SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકામ માટે જન્મેલો “રામ ૨૪૩ પાર નહીં કરાય–પૂર્ણ નહીં કરાય, ત્યાં લગી તેમને આત્મા સમાધિસ્થ થવા ઈચ્છતે નથી! અથવા થશે નહીં. આનો આશય એમ સમજાય છે કે જ્ઞાની મહાત્માઓ બે પ્રકારના હોય છે, એક તો માત્ર પોતાનું આત્મકલ્યાણ સાધનારા અને બીજા પિતાનું આત્મકલ્યાણ સાધી પરકલ્યાણ-જગતકલ્યાણ સાધનારા; શ્રીમદ્ આ બીજા પ્રકારમાં છે, એટલે જ આ જગતકલ્યાણની ઈચ્છા પૂર્ણ કર્યા વિના તેમનો આત્મા સમાધિસ્થ થવા નથી ઈચ્છતે. અને આ ઈચ્છા પૂર્ણ ન થાય ત્યાંલગી સમાધિ થાય એમ નથી એટલે જ શ્રીમદ્ ત્યાં દર્દભર્યું આત્મસંવેદન દાખવે છે—એ ઈચ્છાના કારણને લીધે જ જીવ ઘણું કરી વિટંબન દશામાં જીવન વ્યતીત કર્યો જાય છે. પણ બાહ્યથી વિટ બનરૂપ આ ઉપાધિના એઠા નીચે અંતરથી તે શ્રીમદ્ આત્મસમાધિની –આત્મકલ્યાણની જ સાધના કરી રહ્યા છે, એટલે જ શ્રીમદ્ ત્યાં આગળ માર્મિકપણે લખે છે—જો કે તે વિટંબનદશા પણ કલ્યાણકારક જ છે, તથાપિ બીજા પ્રત્યે તેવી કલ્યાણકારક થવામાં કંઈક ખામીવાળી છે.” પણ જગતકલ્યાણ સાધતાં પહેલાં આત્મકલ્યાણ સાધવું જોઈએ, અને સ્વાનુગ્રહ સાથે તે જ પરાનુગ્રહ સાધવા સમર્થ થાય છે એવા પિતાના આધીન મત પ્રમાણે શ્રીમદ્ હાલ તત્કાળ તે મુખ્યપણે આત્મકલ્યાણ સાધવારૂપ સ્વાનુગ્રહમાં જ પ્રવર્તી રહ્યા છે, ઉપાધિમાં બેઠા બેઠા આત્મસમાધિ જ સાધી રહ્યા છે. અને શ્રીમદૂની આ મહાન કામ માટેની મહાન ઈચ્છા બીજી કઈ પણ નહિં, પણ મહાવીરના મહાનું માર્ગના ઉદ્ધાર ને પ્રભાવન માટેની જ છે, એની સાબીતી હાથોંધ ૧ના અં. ૭૩માં પ્રાપ્ત થાય છે. જેના વિચાર અને મનોરથ મહાનું છે. એવા મહાન શ્રીમદ્ ત્યાં લખે છે –“જેનાથી માર્ગ પ્રવર્યા છે એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતાદિ ગુણો પણ મોટા હતા. એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે, તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મ સંતતિ પ્રવર્તવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. તથારૂપ શક્તિ થોડા વખત પૂર્વે અત્ર જણાતી હતી, તેમાં હાલ વિકળતા જેવામાં આવે છે, તેને હેતુ શો હોવો જોઈએ તે વાત વિચારવા ગ્ય છે.' – આવા મહાનું વિચાર કરવા-મહાનું મનોરથ સેવવા-મહાન્ મહેચ્છા સેવવી એ કાંઈનાનીસૂની વાત નથી, મોટામાં મોટી વાત છે. આ માર્ગઉદ્ધારનું કામ મહમાં મહતુ–મોટામાં મોટું છે, અને તે મહાકામ માટે મહાપરાક્રમ મહા આત્મબળ આદિની પરમ આવશ્યકતા છે; અને તેને માટેની તૈયારી પણ મહાન જોઈએ, એ જ વસ્તુ શ્રીમદ્ હાથોંધ ૧ના અં. ૭૪માં સ્પષ્ટ લખે છે–જે કઈ મેટા પુરુષ થયા છે તેઓ પ્રથમથી સ્વસ્વરૂપ (નિજ શક્તિ) સમજી શકતા હતા, અને ભાવિ મહકાર્યના બીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા અથવા સ્વાગરણ અવિરોધ જેવું રાખતા હતા.” ઈ. એટલે જ આવા મહાકામ માટે અપૂર્વ પૂર્વતૈયારીરૂપ (Preparation) અપૂર્વ આત્મસાધના સાધતા મહેચ્છાવાન મહાસમર્થ શ્રીમદની મહેચ્છા પ્રથમ પૂર્ણ આત્મકલ્યાણ સાધી પછી નિષ્કારણ કરુણાથી જગતકલ્યાણ કરવાની હતી અને એટલે જ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy