SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દના પ્રથમ સતસંગી “સત્યપરાયણ જૂઠાભાઈ ૨૮૩ ખરે વૈરાગ્ય હતે. મિથ્યા વાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગને પરમ રાગી હતે, સંસારને પરમ જુગુસિત હતું, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદભુત સમતા હતી, મેહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એ એ જુઠાભાઈને પવિત્રાત્મા આજે જગતને, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયે. આ સહચારીઓથી મુકત થયે. ધર્મના પૂર્ણલાદમાં આયુષ્ય અચિતું પૂર્ણ ક્યું. અરે રે! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં કયાંથી સ્થિતિ હોય ? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનને લાભ અધિક કાળી તેમને થાય? મોક્ષમાર્ગને દે એવું સમ્યકપણું જેના અંતરમાં પ્રકાણ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હે! નમસ્કાર હે!” -–(શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૧૭) આમ જેનું “લૌકિક–દેહાશ્રયી જૂઠાભાઈ નામ દેહધારી દાખલ–આત્મા અપે– ક્ષાએ સત્ય-સાચું હતું,–જૂઠાભાઈ નામ ખરેખરા અર્થમાં જૂહું જ હતું,–જૂઠી નાશવંત દેહાશ્રિત નામથી કહેવાતા જૂઠાભાઈ સત્ય અવિનાશી દેહધારી”—આત્મામાં જ પરાયણ હોવાથી ખરેખરા “સત્યપરાયણ” હતા; આત્માની વૈરાગ્યમય દશાને લઈ મૂર્તિમાન વૈરાગ્યરૂપ જેને આત્મા “આત્મદશારૂપે ખરો વૈરાગ્ય’ હતું; “મોક્ષમાર્ગને દે એવું સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્રનું “સમ્યકપણું જેના અંતરમાં પ્રકાણ્યું હતું,”—એવા જૂઠાભાઈના દિવ્ય આત્માને કેવી ભવ્ય ભાવાંજલિ ! જગતના ઇતિહાસમાં અનન્ય એવી અમૃત (Immortal) મૃતિસ્મૃતિ–તખતીરૂપ (Epitaph) કે ટકેલ્કીર્ણ અમૃતલેખ! ચિરંજીવી ‘સત્યપરાયણ’ના આદર્શરૂપ અમૃત (Immortal, nectarlike) ગુણોનું ચિરકાળ મુમુક્ષુઓને સ્મરણ કરાવતો ચિરંજીવ સ્મારકરૂપ કે ચિરંજીવ કીર્તિસ્તંભ! અષાડ સુદ ૧૫ ૧૯૪૬ ના દિને શ્રીમદ્ બીજા એક મહાન મુમુક્ષુ અંબાલાલભાઈ પરના પત્રમાં (અં. ૧૧૮) ચિ. “સત્યપરાયણ જૂઠાભાઈને ઉત્તમત્તમ ગુણનું સ્મરણ કરતાં, ભરાઈ આવતા હૃદયે પરમ શેકપૂર્ણ ઉદ્ગાર કાઢે છે.– ચિ. સત્યપરાયણના સ્વર્ગવાસ સુચક શબ્દો ભયંકર છે. એવાં રત્નોનું લાંબું જીવન પરંતુ કાળને પોષાતું નથી. ધર્મેચ્છકને એ અનન્ય સહાયક માયાદેવીને રહેવા દેવો ગ્ય ન લાગ્યો. આ આત્માને આ જીવનને રાહસ્વિક વિશ્રામ કાળની પ્રબળ દૃષ્ટિએ ખેંચી લીધે; જ્ઞાનદૃષ્ટિથી શેકને અવકાશ નથી મનાતે તથાપિ તેનાં ઉત્તમોત્તમ ગુણે તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ મરણ થાય છે; વધારે નથી લખી શકતો. સત્યપરાયણના સ્મરણાર્થે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy