________________
૨૯૮
અધ્યાત્મ રાજચંદ્ર નાળીયેરને ગોળ કાચલીથી જૂદ ને જુદો જ હોય છે, તેમ આ દેહમાં સ્થિતિ કરતો આત્મા દેહ સાથે એકરૂપ ભાસે છે છતાં દેહથી જૂદે ને જૂદો જ છે, એમ વિવિક્તપૃથક-જૂદા આત્માના જ્ઞાનથી, વિવિક્ત આત્માના દર્શનથી અને વિવિક્ત આત્માના અનુચરણથી અમે સર્વથી ભિન્ન અસંગ વિવિક્ત આત્મા અનુભવી રહ્યા છીએ—એમ સમયસારમાં વર્ણવેલી પરમાર્થ સમદૃષ્ટિની જીવન્મુક્ત જ્ઞાનદશા અમે સાક્ષાત્ પામ્યા છીએ- એ શ્રીમદના વચનનો ઊંડે મમ દેવકરણજી પામ્યા નહીં.
લલુછ મુનિએ શ્રીમદ્રને તેમનો ચિત્રપટ આપવા સાગ્રહ વિજ્ઞપ્તિ કરી, પણ શ્રીમદે તે લક્ષમાં લીધી નહિ અને અતિ આગ્રહ થતાં સૂયગડાંગની આ ગાથા સ્વહસ્તે લખી આપી
___ संबुज्झहा जंतवो माणुसत्तं, दटुं भयं बालिसेणं अलंभो ।
पगंतदुक्खे जरिएव लोए, सकम्मणा बिप्परियासुवेइ ॥ ' અર્થાત્“હે જીવ! તમે બુઝે, સમ્યપ્રકારે બુઝે. મનુષ્યપણું મળવું ઘણું દુલભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણે. અજ્ઞાનથી સવિવેક પામ દુર્લભ છે એમ સમજે. આ લેક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણે. અને સર્વ જીવ પિોતપોતાનાં કર્મો કરી વિપર્યાસપણું અનુભવે છે તેને વિચાર કરો.” પછી એક દિવસ સમાધિશતકની પ્રારંભની સત્તર ગાથા શ્રીમુખે સંભળાવી શ્રીમદે ગ્રંથમાં મંગલ પ્રવેશ કરાવી મુનિને તે ગ્રંથ વાંચવા વિચારવાની આજ્ઞા આપી. ગ્રંથ લઈ મુનિ દાદરા સુધી ગયા એટલે પાછા બોલાવી શ્રીમદે ગ્રંથના મુખપૃષ્ઠ પર “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે”—એ ગ્રંથનું પરમ સારભૂત પરમ ભાવના સૂત્ર સ્વહસ્તે લખી આપ્યું. એક દિવસ મુનિએ બંધની માગણી કરતાં શ્રીમદ્ મૌન રહ્યા. એ પરથી મૌન એ જ બંધ એ ઊંડે રહસ્યભૂત બંધ દઈ દીધે. આટલી ટૂંકી પ્રાસ્તાવિક નોંધ માત્ર મળે છે, પણ ચાતુર્માસ જેટલા લાંબા ગાળામાં મુનિ લલ્લુજીને વારંવાર શ્રીમદને સમાગમલાભ મળ્યું હતું, પણ તે સમાગમલાભમાં શે બોધ કરાયો હતો, તેને અંશ પણ મુનિએ પ્રાયે લખાવેલો જણાતો નથી. જે અંશ પણ જળવાય હોત તો અંબાલાલભાઈની “ઉપદેશછાયાની જેમ બીજાઓને પણ લાભદાયક થાત.
મુંબઈમાં ચાર્તુમાસ પૂર્ણ થયે મુનિઓ વિહાર કરી સુરત પધાર્યા. ત્યાં પત્રવાટે પરોક્ષ સમાગમ તે ચાલુ જ રહ્યો. સુરતમાં સ્થિતિ કરતા મુનિઓ ધ્યાન-વ્યાખ્યાનાદિ કરતા. તેમાં વખત પરત્વે મુનિ લલ્લુજી દેવકરણજીને માર્મિક ટકોર કરતા–“તમે ધ્યાન ધરો છો તે તરંગ કરે છે અને વ્યાખ્યાન વાંચે છે તે અભિમાન કરે છે. દેવકરણઅને આ આક્ષેપવચન ગમ્યું નહિં પણ ત્યારે તે ગમ ખાઈ ગયા. પછી વારંવાર આગ્રહ કરવામાં આવતાં વચ્ચે જ્યારે શ્રીમદ્દનું સુરત આગમન થયું, ત્યારે દેવકરણજીએ આ “રાજચંદ્રના દરબારમાં લલ્લુજીના આ આક્ષેપકથન સામે ફરિયાદ નોંધાવી ! પરમ શાંતમૂર્તિ શ્રીમદે પરમ ગંભીર નિષ્પક્ષપાત ન્યાય કર્યો–“સ્વચ્છેદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે, અને સદ્દગુરુની આજ્ઞાથી જે કરવામાં