________________
શ્રીમદનો વેગાનિય : પરમ વૈરાગ્ય
૨૫૭ હતી. પરમ મુમુક્ષુ શ્રીમદના આ પરમ વૈરાગ્ય અને સંગતિશયનું દિગદર્શન તેમના પત્રોના આધારે આ પ્રકરણમાં કરાવશું. તેમાં “પ્રથમ સંવત્સરીએ” એ અમર શબ્દોથી શરૂ થતો સુપ્રસિદ્ધ અસાધારણ અમૃતપત્ર (અ. ૧૨૮)- જેમાં અક્ષરે અક્ષરે પરમ પરાકાષ્ઠાને પામેલે શ્રીમદ્ પરમ વૈરાગ્ય અને પરમ અભુત સંગતિશય નિઝરે છે– તેનું સવિસ્તર અવેલેકન કરશું.
| દિવ્ય અતીન્દ્રિય જ્ઞાનરૂપ “અંતજ્ઞનથી સ્મરણ કરતાં જેની જ્ઞાનદષ્ટિ સમક્ષ ગતકાળના જન્માંતરનું (Passing show)-પસાર થતા દશ્ય જેવું ચલચ્ચિત્ર (movie, film) પસાર થતું સાક્ષાત્ દેખાય છે, નજરે તરવરે છે; ફરી ફરી જન્મવું અને ફરી ફરી મરવું એવા આ અનંત ભવપરિભ્રમણનું દુઃખ જેની સ્મૃતિમાં સતેજ થઈ જાણે સાક્ષાત્ સંદાય છે; આ પરિભ્રમણદુઃખના મૂળ કારણરૂપ રાગાદિ-કષાયાદિનો વિચાર કરતાં જેને અંતરાત્મા આ ભવભ્રમણથી પરમ વૈરાગ્ય પામ્યા છે, અને આ કષાયાદિ -રાગાદિ કરી પોતે જ હાથે કરી આ ભવભ્રમણુદુઃખ ઊભું કર્યું એવા પિતાના તે કલેશ અનુભવનારા કલેશિત આત્મા પ્રત્યે જેને જુગુપસા-ધણા ઉપજી છે,– એવા શ્રીમદના દિવ્ય આત્માએ સંવત્સરી નિમિત્તે લખેલા આ અસાધારણ ક્ષમાપના પત્રમાં એ પરમ ભૈરાગ્ય દાખવ્યો છે- એ પરમ સંગસિંધુ ઉ૯લસા છે, કે જે મહાસંવેગી મહામુનીશ્વરો પણ ભાગ્યે જ દાખવી શકે–ભાગ્યે જ ઉલ્લાવી શકે. સંવેગતિશયસંપન્ન પરમ વૈરાગ્યમૂત્તિ શ્રીમદ્રના દિવ્ય આત્માના ઊંડાણમાંથી નિકળેલા પરમ અમૃતરૂ૫ (Immortal, nectarlike) આ સહજ સ્વયંભૂ અનુભવઉગારો કંઈ પણ સુજ્ઞ વિવેકી આત્માને સારંગતરંગિણીમાં નિમજજન કરાવી પરમ વૈરાગ્યમાં રોમાંચિત ભાવે ઝલાવે એવા આ રહ્યા :
અંતર્નાનથી સ્મરણ કરતાં એવો કઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે “સમાધિ ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી કમરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લેભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાગ્ય કાં ન જાણું? અર્થાત્ એમ જાણવું જોઇતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંતવાર છોડતાં તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયે; તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો. એ પ્રતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. વળી જેનું મુખ કઈ કાળે પણ નહીં જોઉં, જેને કઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું; તેને ઘેર પુત્રપણે, સ્વીપણે, દાસપણે, દાસીપણે, નાના જેતપણે શા માટે જન્મ્યો ? અર્થાત્ એવા અ-૩૩