________________
જ્ઞાનદિવાકર શ્રીમન્ના સત્સંગીઓ
૨૬૭
છગનલાલ, મનસુખભાઈ દેવશી, કૃષ્ણદાસ આદિ મુમુક્ષુજના હતા. આ મુમુક્ષુમંડલી પણ યથાશકિત ચથાવ્યક્તિ તે તેજકિરણા ઝીલી . યથાભક્તિ પેાતાની આસપાસના મુમુક્ષુ-માંડલિકામાં તે કરણેા ફેલાવતી હતી. આમ શ્રીમદ્ જેવી એક મહાવિભૂતિની આસપાસ વ્યકતાવ્યક્તપણે એક વિશિષ્ટ મુમુક્ષુઓનું—આત્માથી એનું ઉત્તમ વસ્તુલ ઊભું થઈ ક્રમે ક્રમે વિસ્તરતું જતું હતું.
આખા જગત્ના ઇતિહાસમાં અનન્ય અમર (Immortal-nectarlike) એવું શ્રીમદ્નનું પરમ વિશિષ્ટ પત્રસાહિત્ય મેળવવા આપણે ભાગ્યશાળી અન્યા છીએ તે માટે આ સ† મુમુક્ષુ મહાજનનું જગત્ ઋણી છે. જો આ મુમુક્ષુઓનું નિમિત્ત ન બન્યું હેાત તે શ્રીમદૂના પરમાર્થ સાહિત્યના આ પરમ વિશિષ્ટ અંગરૂપ પત્રસાહિત્યનું ઉત્થાન પણ ન થવા પામ્યું હેત. તેમાં પણ સૌથી વધારે ૠણ તે પૂ. શ્રી સૌભાગ્યભાઈનું છે, જેના ઉપરના ઉત્તમેાત્તમ પત્રામાં શ્રીમની આભ્યંતર આત્મદશાનું દર્શન આપણને થાય છે. એ ન હેત તે। શ્રીમદ્ જેવા પરમ જ્ઞાનીની ઊર્ધ્વ ગામિની આત્મદશા કેવી ઉન્નત કેાટિમાં વિહરતી હતી અને ઉત્તરાત્તર વધતી જતી હતી તેની ઝાંખી પણ આપણને ન થાત, તેના ખ્યાલ સુદ્ધાં આપણને ન આવત. વળી શ્રીમદ્નના પરમાર્થાપયેાગી પત્રાના માટે ભાગ (Lion's Share) અને તે પણ ઉત્તમાત્તમ મોટામાં મોટા પત્રાના માટે ભાગ — લગભગ ૪૦ ટકાથી પણ વધારે શ્રી સૌભાગ્યભાઈ પર જ લખાયેલા છે; અને આ પત્રામાં જ શ્રીમદે પેાતાના હૃદયજ્ઞ આ પર્મ પાસુ પાસે જ સ્વઆત્મદશા સંબંધી પેાતાનું હૃદય ખાલ્યું છે. ઠાલવ્યું છે, એટલે મુમુક્ષુજગત્ પર સર્વાંથી પ્રથમ ને મેટામાં માટે ઉપકાર શ્રી સૌભાગ્યભાઇના છે.
-
બીજો ઉપકાર શ્રી અંબાલાલભાઇના માનવા ઘટે છે. શ્રીમના અનન્ય ભક્ત આ ભક્તશિરોમણિ મહામુમુક્ષુ પર પણ શ્રીમના કેટલાક ઉત્તમ પત્રા લખાયેલા છે તેથી, તેમજ આ જ મહામુમુક્ષુએ જાદે જાદે સ્થળેથી શ્રીમદ્નના પરમાર્થાપયેાગી પત્રોની એકત્ર સંગ્રહણી અને અનન્ય ભક્તિથી એકનિષ્ઠ જાળવણી કરી એ અમૂલ્ય જ્ઞાનવારસા આપણે માટે સજન સુલભ બનાવી આપ્યા છે તેથી, જગત્ આ મહામુમુક્ષુનું પણ તેટલું જ ઋણી છે. શ્રી લલ્લુજીમુનિ પર પણ શ્રીમના કેટલાક ઉત્તમ ઉપયેાગી ઉપકારી પત્રો લખાયા છે; અને સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તેા સૌભાગ્યભાઈ પર લગભગ ૨૨૫ પત્રો, અંબાલાલભાઇ પર ૧૨૫ પત્રો, લલ્લુજીમુનિ પર ૯૦ પત્રો લખાયા છે, એટલે એમને નખર ત્રીજો આવે છે. આ લલ્લુજી મુનિ જે અંબાલાલભાઈના શુભ નિમિત્ત થકી શ્રીમના સમાગમલાભના સુયેાગ પામ્યા, તે ખાલાલભાઈને પણ જેના મૂળ નિમિત્ત થકી જ શ્રીમા સત્સ`ગલાભ પામવાના ધન્ય ચેાગ બન્યા, તે જૂઠાભાઈ તેા શ્રીમદ્નના આદ્ય સત્સંગી અને પ્રથમ મહામુમુક્ષુ હાવાનું માન પામ્યા જ છે, પણ દુર્ભાગ્યે એમના દેહ માત્ર ત્રેવીશ વર્ષોંની ચુવાનવયે ૧૯૪૬ માં પડી ગયા હેાવાથી પ્રારંભમાં જ ઘેાડા પત્ર (લગભગ ૨૫) એમના પરના હેાવાનું શકય બન્યું છે.
અને શ્રી મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને પણ પ્રાર’ભમાં જ—૧૯૪૫થી ૧૯૪૬