SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ અધ્યાત્મ રાજચંદ્ર કર્યા. શ્રીમદ્રના સંસર્ગથી જૂઠાભાઈને પણ તે વિચારેનું ગ્રાહ્યપણું જણાયું અને તે જિનભક્તિ કરવા લાગ્યા, પણ તેમના કુટુંબીજને તે કુલ સંપ્રદાયની માન્યતામાં હજુ દઢ હતા અને તે કુલધર્મના થાંભલા ગણાતા. એટલે તેઓ અને કુલધર્મના તે બીજા અનુયાયીઓ શ્રીમદ્દ પ્રત્યે અને જૂઠાભાઈ પ્રત્યે કટાક્ષ દૃષ્ટિથી અથવા ઉપેક્ષા દષ્ટિથી જેવા લાગ્યા અને જેસંગભાઈ આદિના અપવાદ શિવાય કઈ કઈ તે તેમની નિંદા કરવા લાગ્યા. તેથી કમળયી ભાવનાશીલ ભક્તિમાન જૂઠાભાઈના પવિત્ર આત્માને બહુ લાગી આવતું અને શ્રીમદ્દ પ્રત્યે તે ખેદ જણાવતા. શ્રીમદ્દ તેમને ખૂબ ધીરજ રાખવાનું અને ખેદ ન કરવાનું સૂચવતા. “જગને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું” એ સુપ્રસિદ્ધ અમર સુભાષિતથી શરૂ થતા અમર પત્રમાં (અં. ૩૭) આ સત્યાભિલાષી જૂઠાભાઈને શ્રીમદ્દ ટંકેત્કીર્ણ વચનામૃત લખે છે કે – જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન ક્યું; તેથી રૂડું થયું નથી, કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંતભવનું સાટું વળી રહેશે એમ હું લધુત્વભાવે સમજ છું અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન, પર્દાથ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા એજ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જેવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જે બંધનરહિત થત હાય, સમાધિમય દશા પામતે હેય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ—અપકીર્તિથી સર્વકાળને માટે રહિત થઈ શકાશે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારે મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં સ્મત છે, પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજે. મારે માટે કઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજે; તે એને માટે કંઈ શોક હર્ષ કરશે નહી ૪ ૪ આ તમારા માનેલા મુરબ્બી માટે કઈ પણ પ્રકારે હર્ષ–શોક કરશે નહી. તેની ઈચ્છા માત્ર સંક૯૫વિકલ્પથી રહિત થવાની જ છે, તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું વળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારે બંધાય કે બેલાય, તે ભણું હવે જવા ઈચ્છા નથી. ૪ ૪ હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશે નહી.” આ અમૃતપત્ર પરથી સમજાય છે કે કુલસંપ્રદાયવાદી કેટલાકએ તે વખતે શ્રીમદની ઉપેક્ષા કરી હશે. જો કે પાછળથી તો શ્રી જૂઠાભાઈના વડિલ ભ્રાતા જેસંગભાઈને તે વખતે ઉપેક્ષા કરવાની પોતાની ભૂલ માટે અને શ્રીમદને પરમાર્થ લાભ નહિં લઈ શકવાને માટે પારાવાર ખેદ થયા. શ્રીમદ્ અંગેની પોતે લખાવેલી પિતાની પરિચય ધમાં તે ખુલ્લો એકરાર કર્યો, અને પછી તે તેઓ પણ જાણે પિતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરતા હોય એમ શ્રીમદ્દના અનન્ય ભક્ત અનુયાયીઓમાંના એક બની ગયા. તે પણ તે વખતે તે તે અપૂર્વ લાભથી વંચિત રહ્યા. પણ જૂઠાભાઈ તે પરમ ધન્યઆત્મલાભ પામી ગયા. તે એટલે સુધી કે મહામુમુક્ષુ જૂઠાભાઈ શ્રીમદને પિતાના
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy