SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ અધ્યાત્મ રાજચંદ્ર પેાતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષા, (આત્માએ), ઘણા પદાર્થા તેની સમીપે આવ્યા. એમાં કોઇ જડ પદાર્થ હતા નહીં. કેાઇ એકલા આત્મા જોવામાં આન્યા નહીં. માત્ર કેટલાક દેહધારીએ હતા; જેએ મારી નિવૃત્તિને માટે આવ્યા હાય એમ તે પુરુષને શ'કા થઇ. ' તેમાં— વાયુઆદિ એકેન્દ્રિય તથા એઇન્દ્રિય જીવા આવ્યા નહેાતા. કારણ અંતચક્ષુથી જોયું તે દુઃખથી બિચારાં પરાધીન હતા; તેના કંપ, તેને થરથરાટ, પરાધીનપણું, ઇત્યાદિક ોઇ શકાય તેવું નહેાતું, તે બહુ દુ:ખી હતાં.' એ જ ચક્ષુથી આખુ જગત્ જોયું તેા ચક્રવŠદિક દુઃખી દેખાયા. ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કરી જોયું તે —તેનું અંતઃકરણ અહુ દુ:ખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દારીને ગળી જતેા હતેા. હાડમાંસમાં તેની વૃત્તિ હતી. કાંકરામાં તેની પ્રીતિ હતી. ક્રોધ, માનના તે ઉપાસક હતા. બહુ દુઃખ —.’ દેવાનું દર્શીન પણ દુઃખી દેખાયું. ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરી જોયું તે- તે પણ પરમ દુઃખી હતા. બિચા ચવીને કોઇ ખીભત્સ સ્થળમાં જન્મવાના હતા માટે ખેદ કરતા હતા. તેનામાં સભ્યકૂદૃષ્ટિ નામની દેવી વસી હતી. તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેનાં ખીજાં ઘણાંય અવ્યક્ત દુઃખ હતાં.' આમ જગમાં સર્વત્ર દુઃખ દુઃખ ને દુઃખ જ દેખાયું. પણ ત્યાં નેપથ્યમાં ધ્વનિ ઊઠે છે— ‘આ જડ એકલા કે આત્મા એકલા જગત્માં નથી શુ ? તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. જડને જ્ઞાન નહીં હાવાથી તમારૂ` આમંત્રણ તે બિચારાં કચાંથી સ્વીકારે ? સિદ્ધ (એકાત્મભાવી) તમારૂં આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેની તેમને કંઈ દરકાર નથી. એટલી બધી બેદરકારી ? આમંત્રણને તે માન્ય કરવું જોઇએ; તમે શુ' કહેા છે ? એને આમ ત્રણ–અનામત્રણથી કઈ સંબંધ નથી. તેઓ પરિપૂર્ણ સ્વરૂપસુખમાં વિરાજમાન છે. એ મને બતાવા. એકદમ-અહુ ત્વરાથી. તેનું દન ખડ઼ે દુર્લભ છે. લ્યા આ અંજન આંજી દર્શીન પ્રવેશ ભેળાં કરી જુએ. અહા ! આ બહુ સુખી છે. એને ભય પણ નથી. શાક પણ નથી. હાસ્ય પણ નથી. વૃદ્ધતા નથી. રોગ નથી. આધિયે નથી, વ્યાધિયે નથી, ઉપાધિચે નથી, એ બધુંય નથી. પણ........ અનંત અનંત સચ્ચિદાન ંદસિદ્ધિથી તે પૂર્ણ છે. આપણને એવા થવું છે.’ આમ ચક્રવર્તી ઇન્દ્રાદિ પયંત આખું જગત્ દુ:ખી દેખી, અને પરિપૂર્ણ સ્વરૂપસુખમાં વિરાજમાન મુક્ત આત્માઓને આધિ વ્યાધિ આદિ દુઃખાથી રહિત અન ંત અનંતસચ્ચિદાનંદ સિદ્ધિથી પૂ પરમ સુખી દેખી, સિદ્ધાંજનથી સાક્ષાત્ દીઠેલું તે સિદ્ધપદ પેાતાને અત્યંત ગમી જવાથી તે મહાવીરપુરુષની (શ્રીમદ્ની) સહજ ઊર્મિ ઉલ્લસી આવી આ સહજ સ્વયંભૂ ઉદૂંગાર નિકળી પડયા છે— આપણને એવા થવું છે.’આ સીધા સાદા અમર શબ્દોમાં શ્રીમદ્નના દિવ્ય આત્માની અનુપમ મેાક્ષસુખ માટેની અનન્ય તમન્ના-અનન્ય તાલાવેલી દેખાઇ આવે છે, અને તે પ્રાપ્ત કરવાના વજ્રલેપ દૃઢુ અનન્ય આત્મનિશ્ચય સ્વય' જણાઇ આવે છે,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy