SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ આગણચાલીશમુ મહાકામ માટે જન્મેલા ‘રામ’ ‘ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.'— શ્રીમદ્ રાજચદ્ર આવું અસાધારણ આત્મસ ંવેદન અને આત્મચારિત્ર જેનું છે એવા આત્મામાં જ રમણ કરનારા શ્રીમદ્ જન્મથી જ અસાધારણ મહાશક્તિસ`પન્ન કોઇ મહાકામ માટે જન્મેલા મહાપુરુષ છે એવા ભાસ શ્રીમના જીવન પ્રત્યે દષ્ટિપાત કરતાં કોઇને પણુ થાય એમ છે; અને ઊંડા ઉતરીને અવલાયન કરતાં તે આ કાઇ લેાકઉદ્ધાર અથે જન્મેલા અલૌકિક મહાપુરુષ છે એવી સહજ છાપ પડે છે. એટલે આવા શ્રીમને મહાકામ માટે જન્મેલેા ‘રામ' આપણે ક્હીશું તેા તે યથા જ છે. શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૩૮૪માં કહ્યું છે તેમ— શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે, એવા જીવાનું જ્યાં વિશેષ– પણે દેખાવુ' છે, એવા જે કાળ તે આ ‘દુસમ કળિયુગ' નામના કાળ છે. તેને વિષે વિહળપણું જેને પરમાંને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, ખીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત થયું નથી. બીજા જે કારણેા તેને વિષે જેના વિશ્વાસ વત્તતા નથી, એવા જો કાઇ હાય તેા તે આ કાળને વિષે બીજો શ્રીરામ છે.' આથી પણ અનતગુણુ વિશિષ્ટ એવા હતા આ કળિકાળને વિષે બીજો શ્રીરામ આ રાજચંદ્ર! ખરેખર ! નિજ પરમે રામ સાકહિયે' એવા આત્મારામી શ્રીમદ્ નિજ પદ્યમાં રમણ કરનારા ‘રામ' પરમાથ થી તા છે જ, અને લેાકકલ્યાણના ઉદાત્ત ઉદ્દેશથી નિષ્કારણુ કરુણાથી પ્રવર્ત્તન કરનારા તેએ વ્યવહારથી પણ તેમ જ છે. નિજ પદ્યમાં રમણ કરનારા ‘રામ’સ્વરૂપ શ્રીસને પોતાને પણ કોઇ મહાકામ માટે પાતે જન્મેલ છે એવા આત્મપ્રતિભાસ પ્રથમથી જ થતા હતા. તેનું સહજ સૂચન સ. ૧૯૪૬માં લખાયેલી તેમની નિત્યસ્મૃતિ'રૂપ અંગત નાંધમાં મળી આવે છેઃ પૂના કોઇ મહાજ્ઞાની કાઈ મહાન્ કામ કરવા અવતર્યું છે, તે પાતે પાતાને નિત્ય-સદાય સ્મૃતિ-યાદી રહે એવી નિત્યસ્મૃતિ આપે છે— જે મહાકામ માટે તું જન્મ્યા છે, તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. ધ્યાન ધરી જા. સમાધિસ્થ થા.' આ મહાજ્ઞાની પેાતે પેાતાના આત્માને ઉદ્દેશીને કહે છે—‘જે’-પેાતાના હૃદયમાં છે એવું‘મહાકામ’ માટુ કામ કરવા ‘તું’–હારો આત્મા આ રાજચન્દ્ર દેહધારીરૂપે જન્મ્યા છે, તે આ જન્મમાં સિદ્ધ કરવાના મહાકામનું અનુપ્રેક્ષણ—અનુચિંતન કર, ફરી ફરી વિચારરૂપ પરિભાવન કર, આ જ કરવુ છે એવું તેનું એકાત્રપણારૂપ આત્મધ્યાન કર અને તેમાં લીનતારૂપ આત્મસમાધિમાં સ્થિતિ કર. પણ તેમાં વચ્ચે વિદ્નભૂત ઉદયાધીનપણે ઉપાધિરૂપ વ્યવહારકામ આવી પડ્યુ છે તેનું શુ? તે માટે કહે છે— વ્યવહારકામને વિચારી જા. જેને
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy