________________
૨૭૬
અધ્યાત્મ રાજચંદ્ર આત્મા અધિક વિકલ્પી થાત (સર્વને માટે વિકલ્પીપણું નહીં, પણ એક હું પિતાની અપેક્ષાએ કહું છું) અને વિકલ્પાદિક કલેશને તો નાશ જ કરવા ઈચ્છો હતો, એટલે જે થયું તે કલ્યાણકારક જ; પણ હવે શ્રીરામને જેમ મહાનુભાવ વસિષ્ઠ ભગવાને આ જ દેષનું વિસ્મરણ કરાવ્યું હતું તેમ કોણ કરાવે ? અર્થાત્ શાસ્ત્રને ભાષાભ્યાસ વિના પણ ઘણો પરિચય થયો છે, ધર્મના વ્યાવહારિક જ્ઞાતાઓને પણ પરિચય થયો છે, તથાપિ આ આત્માનું આનંદાવરણ એથી ટળે એમ નથી, માત્ર સત્સંગ સિવાય, સમાધિ સિવાય, ત્યાં કેમ કરવું ? આટલું પણ દર્શાવવાનું કોઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યોદયે આપ મળ્યા કે જેને એ જ રોમેરોમે રુચિકર છે.”
આ છેલ્લા પત્ર પરથી સમજાય છે કે શ્રીમદ્ મનઃસુખરામ સૂર્યરામને કિંચિત્ પિતાનું હૃદય દર્શાવવાનું સત્પાત્ર સ્થળ માનતા, એટલે સુધી આ બન્નેને પરમાર્થ સંબંધ ગાઢ બન્યો હતો. શ્રીમદ્દ જેવા જ્ઞાનદિવાકર પાસેથી દિવ્ય જ્ઞાનકણ ઝીલવાનું ધન્યપણું પામનારાઓમાં એક મનઃસુખરામ સૂર્યરામનો આવો હતો શ્રીમદ્દ સાથે પરમાર્થ સંબંધ !
પ્રકરણ છેતાલીશમું શ્રીમદ્ભા પ્રથમ સત્સંગી “સત્યપરાયણું જૂઠાભાઈ
શ્રીમદના સર્વ સત્સંગીઓમાં પ્રથમ સત્સંગી હોવાનું માન “સત્યપરાયણ” જૂઠાભાઈને ઘટે છે; શ્રીમદ જેવા પરમ સંતશિરોમણિના સત્સંગને અનુપમ આત્મલાભ પામવાનું પરમ ધન્યપણું પ્રાપ્ત કરનાર પ્રથમ મહામુમુક્ષુ શ્રી જૂઠાભાઈ છે. જોકે શ્રી ધારશીભાઈને પણ આથી પહેલાં શ્રીમનો પરિચય થયે છે, પણ તે હજુ આવા વિશિષ્ટ સત્સંગભાવને નહિ. સત્સંગી મુમુક્ષુઓ પ્રત્યેના શ્રીમદ્દના પત્રવ્યવહારમાં પણ પ્રથમ પત્ર આ પ્રથમ સત્સંગી જૂઠાભાઈ પરનો જ દશ્ય થાય છે. શ્રીમદે પિતાના કવિકલ્પના સ્પર્શથી જુઠાભાઈને નામ પલટો કરી “સત્યપરાયણ બનાવી દીધા, એટલું જ નહિ પણ પિતાની પરમ પરમાર્થરંગી આત્મદશાના જાદૂઈ સ્પર્શથી પરમાર્થ થી ખરેખરા “સત્યપરાયણ બનાવી દીધા. પરમ મુમુક્ષુ ધર્મમૂર્તિ શ્રીમદ્દ જેવા પારસમણિને સ્પર્શ થયે ને જુઠાભાઈ સાચા મુમુક્ષુ-સાચા ધર્મપ્રેમી બની ગયા. એટલે જ જૂઠાભાઈ શ્રીમદને પિતાના ધર્મજન્મદાતા ધર્મપિતા” ગણતા અને સંબોધતા; શ્રીમદ્ પણ જૂઠાભાઈને પોતાના ધર્મપુત્ર “ચિ.” ગણી તેવા પ્રકારે સંબોધતા. શ્રી જૂઠાભાઈને ભવ્ય આત્મા શ્રીમદ્દના સત્સંગને ધન્ય આત્મલાભ પામી મહામુમુક્ષુ કેમ બન્યું તેને રસપૂર્ણ ઇતિહાસ આ પ્રકરણમાં રજૂ કરશું.
જઠાભાઈને જન્મ સં. ૧૨૩ના કાર્તિક સુદ ૨ ને દિને થયા હતાતેમને