SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૦ અધ્યાત્મ રાજચંદ્ર પ્રમાદ થયો છે, તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. જેમાં સાહસ થયું હોય, તેમાંથી હવે તેવું ન થાય તે બેધ લે.' – આ વ્યવહારકામ હાથ ધરવામાં કંઈક પ્રમાદ અને પૂર્વાપર યથાસ્થિત વિચાર કર્યા વિનાનું સાહસ થઈ ગયું છે તેનું અત્ર ગર્ભિત સૂચન કરી, તે પરથી બેધ લઈ ફરી તેમ ન થવા માટે સાવધાન રહેવા પિતાના આત્માને જાગ્રત (alert) કરે છે. હવે આ વ્યવહારકામ પૂર્વ પ્રારબ્ધથી “પ્રારબ્ધ છે પ્રારંભાઈ ચૂક્યું છે, તે એકદમ છેડી દેવામાં આવે તો લાગતાવળગતા બીજાઓને કલેશ-કષાયનું કારણ થઈ પડે એટલે તે પ્રારબ્ધાનુસાર આવી પડેલા પ્રારબ્ધને નિર્વાહવાની–પાર ઉતારવાની કપરી ફરજ પિતા પર આવી પડી છે, તે સ્વપરને વિષમ ભાવ ન થાય એમ સમભાવે સાંગોપાંગ પાર પાડવી એમ સમજી, જે આ વ્યવહારકામ મધ્યે પિતાનું યેગસ્થપણું અખંડિત જાળવી રહ્યા છે, ચોથઃ મffજ –“ગસ્થ રહી કર્મો કર એમ સ્થિતિ ધારી રહ્યા છે, એવા આ મહાગી શ્રીમદ્દ તેમજ ગસ્થ રહેવાની પિતાના આત્માને સ્મૃતિ આપે છે–“દઢ યેગી છે તે જ રહે, કઈ પણ અ૫ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી એ મહાકલ્યાણ છે. લેપાઈશ નહીં.'આ વ્યવહારકામ મધ્યે પણ લેપાઈશ નહીં–જલમાં કમલની જેમ નિર્લેપ રહેજે. એટલે જ કહે છે–“મહા ગંભીર થા,– સાગર જેમ ક્ષોભ ન પામે તેમ તું આ પરિસ્થિતિમાં જરા પણ ક્ષેભ ન પામે અને તારા અંતર્ગત ભાવ બીજા ન કળી શકે એ તું મહાગંભીર થા; “દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જ,’– વર્તમાન સંજોગોને વિચાર કરી છે અને આ સંજોગોને અનુકૂળ આત્મવર્નાન કરી “યથાર્થ કર’– જેવું કરવા ગ્ય છે તેવું બરાબર સમ્યક કર; અને કાર્ય સિદ્ધિ કરીને ચાલ્યા જા,- જે મહાકામને માટે તું જ છે તે કાર્યની સિદ્ધિ કરી, હારા જીવનકાર્યને (Life mission) પૂર્ણ કરી, ત્યારે આ દેહપર્યાયરૂપ જન્મ કૃતકૃત્ય કરી, “ચાત્યે જા.” સ્વરૂપસ્વદેશે ચાલ્યા જા. આમ શ્રીમદ્ પિતે કઈ મહાકામને માટે જમ્યા છે તેનું તેમને સતત નિરભિમાન ભાન છે અને તે કેમ સિદ્ધ કરવું તેની ગવેષણામાં તે સતત રહે છે એ પણ આ નિત્ય સ્મૃતિ પરથી પ્રતીતાય છે. મહાકામ મહાન આત્મશક્તિ શિવાય બની શકે નહીં અને તે માટે જોઈતી મહાન આત્મશક્તિ જન્માંતરની ઉત્તમ ગસાધનાથી શ્રીમદ્દમાં આજન્મસિદ્ધ હતી. મહાકામ માટે જન્મેલા શ્રીમદને પોતાની આત્મશક્તિનું–પિતાના આત્મસામર્થ્યનું સર્વથા નિરભિમાનપણે યથાર્થ ભાન હતું, આ વસ્તુ તેમની હાથનેધ (૧)ના પત્રાંક ૪-સહજ’ એ મથાળાથી શરૂ થતા લેખ પરથી સ્પષ્ટ સમજાઈ જાય છે; “સહજ’–સહજ સ્વભાવે સ્ફરતી વાત અત્ર પિતે લખે છે એવું સૂચન કરતું મથાળું મૂકી શ્રીમદ્દ લખે છે—જે પુરુષ આ ગ્રંથમાં સહજ નેધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે.’– અત્રે આ હાથ નેધમાં જે પુરુષ પોતે ‘સહજ’–સહજ સ્વભાવે કુરતી નેંધ કરે છે, તે પુરુષ માટે–પિતા માટે પ્રથમ સહજ તે જ પુરુષ પિતે અંગત (Personal) લખે છે –
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy