SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ત્રેતાલીશમું મોક્ષની અનન્ય તમન્ના “માત્ર મોક્ષની ઈચ્છા મન વિષે, બીજી કોઈ ગમે નહિં વાત... જીવ્યું ધન્ય તેહનું.” આવા અનન્ય સંગતિશયને લીધે જ પરમ વૈરાગ્યરંગી શ્રીમની મોક્ષ માટેની તમન્ના અનન્ય હતી, અનંત ભવબંધનથી છૂટવારૂપ મોક્ષની ધગશ અતિશય હતી. અનંતકાળના આ પરિભ્રમણદુઃખથી કેમ છૂટાય ? “અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય?’– આ કેન્દ્રસ્થ વિચાર પર શ્રીમદે ઘણું ઘણું તત્ત્વમંથન કર્યું છે, એને તાગ લેવા શ્રીમદ્દ ખૂબ ખૂબ ઝૂર્યા છે, અને એના નિર્ણયરૂપ તત્વનવનીત પામી અનંતભવનું પરિભ્રમણદુઃખ એક ભવમાં ટાળવાના ને મોક્ષ મેળવવાના અનંતગુણવિશિષ્ટ અનુપમ પરમ પુરુષાર્થમાં લાગ્યા છે, એ જ શ્રીમદૂની સંગતિશયજન્ય મોક્ષની અનન્ય તમન્નાનું પ્રત્યક્ષ પ્રમાણ છે; એટલે જ સંસારથી કંટાળેલા–ઊભગેલા અને મોક્ષ માટે તલસતા આ પરમ વૈરાગી પરમ સંવેગી સાધુચરિત સાધુપુરુષનું વચન નિકળી પડયું છે કે–“સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે.” (અં. ૮૬) તેમજ–“જગતું અને મોક્ષને માર્ગ એ બે એક નથી. જેને પગની ઈચ્છા, રુચિ, ભાવના તેને મોક્ષને વિષે અનિચ્છા, અરુચિ, અભાવના હોય એમ જણાય છે.” (નં. ૩૮૯). આવી જેને અનુપમ તત્ત્વવિચારણા છે એવા પરમ મુમુક્ષુ શ્રીમની મોક્ષ માટેની તમન્ના અનન્ય હોય એમાં પૂછવું જ શું? શ્રીમદની મોક્ષ માટેની તમન્ના કેવી અનન્ય હતી તેનો તાદશ્ય ચીતાર શ્રીમદની હાથોંધ ૧ના “એકવાર તે સ્વભવનમાં બેઠા હતો એ શબ્દોથી શરૂ થતા સં. ૧૯૪૬માં લખાયેલા એક લેખમાં (અં. ૫) પ્રાપ્ત થાય છે. તે પ્રસ્તુત પ્રકરણમાં અતીવ ઉપયોગી હોવાથી અત્ર તેનો ઉલ્લેખ કરશું તથા તેને કેટલેક હૃદયરૂપ સારભાગ અવતારશું; અને સેંકડો ગ્રંથથી પણ ન આલેખી શકાય એવું શ્રીમદ્દની મેક્ષ માટેની અનન્ય તમન્નાનું તાદૃશ્ય ચિત્ર રજૂ કરતા આ લેખના અદ્ભુત ભાવનું દિગદર્શન કરશે. તે એમ ત્રીજા પુરુષમાં (Impersonally) વિચારને પ્રારંભ કરતા શ્રીમદ્ સ્વવિચારભુવનમાં “સ્વભુવનમાં—આત્મભુવનમાં બેઠા છે, પિતાના અંતરાત્મા સાથે વિચાર કરી રહ્યા છે, અને જગતમાં કેણુ સુખી છે એ જોવાની જિજ્ઞાસા ધરી રહ્યા છે, એવી પરમ અદ્દભુત નાટકીય રીતિથી (Grand dramatic style) આ લેખને પ્રારંભિક ઊઠાવ આપે છેઃ “એક વારતે સ્વભુવનમાં બેઠો હતો. જગતમાં કેણુ સુખી છે, તે જોઉં તે ખરે, પછી આપણે આપણે માટે વિચાર. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy