SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને મહામુમુક્ષુ ખાલાલભાઈ ૧૮૫ એક કવિતા છપાવેલી, તે સારી લાગવાથી અંબાલાલે ખભાતમાં છપાવી તેથી જૂઠાભાઈને પૂછ્યા વગર છપાવવા માટે છગનલાલે ઠપકેા આપ્યા; એટલે અંબાલાલે તેમને કહ્યું કે જૂઠાભાઈ સાથે તમે અમને મેળાપ કરાવેા. એ રીતે અંબાલાલભાઇને જૂઠાભાઈના પરિચય થયા અને સમવયસ્ક હોઈ આ નિમિત્તે મૈત્રી થઈ જૂઠાભાઇને લગ્નના વરઘેાડામાં ચાલવા અબાલાલભાઇ વગેરે ખેલાવવા આવ્યા, ‘ચાલેા વરઘેાડામાં’; પણ જેનું મન મુક્તિસુંદરીનું પાણિગ્રહણ કરવા માટેના પોતાના ભાવિ અલૌકિક વરઘેાડામાં જવાને થનગની રહ્યું હતું તે મહામુમુક્ષુ મહાવૈરાગી જૂટાભાઇને આવાલૌકિક વરઘેાડામાં જવાના રસ કયાંથી હાય ? તે તા કરવા માંડ્યા જ્ઞાન-વૈરાગ્યની વાતા ! વૈરાગ્યમૂત્તિ જૂડાભાઇની વાતેામાં એમને રસ પડ્યો, એટલે વરઘોડા રહ્યો વરઘેાડાને ઠેકાણે, અને આ ભાઇએ તે આવ્યા હતા વરઘેાડામાં લઈ જવા, પણ અહીં એસી ગયા બીજા વરઘેાડામાં જવાની તૈયારીમાં !—જ્યાં વૈરાગ્યના વાજિંત્ર વાગી રહ્યા હતા અને જ્ઞાનના ધવલમંગલ ગીત ગવાઈ રહ્યા હતા! જૂઠાભાઈ તા પાતે જઈ રહેલા ભાવિ વરઘેાડામાં જોડાવાનું આ ભાઇઓને જાણે સામું આમંત્રણ કરતા હેાયની! અને આ ભાઇએ પણ એ આમંત્રણના સ્વીકાર કરી મુક્તિસુંદરીના ભાવિ અલૌકિક વરઘેાડામાં જવાનું જાણે મંગલપ્રસ્થાન કરતા હેાયની !–એવું દેવદુલ ભ દૃશ્ય ત્યાં સાઈ ગયું! તે તેા મત્રમુગ્ધ થઇ જૂઠાભાઈને સાંભળી જ રહ્યા અને આશ્ચર્યથી હિંગ થઈ આ નવયુવાન જૂઠાભાઇની વૈરાગ્યાંકિત મુદ્રા જોઈ જ રહ્યા ! વચ્ચે જૂઠાભાઇ શ્રીમદ્ સંબંધી કંઈ કહેવા જતા હતા પણ જરા ખચકાયા. એટલે કેમ ખચકાયા ? આવી અપૂર્વ જ્ઞાનની વાતા તમે કચાંથી જાણી ? એમ આગ્રહથી પૂછતાં જુડાભાઈએ શ્રીમદ્દની વાત કરી; અને શ્રીમદ્ આવા પરમ જ્ઞાનમૂર્ત્તિ-વૈરાગ્યમૂત્તિ સત્પુરુષ છે, એમ મુક્તકંઠે સ્તુતિ કરી, પાતા પર આવેલા શ્રીમદ્નના પત્રો તેમને વાંચી દેખાડ્યા, એટલે અબાલાલભાઇ વગેરેએ જાણે અચિંત્ય ચિંતામણિરત્નનિધાન જોવામાં આવ્યે હાય એમ એની નકલ કરી લીધી, અને તીવ્ર જિજ્ઞાસાથી પૂછ્યુ’-આ જ્ઞાની મહાત્માના દશનલાભ અમને કાં થાય ? આ વીતરાગી સત્પુરુષને સમાગમલાભ અમને કેવી રીતે થાય ? જૂઠાભાઇએ શ્રીમન્નું ઠેકાણું આપી આજ્ઞા લઇને મળવાની સૂચના કરી. એટલે જૂઠાભાઇની સૂચના પ્રમાણે અબાલાલભાઇએ દનલાલ માટે શ્રીમને મુંબઇ પત્ર લખી આજ્ઞા મંગાવી. આમ આજ્ઞા માટે પત્રવ્યવહાર શરૂ થયા. પાંચછ પત્ર પછી શ્રીમદે આવવાની હા કહી, ત્યારે ત્રિભાવનભાઈ સાથે અબાલાલભાઇ મુંબઇ ગયા, અને શ્રીમદ્ના દશનલાભ લીધા. ‘મુમુક્ષુના નેત્રા મહાત્માને એળખી લે છે” એ સૂત્રને ચરિતાર્થ કરતા આ મુમુક્ષુઓએ પ્રથમ દર્શને જ શ્રીમદ્ જેવા અલૌકિક મહાત્માને એળખી લીધા. શ્રીમમાં તેમને કાઇ અલૌકિક મહાત્માના દન થયા અને તેમના સમાગમલાભથી અત્યાન' થયા; અને આ ભાઇએમાં પણ શ્રીમને ચેાગ્ય ધમ જિજ્ઞાસુ જીવના દન થયા, અને તે પ્રમાણે શ્રી. જૂઠાભાઇ પરના ૧૯૪૬ માહ વદ ૨ ના (અ. ૧૦૪) પત્રથી જણાય છે: ખંભાતવાળા ભાઇ મારી પાસે આવે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy