SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ અધ્યાત્મ રાજચંદ્ર લોકપુરુષનું પૂર્વે પ્રાયે કેઈએ ન પ્રકાર્યું હોય એવું અપૂર્વ રહસ્ય આ અમર કાવ્યમાં શ્રીમદે પ્રકાર્યું છે. આ અમૃત કાવ્યની કેટલીક મૂળ પંક્તિઓ આ રહી– લોકપુરુષ સંસ્થાને કહ્યો, એને ભેદ તમે કંઈ લહ્યો? એનું કારણ સમજ્યા કાંઈ? કે સમજાવ્યાની ચતુરાઈ? શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શનકે ઉદેશ; જેમ જણાવો સુણિયે તેમ, કાં તે લઈએ દઈએ ક્ષેમ. મૂળ સ્થિતિ જે પૂછે મને, તે સેંપી દઉં યેગી કને, પ્રથમ સંત ને મધ્યે એક, લોકરૂપ અલેકે દેખ. જીવાજીવ સ્થિતિને જોઈ, ટળે ઓરતા શંકા ખાઈ એમ જ સ્થિતિ ત્યાં નહિં ઉપાય, “ઉપાય કાં નહીં?” શંકા જાય. એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ; સમજે બંધ મુકિત યુક્ત જીવ, નીરખી ટાળે શક સદીવ. જિહાં રાગ અને વળી શ્રેષ, તિહાં સર્વદા માને કલેશ ઉદાસીનતાને જ્યાં વાસ, સર્વ દુઃખને છે ત્યાં નાશ. સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.” આવી અલૌકિક હતી આ લેક પુરુષનું અલૌકિક રહસ્ય પામી જેને “મારગ સાચા મિલ ગયા હતા, એવા જ્ઞાનાવતાર શ્રીમદની કાલેકરહસ્ય પ્રકાશતી આ અમૃતવાણી ! અને આવી અદ્ભુત હતી ઉદાસીનતામાં વાસ કરનારા જે આ “રામ ધામ આવીને વસ્યા હતા એવા આ આત્મારામ શ્રીમદની આત્માને અમૃતાનુભવ કરતી પરમ અમૃતદશ ! પ્રકરણ એક્તાલીશમું ધર્મમૂર્તિ શ્રીમ અસ્થિમજજા ધર્મરંગ જે ધર્મમતિ સંત જ્ઞાનાવતાર – સ્વરચિત) જે લેકરૂપ અલકે દેખ– અલેક–જડ દેહમાં લેકરૂપ-અવકનારા આત્માના સ્વરૂપને સાક્ષાત દીઠું અને તે પામવાની ઉદાસીનતારૂપ વીતરાગમાર્ગ પામી જે રામ ધામ આવીને વસ્યા,” એવા આત્મારામી શ્રીમદને લકપુરુષના રહસ્યભૂત જે આ અલૌકિક આત્મવસ્તુનું આત્મસંવેદન પોતાને થયું, તે આત્માના સ્વભાવભૂત વસ્તુધર્મ પ્રત્યે–આત્મધર્મ પ્રત્યે અનન્ય પ્રેમ ઉત્કટપણે ઉલ્લ હ; અન્ય સર્વભાવથી વ્યાવૃત્ત
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy