________________
૨૫૪
અધ્યાત્મ રાજય'દ્ર
હતા,- આત્માના પ્રદેશે પ્રદેશે વ્યાપી ગયેા હતે!; ધમય જીવન વા જીવનમય ધર્મ શ્રીમદ્ જીવી રહ્યા હતા. આવા હતા ધમ મૂર્ત્તિ શ્રીમદ્ ! અને આવી હતી એમની પરમ વીતરાગ ધર્મ ભાવના !
ધમ મૂર્તિ શ્રીમને આ શુદ્ધ આત્મધર્મમય વીતરાગ નિગ્રંથમાગ પ્રત્યે, તેના નિરૂપક સત્શાસ્ત્ર પ્રત્યે અને તેના પ્રરૂપક વીતરાગ પુરુષા પ્રત્યે કેવા ભક્તિ— ઉલ્લાસ હતા, તેની સાક્ષી તેમના પત્રામાં ઠેર ઠેર પ્રાપ્ત થાય છે. તેમના સ’. ૧૯૪૪૪૫–૪૬ના પ્રારંભના પત્રામાં પણ—સત્પુરુષાને નમસ્કાર, નિરાગી પુરુષાને નમસ્કાર, નિરાગી મહાત્માઓને નમસ્કાર, નિ ́થ મહાત્માઓને નમસ્કાર, નિસ્પૃહી મહાત્માઓને અભેદભાવે નમસ્કાર’-એ આદિ મથાળે મૂકેલા પરમ ભાવપૂર્ણ` નમસ્કાર તે તે નિરાગી નિસ્પૃહ-નિથ સત્પુરુષા પ્રત્યે શ્રીમદ્નના અનન્ય અભેદ ભક્તિભાવ દાખવે છે. ‘હું મારી નિવાસભૂમિથી આશરે બે માસ થયાં સત્યાગ, સત્સંગની પ્રવનાથે પ્રવાસરૂપે કેટલાંક સ્થળેામાં વિહાર કરૂ છું (અં. ૭૧); નિત્રથના એધેલાં શાસ્ત્રના શેાધ માટે અહીં સાતેક દિવસ થયાં મારૂ આવવું થયું છે’ (અ.૬૬) એ આદિ ઉલ્લેખ વીતરાગ શાસ્ત્રોની શેાધમાં નિકળી પડેલા શ્રીમદ્ના તે તે સત્શાસ્ત્ર પ્રત્યેના અનન્ય પ્રેમ દર્શાવે છે. નિષ્રંથ વીતરાગના સંયતિધર્માં પ્રત્યેના શ્રીમનો ઉલ્લાસ સંયતિષમાં (અ. ૬૦) લેખ પરથી જણાઈ આવે છે. દશવૈકાલિકના મુનિચર્યાં અંગેના આ લેખમાં શ્રીમદ્ભા ચિત્તની નિમ"થ ભાવ પ્રત્યેની અનન્યગતિ દેખાઇ આવે છે. જેને જ્ઞાનીના વચનનું અપૂર્વ ગૌરવખહુમાન હૃદયમાં વસ્યું હતું એવા શ્રીમદ્ જૂઠાભાઈ પરના પત્રમાં આ ખા. ઇશારો કરે છે—દશવૈકાલિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરૂ છુ, અપૂર્વ વાત છે.' અને આ નિગ 'થ ધમ –વીતરાગમાગ પ્રત્યેના શ્રીમના અનન્ય અનુપમ પ્રેમના ઉભરા આ શબ્દોમાં છલકાય છે—નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે, તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડયો, તે માત્ર એના નિરુપમ ધના અભાવે. (અ. પર) ઇત્યાદિ.
આ વીતરાગ નિ»થ ધર્માંના રંગે દૃઢ રંગાયેલા ધમ ભૂતિ શ્રીમદે ધર્મ તત્ત્વનું અનન્ય મંથન કર્યુ હતું, ધર્મ' એ ગુપ્ત વસ્તુ માટે અપૂર્વ અંતર્સ ંશાધન કર્યું હતું, અને તે ધમ વસ્તુની સાક્ષાત્ પ્રાપ્તિ કરી હતી. એટલે જ આવા તથારૂપ આત્મા નુભવી પુરુષ આત્માનુભવથી લખે છે કે—કોઈ પણ ધર્મ સબંધી મતભેદ રાખવા છેડી દઇ એકાગ્ર ભાવથી સમ્યક્ષેાગે જે મા સંશેાધન કરવાના છે, તે એ જ છે. ×× તે માગ આત્મામાં રહ્યો છે. આત્મત્વપ્રાપ્ય પુરુષ—નિગ્રંથ આત્મા જ્યારે ચેાગ્યતા ગણી તે આત્મત્વ અપશે—ઉદય આપશે—ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદાર્દિક જશે.' (અ. ૫૪). અને એટલે જ ધના ગુપ્ત ભેદને પામેલા આ પુરુષ અન્યત્ર (પત્રાંક ૪૭) લખે છે—ધમ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે ખાહ્ય સંશેાધનથી મળવાની નથી. અપૂર્વ અત'શેાધનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતસંશાધન કાઈક મહાભાગ્ય સદૂગુરુ અનુગ્રહે પામે છે.' આ ધમના મને પામેલે