SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને શ્રીમદ સત્સ ગપ્રસંગ ૨૭૫ પાધિને લીધે પાર પડી શકતી નથી. પણ પ્રત્યક્ષે સત્પદની સિદ્ધિ આત્માને થાય છે; આ વાર્તા તે સમ્મત જ છે અને ત્યાં કંઈ વય-વેષની વિશેષ અપેક્ષા નથી.” અને આ પરમાર્થ સંબંધ ગાઢ બનતાં, ૧૯૪૬ના અષાડ વદ ૦))ના દિને મનઃસુખરામ સૂર્યરામ પર લખેલા પત્રમાં (અં. ૧૨૬) તે શ્રીમદે પિતાનું હૃદય ખેલ્યું છે અને પિતાની ધારેલી જીવનપ્રણાલિકા ખુલ્લી કરી છે. આ પરમાર્થ સત્સંગી પ્રત્યે લખાયેલા આ છેલ્લા પત્રમાં શ્રીમદની અંતર્દશાનું દર્શન થાય છે અને શ્રીમદના અંતર્જીવન પર ઘણે પ્રકાશ પડે છે. શ્રીમદના હૃદયદર્પણરૂપ આ પત્રમાં પ્રથમ શ્રીમદ્ આ વિષમ કાળ સંબંધી અને સત્પાત્ર સત્સંગીના અભાવસંબંધી પિતાની અંતર્વેદના ઠાલવે છે-“જ્ઞાનીઓએ કપેલે ખરેખર આ કળિકાળ જ છે. જનસમુદાયની વૃત્તિઓ વિષયકષાયાદિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. રાજસીવૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. તાત્પર્યવિવેકીઓની અને યથાયોગ્ય ઉપશમપાત્રની છાયા પણ મળતી નથી. એવા વિષમકાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી, કહેવાનાં પાત્રોની પણ ખામી છે; ત્યાં હવે શું કરવું?” આમ અંતર્વેદના વ્યક્ત કરી પોતાની વ્યવહારપ્રવૃત્તિનો ખેદ દર્શાવે છે—જે કે યથાયોગ્ય ઉપશમભાવને પામેલે આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે, એટલે અપ્રતિબદ્ધપણે વિચારી શકે છે, પણ આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેને અભ્યાસ છે, ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે ? જેની નિરુપાયતા છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે.” આમ પિતાને નિશ્ચય દર્શાવી પિતાની જીવનધારણા અંગે લખે છે – પરંતુ જીવન પૂર્ણ થતાં પહેલાં યથાયોગ્યપણે નીચેની દશા આવવી જોઈએ. (૧) મન, વચન અને કાયાથી આત્માનો મુકતભાવ, (૨) મનનું ઉદાસીનપણે પ્રવર્તાન. (૩) વચનનું સ્યાદ્વાદપણું (નિરાગ્રહપણું). (૪) કાયાની વૃક્ષદશા. (આહાર-વિહારની નિયમિતતા). અથવા સર્વ દેહની નિવૃત્તિ; સર્વ ભયનું છૂટવું અને સર્વ અજ્ઞાનનો નાશ. - આને માર્ગ છે તે બા. લખે છે-“અનેક પ્રકારે સંતએ શાસ્ત્રવાટે તેને માર્ગ કહ્યો છે, સાધને બતાવ્યાં છે, ગાદિકથી થયેલે પિતાને અનુભવ કહ્યો છે; તથાપિ તેથી યથાયોગ્ય ઉપશમભાવ આવ દુર્લભ છે. તે માર્ગ છે; પરંતુ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. ઉપાદાનની બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ. તે નથી.” આમ કહી શ્રીમદ્દ છેવટ પિતાના જીવનની રહસ્યભૂત વાત લખે છે – શિશુવયમાંથી જ એ વૃત્તિ ઊગવાથી કઈ પ્રકારનો પરભાષાભ્યાસ ન થઈ શકો. અમુક સંપ્રદાયથી શાસ્ત્રાભ્યાસ ન થઈ શક્યો. સંસારના બંધનથી ઈહાપભ્યાસ પણ ન થઈ શક્યો; અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણ નથી. એથી
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy