SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ અધ્યાત્મ રાજય થયા હોય તે તે શ્રી જૂઠાભાઈને દશવૈકાલિક સિદ્ધાંત પુનઃ મનન કરૂ છું. અપૂર્વ વાત છે,' એમ જે દશવૈકાલિકને શ્રીમદે જૂઠાભાઈ પરના પત્રમાં ( અં. પ૯) પરમાદરથી ઉલ્લેખ કર્યો છે તે દશવૈકાલિક સૂત્રના કર્તા શષ્યભવસૂરિએ પેાતાના પુત્ર મનક મુનિનું આયુષ્ય અલ્પ જાણી નિષ્કારણુ કરુણાથી તેના માટે ખાસ આ રચના કરી હતી એ વાર્તા સુપ્રસિદ્ધ છે. તેમ નિષ્કારણુ-કરુણારસસાગર પરમકૃપાળુ શ્રીમદ્ પણ જાણે જૂઠાભાઈનુ અલ્પાયુ જાણી પેાતાના આ પરમ શિષ્યને ઘેાડાવખતમાં જેટલેા બને તેટલેા સમાગમલાભ આપી દેવા તત્પરતા દાખવી હાય એમ સહેજ જણાઈ આવે છે. 6 અને છેવટની ઘડી પણ આવી વ્હેાંચી, એવા વખત હશે તે અને જ્ઞાનીદૃશ્ય હશે તે જરૂર આગળથી કેાઇ જણાવશે કે પહેાંચી વળશે-' એ શ્રીમદ્દે આપેલ કાલ પ્રમાણે અગાઉથી ચેતવવાની ક્ષણ પણ આવી પહેાંચી. સ. ૧૯૪૬માં શ્રી જૂઠાભાઇની શરીરપ્રકૃતિ ઉત્તત્તર ક્ષીણ થતી જતી હતી. શ્રીમરે જૂઠાભાઈના દેહાત્સગ દિનથી એ માસ પૂર્વે પાતાના જ્ઞાનમળથી જાણી પેાતાની દૈનિક નોંધમાં (Diary) વૈશાખ સુદ ૩ ના દિને નોંધ કરી છે કે—આ ઉપાધિમાં પડચા પછી જો મારૂ લિંગદ્વેષજન્ય જ્ઞાન દર્શોન તેવું જ રહ્યું હાય,–યથાર્થ જ રહ્યું હેાય તેા જૂઠાભાઈ અસાડ સુદિ ૯ ગુરુની રાત્રે સમાધિશીત થઇ આ ક્ષણિક જીવનના ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે.’ આ અંગે ઘણું કરી સીધી-આડકતરી અગમચેતીરૂપ ચેતવણી- આત્મજાગૃતિ (alertness) તેમણે જૂડાભાઈને આપી દીધી હશે, એમ જણાય છે. કારણ કે પરમ વૈરાગ્યમાં ઝીલતા જૂઠાભાઈ તે અ ંતિમ આરાધના માટે–સમાધિમરણ માટે કેવા સાવધાન (alert) થઈ ગયા હતા, તે અશાડ શુદ ૪ના દિને શ્રીમદે જૂઠાભાઈ પર લખેલા આ પત્ર પરથી સ્વયં જણાઈ આવે છે તમારા પ્રશસ્ત ભાવ માટે આનંદ થાય છે. ઉત્તરાત્તર એ ભાવ તમને સફ્ળદાયક થાએ. ઉત્તમ નિયમાનુસાર અને ધર્મ ધ્યાન પ્રશસ્ત વર્તન કરજો, એ મારી વારંવાર મુખ્ય ભલામણ છે. શુદ્ધભાવની શ્રેણિને વિસ્તૃત નથી કરતા એ એક આનદકથા છે.' (અં. ૧૧૪) શુદ્ધભાવની શ્રેણિને વિસ્તૃત નહિં કરતા મહામુમુક્ષુ જૂઠાભાઈના દિવ્ય આત્મા, શ્રીમદ્દે બે માસ પૂર્વે કરેલી આગાહી પ્રમાણે, સમાધિશીત થઈ અશાડ શુદ ૯ ના દિને(દિવસે) આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી ગયા. મહાખેદજનક ખબર મળતાં પરમ શેાકમગ્ન થયેલા શ્રીમદ્ અશા શુદ ૧૦ ના દિને (અ’. ૧૧૭) લખે છે—લિંગદેહજન્ય જ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત્ ફેર થયે જણાયા. પવિત્રાત્મા જૂડાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વગČવાસી થયાના આજે ખબર મળ્યા. એ પાવન આત્માના ગુણાનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઇ ગણાય જ કેમ ?’ આમ ચીરાઈ જતા હૃદયે પરમ પરમા ખેદ દર્શાવતા શ્રીમદ્ન તેમના અવિસ્મરણીય ગુણાનું પરમ રામાંચિત ભાવે સ્મરણ કરતાં ‘સત્યપરાયણ ' જૂડાભાઈના દિવ્ય આત્માને પરમ ભવ્ય અંજલિ અર્પે છે ·6 એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતુ,--એ આત્મદશારૂપે -
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy