SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દ અને મહામુમુક્ષુ અંબાલાલભાઈ ૨૮૯ નયથી એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો (લખેલાંનાં પાનાં ઉપાડવાં અને ભણવા એમાં કંઈ અંતર નથી, જે તત્ત્વ ન મળ્યું તો. કારણ બે બાજે જ ઉપાડયો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજ ઉપાડયો, ભણી ગયા તેણે મને બે ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી; પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પોતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે; અને જ્ઞાનદષ્ટિએ જોતાં મહત્ત્વ તેનું જ છે; ઇત્યાદિ. આમ અંબાલાલભાઈ જેવા વિચક્ષણ શિષ્યના પ્રશ્નનું પરમગુરુ શ્રીમદે કેવું અદ્ભુત-કેવું અપૂર્વ નિgષ યુક્તિયુક્ત સમાધાન પ્રકાશ્ય છે ! આ પત્રોમાં પણ શ્રીમદ્ નિખાલસભાવે પોતાના ઉપાધિયોગ પ્રત્યે લક્ષ દેરી આ મુમુક્ષુઓને પોતાની બરાબર ચોકસી કરવાનું માર્મિક સૂચન કરતા, અને પોતે પણ તે તે મુમુક્ષુઓની શ્રદ્ધાદઢતાની ચોકસી કરવાનું ચૂકતા નહિં, અને શિષ્ય કાચો છે કે પાકે તેની ચકાસણી કરવા નિપુણપણે તેની આકરી સત્ત્વકસોટી-સર્વપરીક્ષા કરતા. જેમકે –“ઉપાધિનું પ્રબળ વિશેષ રહે છે. જીવનકાળમાં એ કઈ ચોગ આવવાને નિમિત હોય ત્યાં મૌનપણે-ઉદાસીનભાવે પ્રવૃત્તિ કરી લેવી એ જ શ્રેયસ્કર છે. X X. મહાધીન એવો મારો આત્મા બાહ્યોપાધિથી કેટલે પ્રકારે ઘેરાયે છે તે તમે જાણે છે, એટલે અધિક શું લખું ? (. ૧૧૫). તીર્થંકરદેવ રાગ કરવાની ના કહી છે, અર્થાત્ રાગ હોય ત્યાંસુધી મેક્ષ નથી. ત્યારે આ પ્રત્યે રાગ તમને બધાયને હિતકારક કેમ થશે ? (અ. ૧૪૬) અહા ! અનંતભવના પર્યટનમાં કોઈ પુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઈચ્છો છો, તેની પાસેથી ધર્મ ઈચ્છે છે, અને તે તો હજુ કઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે ! નિવૃત્ત હોત તો બહુ ઉપયોગી થઈ પડત. વારુ ! તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે તેનું કંઈ મૂળ કારણ હસ્તગત થયું છે? એના પર રાખેલ શ્રદ્ધા, એને કહેલ ધર્મ અનુભવ્યો અનર્થકારક તો નહીં લાગે? અર્થાત્ હજુ તેની પૂર્ણ કસોટી કરો અને એમ કરવામાં તે રાજી છે, તેની સાથે તમને યેગ્યતાનું કારણ છે, અને કદાપિ પૂર્વાપર પણ નિઃશંક શ્રદ્ધા જ રહેશે એમ હોય તો તેમ જ રાખવામાં કલ્યાણ છે એમ સ્પષ્ટ કહી દેવું આજે વાજબી લાગતાં કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણી જ ગામિક વાપરી છે, તથાપિ તેનો ઉદ્દેશ એક પરમાર્થ જ છે.” (અં. ૧૩૯)શ્રીમદ્ આમ ભલે માર્મિક સત્ત્વટી કરતા, પણ અંબાલાલભાઈ તો હવે આવી અગ્નિપરીક્ષામાંથી ઉત્તીર્ણ થઈ ગયેલા એવા પાકા બની ગયા હતા કે તે તેવી ગમે તેવી ઉલટપાલટ સર્વપરીક્ષાથી પોતાની સશ્રદ્ધાથી જરા પણ ચસે કે ખસે એમ ન્હોતા; તે તો સની પ્રાપ્તિ માટે જ્ઞાની સરુષને શરણે જઈ, પિતા પરના જ પત્રમાં (સં. ૨૧૧) લખેલે શ્રીમદૂને કઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાને આ ગુપ્ત મંત્ર જીવનમાં ઉતારી રહ્યા હતા : જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પિતે કંઈ જ જાણતો નથી એવો દહ અ-૩૭
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy