SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મમૂર્તિ શ્રીમદ્દ અસ્થિમજ્જા ધર્મરંગ ૨૫૫ વિરલે સતપુરુષ જ પ્રકાશી શકે એવો અપૂર્વ મર્મ શ્રીમદે આ માર્મિક શબ્દોમાં પ્રકા છે–“શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. ૪ ૪ ધર્મને રસ્તો સરળ, સ્વચ્છ અને સહજ છે, પણ તે વિરલ આત્માઓ પામ્યા છે, પામે છે અને પામશે.” (અં. પ૮). ઈ. અને “જે કૃત્યનું પરિણામ ધર્મ નથી તે કૃત્ય મૂળથી જ કરવાની ઈચછા રહેવા દેવી જોઈતી નથી” (સં. ૨૫) એ જેને જીવનમુદ્રાલેખ (moto) હતા, એવા દઢધર્મા શ્રીમ ધર્મપ્રયત્નમાં કેટલા અપ્રમત્ત હતા તેનું સૂચન તેમના આ વેધક વચને કરે છે“સ્થાપદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મ પ્રયત્નમાં, આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો ?” (અં. ૪૭). શ્રીમદને આ ધર્મપુરુષાર્થ કે અસીમ હતો, કે અસાધારણ—અસામાન્ય (Extra-ordinary) હતો તેનું માર્મિક સૂચન આ જ પત્રનું આ ટૂંકું સૂત્રાત્મક વાક્ય કરે છે–એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુખ નહીં વધારવા પ્રયત્ન સત્પુરુષો કરે છે.” છે. આમ ધર્મપ્રયત્નમાં-ધર્મપુરુષાર્થમાં અપ્રમત્ત ધર્મમૂત્તિ શ્રીમદ્ પ્રારંભના જીવનમાં જ ધર્મધ્યાનના લક્ષ્યાર્થીને પામી ધર્મધ્યાનની કેટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા હતા, તેનું સૂચન તેમના આ સૂત્રવચનમાં મળે છે—ધર્મધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતને રસ્તો છે. ચિત્તના સંકલ્પવિકલ્પથી રહિત થવું એ મહાવીરને માર્ગ છે. અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે,' (અં. ૧૨૩). આ ધર્મજીવનના પ્રારંભના વર્ષોમાં જ શ્રીમદ્ ધર્મધ્યાનની ઓછામાં ઓછી કઈ કક્ષાએ પહોંચ્યા છે અને ક્યાં પહોંચવાના અભિલાષી છે, તેને આડકતરે માર્મિક નિર્દેશ પત્રાંક દરમાં રૂપાતીત ધર્મધ્યાન અંગેના ઉલ્લેખ પરથી પ્રાપ્ત થાય છેઃ “આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સપુરુષને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સસંગઆદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે, પણ તેવા પુરુષો-નિગ્રંથમતનાલાખમાં પણ કઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સત્પરુષ ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે, કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલાં પુરુષનું મુખ્યત્કૃષ્ટ અને બીજાનું ગૌણોત્કૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય. એથે ગુણસ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પાપે ગણી શકાય; ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. છઠું મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તે આવી શકીએ; આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે!” (અં. ૬૨). અત્રે ‘ભાવની અપેક્ષા તો ઓર જ છે એ માર્મિક શબ્દોમાં આ ધર્મધ્યાનથી પણ આગળની ઉચ્ચ ઉચ્ચ કક્ષાએ સ્પર્શવાને શ્રીમદને કે ઊર્ધ્વગામી આત્મઅભિલાષ વ્યકત થાય છે. “અને ધર્મમૂતિ થવા પ્રયત્ન કરીએ, ઘણા હર્ષથી પ્રયત્ન કરીએ –એ એમની રજનિશીના પરિચયીને ભલામણ લેખમાં શ્રીમદની કેવી અનન્ય ધર્મભાવના ઝળહળે છે!
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy