________________
૨૫૮
અધ્યાત્મ રાજચંદ્ર દ્વેષથી એવા રૂપે જન્મવું પડયું ! અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી ! કહો એ સ્મરણ થતાં આ લેષિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત આવે છે.”
કેઈ પણ સહદયના હૃદયને ભેદી નાંખી પરમ વૈરાગ્ય-રોમાંચ ઉલસાવે એવા અને આ ભવબંધનથી છૂટવારૂપ–માત્ર મોક્ષાભિલાષરૂપ સંગરંગ ઉપજાવે એવા શ્રીમદૂના આ પરમ સંવેગરંગી પરમ વૈરાગ્યપૂર્ણ વચને સૂચવે છે કે-અંતર્દાનથી સ્મરણ કરતાં શ્રીમદૂને પોતાનું ભૂતકાળનું ભવભ્રમણદુઃખ સાંભરી આવ્યું છે, તે પરિભ્રમણના મૂળમાં રહેલા સંકલ્પ-વિકલ૫નું રટણ કેમ કર્યું ? સ્વછંદ કેમ કર્યો? ક્રોધાદિ કષાય માઠાં છે એમ કેમ ન જાણું? તે તે ભવમાં તે તે કલ્પિત પ્રતિભાવ કેમ કર્યો? તે તે ભવમાં તે તે દ્વેષભાવ કેમ કર્યો?—એ સ્મરણ કરતાં પરમ વૈરાગ્ય સ્ફર્યો છે, અને હાથે કરીને આમ હેરાન થયેલા–દુઃખી દુઃખી થયેલા પોતાના કલેશિત આત્મા પર જુગુપ્સા આવી છે. શ્રીમદને આ ભવદુઃખનું સ્મરણ કરતાં એટલું બધું તીવ્ર આત્મસંવેદન થયું છે કે આ ભવદુઃખ કેમ દૂર કરવું એની એમને વિમાસણ થઈ પડી છે. એટલે જ આગળ લખે છે–વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે બ્રાંતિપણે બ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. આ ભવદુઃખથી પરમ વૈરાગ્ય એમને સદાયે છે એટલે જ આ ભવદુઃખથી છૂટી કેમ મોક્ષ પામ એ પરમ સંવેગ તેમને ઉલક્ષ્ય છે, અને એટલે જ આ પરમ વૈરાગ્યભાવથી પરમ ભાવિતાત્મા પરમ સંગરંગી શ્રીમદ્દ ભાવે છે- “ફરી ન જ જન્મવું અને અને ફરી એમ ન જ કરવું એવું દઢત્વ આત્મામાં પ્રકાશે છે.–ફરી જન્મ ન જ ધારણ કરો અને તેમ થવા પુનઃ પુનઃ જન્મના કારણે ઉપરોક્ત ક્રોધાદિ–રાગાદિનું સેવન કરી “ફરી એમ ન જ કરવું,’ એવું દૃઢપણું–દઢનિશ્ચયપરમ મુમુક્ષુ શ્રીમદના દિવ્ય આત્મામાં પ્રકાશે છે– તીવ્ર સંવેગરંગના ઉગ્ર ભાવતેજથી ઝળહળે છે. છતાં કેટલીક વસ્તુ પિતાને આધીન નથી,–પ્રારબ્ધોદયાધીન બાહ્ય સંજોગાદિ પિતાના હાથની વાત નથી, એટલે એ બા.માં પિતાને ઉપાય નથી ત્યાં કેમ કરવું? એનો વિચાર શ્રીમદને થાય છે અને તેથી જ પિતે પિતાને પૂછે છે પણ કેટલીક નિરુપાયતા છે ત્યાં કેમ કરવું?” અને તેને અંતરુઉત્તર પોતે જ આપી પોતાના આ નિશ્ચયનું ઓર વિશેષ દઢપણું દર્શાવે છે–
જે દઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ કરવી એ જ રટણ છે, પણ જે કઈ આડું આવે છે, તે કેરે કરવું પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે.” આ આત્મદઢતા પૂર્ણ કરવામાં કેટલાક વિદન–અંતરાય નડે છે, આડા આવે છે, તેને કેરે કરવા પડે છે–ખસેડવા પડે છે, અને આમ મેક્ષની પૂર્ણ ઈચ્છા અને તે માટે પિતાની પૂર્ણ પ્રવૃત્તિ છતાં વચ્ચે અંતરાયભૂત-વિદનભૂત આડખીલીઓ નડે છે, તે વિદાય કરવામાં કાળક્ષેપ થાય છે, વિલંબ થાય છે, તે જેને ત્વરાથી–વિના વિલંબે મેક્ષની તાલાવેલી લાગી છે એવા પરમ સંગરંગી શ્રીમદને પોષાતું નથી, પાલવતું નથી, એટલે જ ઉગ્ર સંવેગથી કહે છે-“જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાંસુધી, એમ દઢતા છે તેનું કેમ કરવું?”