________________
૨૮૬
અધ્યાત્મ રાજચંદ્ર છે. તેમની મારાથી બનતી ઉપાસના કરું છું. તેઓ કોઈ રીતે મતાગ્રહી હોય એવું મને હજુ સુધી તેઓએ દેખાડયું નથી. જીવ ધર્મજિજ્ઞાસુ જણાય છે. ખરું કેવલીગમ્ય.” આ પ્રથમ સમાગમલાભ પછી બીજી વાર ત્રિભોવનભાઈ એકલા મુંબઈ ગયા અને શ્રીમને સાક્ષાત દર્શન-સમાગમલાભ લીધે, ત્યારે ૧૯૪૬ ફા. શુ. ૬ ને દિને લખેલે મહાવીરના બોધને પાત્ર કેણુ?” એ શીર્ષક નીચે આ દશ સૂત્રવાળો પ્રથમ પત્રપ્રસાદીરૂપ બેધપત્ર (અં. ૧૦૫) ખાસ અંબાલાલભાઈ માટે લખી આપી તેમને પરોક્ષ દર્શનસમાગમનો લાભ આપ્યા
(૧) સત્પષના ચરણનો ઈચ્છક, (૨) સદેવ સૂક્ષ્મ બોધને અભિલાષી, (૩) ગુણપર પ્રશસ્ત ભાવ રાખનાર, (૪) બ્રહ્મવતમાં પ્રીતિમાન, (૫) જ્યારે
સ્વદેષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર, (૬) ઉપયોગથી એક પળ પણ ભરનાર, (૭) એકાંતવાસને વખાણનાર. (૮) તીર્થાદિ પ્રવાસને ઉછરંગી, (૯) આહાર, વિહાર, નિહારને નિયમી, (૧૦) પિતાની ગુસતા દબાવનાર,એ કઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યફદશાને પાત્ર છે. પહેલા જેવું એકે નથી.”
આમ શ્રીમદ્દના પ્રારંભિક પરિચય માત્રમાં જ આ મુમુક્ષુઓની ધર્મજિજ્ઞાસા વધતી ગઈ, તે માટે સંતોષ વ્યક્ત કરતા અને પ્રોત્સાહન આપતા શ્રીમદ્ ફા. શુદ ૮ ૧૯૪૬ના શ્રી જૂઠાભાઈ પરના પત્રમાં (. ૧૦૬) લખે છે.– ત્રિભવન અહીંથી સેમવારે રવાના થવાના હતા, તેમને મળવા આવી શક્યા હશે. તમે, તેઓ અને બીજા તમને લગતા માંડલિક ધર્મને ઈચ્છે છે. તે જે સર્વનું અંતરાત્માથી ઇચ્છવું હશે તો પરમ કલ્યાણરૂપ છે. મને તમારી ધર્મજિજ્ઞાસાનું રૂડા પણું જોઈ સંતોષ પામવાનું કારણ છે. જનમંડળની અપેક્ષાએ હતભાગ્ય કાળ છે. વધારે શું કહેવું? એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે.” અત્રે શ્રીમદે આ મુમુક્ષુઓને માર્મિકપણે એમ સૂચવ્યું કે આવા હતભાગ્ય કાળમાં પણ જે તમને સાચી ધર્મજિજ્ઞાસા ઉપજી છે તે તે તમારા મહાભાગ્યને ઉદય છે.
આ તે શ્રીમદૂના માત્ર પરિચયપ્રારંભના પ્રભાવની વાત થઈ. અને પછી તે આ અંબાલાલભાઈ-
ત્રિવનભાઈ આદિને શ્રીમદ્દ સાથે પત્રપરિચય વધતો ગયો; આ ધર્મજિજ્ઞાસુ-ધર્મેચ્છક ભાઈએ શ્રીમદ પાસે વારંવાર ધર્મશિક્ષાની યાચના કરવા લાગ્યા, માર્ગદર્શન માગવા લાગ્યા, અને શ્રીમદ યથોચિત ગ્યતા વધારવાનું–સાચું મુમુક્ષુપણું આત્મામાં પ્રગટાવવાનું વારંવાર લખી યથાર્થ માર્ગદર્શન આપતા ગયા. જેમકે
પથાર્થ ઉપદેશ જેમણે કર્યો છે, એવા વીતરાગના ઉપદેશમાં પરાયણ રહે, એ મારી વિનયપૂર્વક તમને બન્ને ભાઈઓને અને બીજાઓને ભલામણ છે. ૪૪ હાલ તે તમે જ તમારાથી ધર્મશિક્ષા લે. એગ્ય પાત્ર થાઓ. હું પણ ચગ્ય પાત્ર થાઉં. આગળ વધારે જોઈશું. (અ. ૧૧૫). ધર્મમાં પ્રસક્ત રહે એ જ ફરી ફરી ભલામણ સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તે જરૂર સુખી થઈશું, પાર પામીશું, એમ હું