________________
૨૬૮
અધ્યાત્મ રાજચંદ્ર
સુધી જ શ્રીમના સમાગમલાભ રહેવા પામ્યા હતા, એટલે તેમના પરના જોકે સાત-આઠ પુત્ર જ પ્રાપ્ત થવાનું બન્યું છે, તાપણ તે ઉત્તમ કેાટિના તાત્ત્વિક પરમાથી પત્રોમાં આપણને શ્રીમની અંતર્દશાનું દર્શન થાય છે. અને તે જ નામધારી મનઃસુખભાઈ કિરદ મહેતા-જેમને પરમ વિશ્વાસપાત્ર ગણી શ્રીમદ પેાતાની મેાક્ષમાળામાં શબ્દાંતર વાયાંતર કરવા સુધીના અખત્યાર (Power of attorney) આપ્યા હતા—તેમણે શ્રીમની સાથેના પેાતાના સમાગમલાભની નોંધ યથાવત્ જાળવી રાખી આપણને આપી છે, એટલે એમના પરના લગભગ ૩૦ પત્રાંક આપણને મળવા પામ્યા છે. તેમ જ-શ્રી પોપટલાલભાઈ તથા શ્રી ધારશીભાઇ પરના પણ કેટલાક તાત્ત્વિક ઉપકારી પત્રા આપણને પ્રાપ્ત થયા છે. અને મહાત્મા ગાંધીજી પરના શ્રીમના ઉપલબ્ધ ત્રણપત્રામાં પણ ગાંધીજીના ૨૭ પ્રશ્નોના અદ્દભુત સં સમાધાનકારી ઉત્તરેથી ગાંધીજીને માદર્શન કરાવતા શ્રીમદ્નની વિશ્વવિશાળ (Universal) વિશિષ્ટ તત્ત્વવિચારધારાનું આપણને દન થાય છે.
આમ સમગ્રપણે જોતાં આ મુમુક્ષુએ પ્રત્યેના શ્રીમન્ના પત્રાએ શ્રીમના પત્ર સાહિત્યના બે તૃતીયાંશથી પણ અધિક અને પરમ અગત્યના ભાગ રાકચો છે. શેષ ભાગ ખીજા મુમુક્ષુએ પ્રત્યેના પત્રાએ રોકયો છે; અને આમ મુખ્યપણે આ વિશિષ્ટ મુમુક્ષુમ'ડલની ને ગૌણપણે ઇતર મુમુક્ષુમ`ડલની ગુરુપ્રસાદીરૂપે જગદ્ગુરુ શ્રીમનું આ જગના ઇતિહાસમાં ઉત્તમેાત્તમ પત્રસાહિત્ય જગતને પ્રાપ્ત થવા પામ્યું છે,—જે સદ્ગુરુપ્રસાદ જગતને ચખાડનારા સ` તે મુમુક્ષુએ ધન્ય છે! સ તે નમાઁસ્ય છે! સવ' તે વદ્ય છે! શ્રીમદ્દ જેવા પરમ જ્ઞાનભાસ્કર પાસેથી પત્ર વાટે પરોક્ષપણે અને *સમાગમઢારે સાક્ષાત્પણે દિવ્ય જ્ઞાનપ્રકાશની કણિકાએ ઝીલી જગમાં ફેલાવવાનું નિમિત્ત બનનારા આ સ` મુમુક્ષુમાંડલનું જગત્ કેટલું બધું ઋણી છે ? અને તે દ્વારે કથચિત કિંચિત્ ઓળખાતા-કંઇક પ્રતિભાસમાન થતા તે પરમ જ્ઞાનભાસ્કરનું— જ્ઞાનદિવાકર શ્રીમનું જગત્ કેટલું બધું-કેટલું બધું ઋણી છે ?
*શ્રીમના આ સત્સંગીઓ પૈકી કેટલાકના—મનઃસુખરામ સૂ`રામ, જૂડાભાઈ, અંબાલાલભાઈ, લલ્લુજી મુનિ–દેવકરણુજી મુનિ સૌભાગ્યભાઈના શ્રીમદ્ સાથેના સત્સંગપ્રસંગનું આલેખન હવે પછીના પાંચ પ્રકરણેામાં અનુક્રમે કર્યુ છે. ધારશીભાઈ અંગે પૂર્વ કહેવાઈ ચૂકયું છે; અને પેાલાલભાઈ, મનઃસુખભાઈ કિરચંદ, ગાંધીજીના શ્રીમદ્ સાથેના સત્સંગપ્રસંગનું આલેખન અલગ પ્રકરામાં આ ગ્રંથના ઉત્તરાર્ધમાં બીજા તબક્કામાં યથાસ્થાને આપવામાં આવશે,