SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દ અને મહામુમુક્ષુ અંબાલાલભાઈ ૨૮૭ ધારું છું. આ ભવનું પરભવનું નિરુપાધિપણું જે વાટેથી કરી શકાય તે વાટેથી કરશે, એમ વિનંતિ છે. (અં. ૧૧૮), નિરંતર નિર્ભયપણુથી રહિત એવા આ ભ્રાંતિરૂપ સંસારમાં વીતરાગત્વ એ જ અભ્યાસવા ગ્ય છે; નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે. ૪૪ જેનું અપાર માહાસ્ય છે, એવી તીર્થંકરદેવની વાણુની ભક્તિ કરે. (. ૧૧૯). પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં ગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખ. ધર્મકથા વિષે લખવા જણાવ્યું તે તે ધાર્મિક કથા મુખ્ય કરીને તે સત્સંગને વિષે રહી છે. ૪૪ અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તન ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરે એ સુગમ સાધન છે. (અ. ૧૨૧). પૂવિંત કમને ઉદય બહુ વિચિત્ર છે. હવે જાગ્યા ત્યાંથી પ્રભાત (અં. ૧૨૨) ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી કાગ્રે જવાતું નથી. લકત્યાગ વિના વૈરાગ્ય યથાગ્ય સ્થિતિ પામે દુર્લભ છે. (અ. ૧૨૮). મુમુક્ષુતાના અંશોએ પ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. ૪૪ જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશે. અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશે–સમ્યકદશાનાં પાંચ લક્ષણે છે શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા,–અનુકંપા. (સં. ૧૩૫). યોગ્યતા મેળવે. (સં. ૧૩૮). પાત્રતા પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો. (સં. ૧૪૦). ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. (સં. ૧૫૩). તમે અને બીજા જે જે ભાઈઓ મારી પાસેથી કંઈ આત્મલાભ ઇચ્છે છે, તે તે લાભ પામે એ મારી અંતઃકરણથી ઈચ્છા જ છે. તથાપિ તે લાભ આપવાની જે યથાયોગ્ય પાત્રતા તેમાં મને હજુ કંઈક આવરણ છે, અને તે લાભ લેવા ઈચ્છનારની પણ કેટલીક રીતે ગ્યતાની મને ન્યૂનતા લાગ્યા કરે છે. એટલે એ બન્ને વેગ જયાંસુધી પરિપકવતાને નહીં પામે ત્યાંસુધી ઇચ્છિત સિદ્ધિ વિલંબમાં રહી છે, એમ માન્યતા છે. ફરી ફરી અનુકંપા આવી જાય છે, પણ નિરુપાયતા આગળ શું કરું? પિતાની કંઈ ન્યૂનતાને પૂર્ણતા કેમ કહું? એ પરથી એવી ઈચ્છા રહ્યા કરે છે કે હમણાં તે જેમ તમે બધા ગ્યતામાં આવી શકે તેવું કંઈ નિવેદન કર્યા રહેવું, જે કંઈ ખુલાસો માગે તે યથામતિ આપવો, નહિં તો ચગ્યતા મેળવ્યા રહે; એ ફરી ફરી સૂચવવું. (સં. ૧૪૨). નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો – (૧) ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયોને શમાવો. (૨) સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. (૩) આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકે. (૪) તમે પરિપૂર્ણ સુખી છે એમ માને, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરે. (૫) કેઈ એક સપુરુષ છે, અને તેનાં ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા છે. એ પાંચ અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy