ૨૯૫ કહ્યુ -બ્રહ્મચર્ય' વિષે હું ઉપવાસ કરૂ છું (એકાંતર) તથા કાયાત્મ કરૂં છું, છતાં મનથી તેવી રીતે પાલન થઇ શકતું નથી. પૂજ્યશ્રીએ કહ્યું' કે લાકષ્ટિએ કરવું નહીં તથા લેાકદેખામણુ તપશ્ચર્યાં કરવી નહીં. પણ સ્વાદને ત્યાગ થાય તેવા આહાર ઊણા દરી રીતે કરવા, અને સારા આહાર હાય તે ખીજા સાધુને આપી દેવા. વળી કહ્યું કે તમે જે જે જુએ છે તે સ ભ્રમ છે તેવી રીતે જુએ, અથવા સર્વ આત્મા છે એમ જોયા કરે.' આમ ઇતિહાસપ્રસિદ્ધ પાવન સ્થંભનતી માં-ખંભાતમાં ધનતેરસના ધન્ય દિને શ્રીમદ્નના પ્રથમ દનસમાગમ થયેા ત્યારથી શ્રીમદ્ જ લલ્લુજી મુનિના મા દશક પરમા ગુરુ બની ગયા. અને આમ ખંભાતમાં મહામુમુક્ષુ અંબાલાલભાઇ આદિ મુમુક્ષુઓને અને અંખાલાલભાઈના ઉત્તમ નિમિત્ત પ્રતાપે શ્રી લલ્લુજી મુનિને સ્વસ્વયેાગ્યતા પ્રમાણે દર્શનસમાગમથી ‘ધર્મ લાભ' આપી શ્રીમદ્ મુંબઇ પધાર્યા. (૨) મુનિએને મુબઈમાં શ્રીમદ્ન સમાગમલાભ પછી પણ શ્રી અંબાલાલભાઇ દ્વારા લલ્લુજી આદિ મુનિનેા શ્રીમદ્ સાથેને પત્રવાટે પરોક્ષ સમાગમ ચાલુ રહ્યો; પણ મુનિધમ ના બાહ્ય આચારાદિને લીધે સાક્ષાત સમાગમની કેટલીક પ્રતિકૂળતા હતી, એટલે તે જોગ વારંવાર ને જલદીથી અને એમ નહાતું. આમ બે-ત્રણ વર્ષ થયાં દશનલાભ નહિં મળ્યા હાઇ લલ્લુજી મુનિને શ્રીમદ્નના સાક્ષાત્ દનસમાગમની તૃષા વધતી ગઈ. તેએ બીજા મુનિએ સાથે વિહાર કરતા સુરત આવ્યા; તેમની સાથે પ્રજ્ઞાવાન દેવકરણજી મુનિ પણ હતા, તે વ્યાખ્યાનકળામાં કુશળ હાવાથી શ્રેાતાએ તેમના વ્યાખ્યાનથી મુગ્ધ થતા. ત્યાં મુંબઇના કેટલાક ગૃહસ્થા આવ્યા હતા, તેએ દેવકરણજીના વ્યાખ્યાનથી આકર્ષાયા અને તેમને ઘણા આબહુપૂર્ણાંક મુંબઈ ચાતુર્માસ કરવા વિજ્ઞપ્તિ કરી. લલ્લુજીની અંતગ ત ઇચ્છા તા એ જ હતી, તેમાં આ નિમિત્ત બન્યું; એટલે તેમના આગ્રહને માન આપી તેમણે ખભાતથી પેાતાના ગુરુની આજ્ઞા મગાવી ઘણા હર્ષાયમાનપણે મુંબઇ ચાતુ માંસ કરવાનું સ્વીકાર્યું, અને વિહાર કરતાં મુંબઇ આવ્યા. એક ગૃહસ્થવેષે રહેલા જ્ઞાની સાધુપુરુષના સમાગમલાભ લેવા સાધુવેષે રહેલા સાધુ ત્રણસેા–ચારસે માઈલના લાંખા વિહાર કરીને આવ્યા. મુનિવેષના માનનું મન કરી એક ગૃહસ્થને ખાસ મળવા કેઈ સાધુએ આટલે લાંબે વિહાર કરી આવવાની ઇચ્છા પણ કરી હોય એવા બનાવ હજી ઇતિહાસમાં નોંધાયા નથી. આ દર્શાવે છે કે મુનિને શ્રીમદ્નના દર્શનની તાલાવેલી કેવી હતી ! સમાગમલાભની ઉત્કંઠા કેવી હતી ! મુંબઈમાં લલ્લુજી મુનિ શ્રીમના દશનાર્થે તેમની પેઢી પર આવ્યા. મુખ્યપણે પેાતાના જ દન–સમાગમાથે મુનિ અત્ર આવ્યા છે એમ જ્ઞાનખલથી જાણતાં છતાં
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy