________________
પ્રકરણ પીસ્તાલીશમું મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને શ્રીમદ્ભા સત્સંગપ્રસંગ
જ્ઞાનદિવાકર શ્રીમદના આ સત્સંગીઓમાં આપણે પ્રખર વેદાંતી મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના શ્રીમદ્દ સાથેના સત્સંગપ્રસંગને પ્રથમ ઉલ્લેખ કરશું. શ્રીમદ્ જેવી મહાજ્ઞાનવિભૂતિના અનુપમ સત્સંગને આત્મલાભ પ્રારંભમાં પામનારા ધન્ય મહાજનેમાં આ એક હતા. તેમને અને શ્રીમદને સમાગમ કેવી રીતે થવા પામ્યો અને વૃદ્ધિ પામ્યો? મધ્યસ્થતા-નિષ્પક્ષપાતતામાં જેની જોડી જડવી દુર્લભ છે એવા શ્રીમદે જેથી આત્મત્વ પમાય તે સાચો માર્ગ એમ મધ્યસ્થ નિરાગ્રહભાવે નિવેદન કરી, તે આત્મત્વ પમાડવા મહાવીરને માર્ગ કે સમર્થ છે એ અંગેનો પિતાને અનન્ય નિશ્ચય આવા પ્રખર વેદાંતીને પણ પ્રતીતિ ઉપજાવે એવી અદ્ભુત વિચક્ષણતાથી કેવી સચોટ રીતે પ્રતિપાદિત કર્યો? પુનર્જન્મ બા. કદાચિત્ કથંચિત કિંચિત્ સાશક આ પ્રખર વેદાંતીને પણ આગમથી અનુમાનથી અને અનુભવથી શ્રીમદે પુનર્જન્મનો નિશ્ચય કેવી અજબ પરમાર્થ કુશળતાથી કરાવી આપે ? અંતરંગ નિગ્રંથશ્રેણીમાં પ્રવર્તતી પિતાની આત્મદશા અંગે માર્મિક નિર્દેશ શ્રીમદે આ કિંચિત્ પિતાના હદયજ્ઞ પ્રત્યે કેવી સ્ફટિક જેવી સ્વચ્છ અપૂર્વ નિખાલસતાથી કર્યો?—તેનું દિગદર્શન આ પ્રકરણમાં કરશું.
આ પ્રખર વેદાંતી મનસુખરામ સર્યરામ ત્રિપાઠી સાક્ષરપ્રસુ-સાક્ષરભૂમિ નડિયાદના વતની રાજમાન્ય લોકમાન્ય સુપ્રતિષ્ઠિત વયેવૃદ્ધ નાગર ગૃહસ્થ હતા; સાક્ષરસમ્રાટ્ર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીને કાકા આ મનઃસુખરામ સૂર્યરામ પણ અઑદય–ગોકુલજી ચરિત્ર આદિ ગ્રંથના વિદ્વાન લેખક તરિકે જાણીતા સાક્ષર હતા. શતાવધાનાદિ ચમત્કારિક પ્રયોગથી અને અદ્ભુત સાહિત્યકૃતિથી દિગદિગંતમાં વ્યાપેલી શ્રીમદૂની કીર્તિ સાહિત્યજગતમાં પ્રસરી જઈ તેમના કર્ણપથે અથડાઈ હતી, એટલે આ અદ્ભુત વ્યક્તિવિશેષ કોણ છે? એમ તેમને શ્રીમદ્દ પ્રત્યે સહજ આકર્ષણ તો થયું જ હતું. ત્યાં તેમને તેમનસુખરામ સૂર્યરામને) કોઈ કાર્યપ્રસંગે કચ્છ જવાનો પ્રસંગ બન્ય, એટલે વચ્ચે વવાણીઆમાં શ્રીમદનું મિલન થવાને સહજ પ્રસંગ અનાયાસે બની આવ્યો. આમ ૧૯૪૫ના ફાગણની આખરે વા ચૈત્રની શરૂઆતમાં મનઃસુખરામ સૂર્યરામ શ્રીમદના પ્રથમ સમાગમમાં આવ્યા હતા, અને તેમાં “ધર્મસંબંધી કેટલીક મુખચર્ચા થઈ હતીતેનું સ્મરણ કરાવી પરમ વિનય વિવેકસંપન્ન માર્દવમૂર્તિ શ્રીમદ ૧૯૪પના છે. શુ. ૬ ના પત્રમાં (અં. ૬૧) મનસુખરામ સૂ ને લખે છે—ધર્મ સંબંધી માધ્યસ્થ, ઉચ્ચ અને અદંભી વિચારોથી આપના પર કંઈક મારી વિશેષ પ્રશસ્ત અનુરક્તતા થવાથી કઈ કઈ વેળા આધ્યાત્મિક શિલી સંબંધી પ્રશ્ન આપની સમીપ મૂકવાની