SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ અધ્યાત્મ રાજચંદ્ર આરાધનમાં જ પેાતાની સમસ્ત આત્મશક્તિ સમર્પિત કરી રહ્યા છે, અને આમ મહાકામ માટે જન્મેલા આવા આ મહાઆત્મસામર્થ્ય સંપન્ન આત્મારામી રામ તે કામ માટે જોઈતી આત્મશક્તિના સ*ચય કરી રહ્યા છે. આ મહાકામ કર્યું હશે? અને આ કામ માટેની મહાન્ ઇચ્છા કઇ હશે? એના સ્પષ્ટ ઉલ્લેખ અત્ર કર્યાં નથી, તથાપિ આ મહાકામ અંગેના ટૂંકા ઈશારા હાથનોંધ રૂ અ. ૨૬માં મળે છે. સ્વપર ઉપકારનું મહત્ત્કાય હવે કરી લે! કરી લે !’~આ પરથી સમજાય છે કે સ્વપરના ઉપકાર કરવા એ જ મહત્ત્કાર્ય –મહાકામ કરવાનું શ્રીમદે લાંબા વખતથી ધાર્યું છે, આત્મકલ્યાણની સાધના પૂર્ણ કરી પરકલ્યાણનું-જગતકલ્યાણુનું કાર્ય સિદ્ધ કરવું એ જ શ્રીમદ્નની જીવનધારણા છે; અને આ પરથી જ ઉપર ઉલ્લેખેલ ‘સહજ’ નોંધવાળા લેખમાં નિર્દેશેલ ‘ઇચ્છા'ને ખુલાસા મળી જાય છે કે આ સ્વ-પરઉપકારનું મહત્યા કરવું એ જ શ્રીમની મહાન્ ઇચ્છા છે. આ મહાકા માટેની મહાન ઇચ્છાના પ્રાસંગિક નિર્દેશ પણ આ જ અરસામાં–સ'. ૧૯૪૬માં એક મુમુક્ષુ ભાઈ ખીમજીભાઈ પરના શ્રીમના પત્રમાં (અ. ૧૩૦) મળે છે. કેટલાક વર્ષ થયાં એક મહાન ઇચ્છા અંતઃકરણમાં પ્રવત્તી રહી છે, જે કાઈ સ્થળે કહી નથી; કહી શકાઈ નથી, કહી શકાતી નથી; નહીં કહેવાનું અવશ્ય છે.’ શ્રીમદ્નની આ મહાન ઈચ્છા શી હશે ? તેનું ઉપરાક્ત ખુલાસા પરથી અત્ર અનુમાન તારવવાનું રહે છે. શ્રીમદ્ની આ અંતરૈચ્છા ‘ જે મહાન્ કામ માટે તું જન્મ્યા છે' ઇ. શબ્દોમાં મેાઘમ રીતે વ્યક્ત થઈ છે. તે મહાન્ કામ એટલે બીજું કાઈ નહિ. પણ મહાવીરના મહાનૂ માના ઉદ્દારનું કામ. પૂજન્મામાં સંસ્કારના વારસેા લઇ આવેલા શ્રીમને મહાવીરના મા પ્રત્યે ખાલ્યવયથી કૂદરતી અનન્ય પ્રેમ હતા, અને તે ઉત્તરાત્તર વૃદ્ધિ પામ્યું ગયા હતા. આ મહામાર્ગના ઉદ્ઘાર થઈ-મહાપ્રભાવ થઇ ભગવાન મહાવીરસ્વામીના સમય જેવા વખત આવે, એવા મહાભગીરથ આત્મપુરુષાર્થ આદરવાની શ્રીમદ્નની અંતરૈચ્છા ઘણા વખતથી છે, તે અત્ર માર્મિક શબ્દોમાં કંઈક વ્યક્ત કરી છે. આવા મહાકામ સંબંધિની તે ઈચ્છા પણ મહાન્ હાય અને તે પાર પાડવા પરિશ્રમ પણ મહાન્ જોઇએ, એટલે જ અત્ર સ્પષ્ટ કર્યું છે— મહાન્ પરિશ્રમથી ઘણું કરીને તે પાર પાડી શકાય એવી છે,’— મહા આત્મપુરુષા રૂપ મહાભગીરથ પ્રયાસથી પાર પાડી શકાય એવી છે, છતાં, તે માટે જેવા જોઇએ તેવા પરિશ્રમ થતા નથી એ એક આશ્ચય અને પ્રમત્તતા છે.' આમ પેાતાને વેદાતું આશ્ચય વ્યક્ત કરી આવી મહાન્ ઇચ્છા કેમ ઉત્પન્ન થઇ હતી તે સ્પષ્ટ કરતાં શ્રીમદ્દ લખે છે—એ ઇચ્છા સ્વાભાવિક ઉત્પન્ન થઈ હતી. જ્યાં સુધી તે યથાયાગ્ય રીતે પાર નહી' કરાય ત્યાંસુધી આત્મા સમાધિસ્થ થવા ઈચ્છતા નથી, અથવા થશે નહીં.’– જેમને સમાધિ પરમ પ્રિય છે એવા શ્રીમના આ વેધક વચના સૂચવે છે કે— શ્રીમને મહાવીરના મહાત્ માના ઉદ્ધારની-માગ પ્રભાવનની એટલી બધી તમન્ના છે કે તે મહાન્ કામ માટેની મહાન્ ઇચ્છા આ જીવનમાં જ્યાં લગી યથાયેાગ્ય રીતે—જેમ ઘટે છે તેમ સમ્યકપણે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy