________________
ર૩૮
અધ્યાત્મ સાથે મૌન રહેવું–અમૌન રહેવું અને સુલભ હતું તેને સર્વે અનુકૂળ-પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ-હાનિ સરખી હતી; તેને ક્રમ માત્ર આત્મસમતાર્થે હતા. કેવું આશ્ચર્ય કારક કે, એક કલ્પનાને જય એક કપે થ દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી!” (૨) અને આવા પરમ આત્મપુરુષાથી પરમ સમસ્વરૂપ જિન–વદ્ધમાનાદિ જેને આદર્શ હતો એવા મહા વીરપુરુષ શ્રીમદ્દ પણ આ સમશ્રેણીના અધ્યાત્મજીવનક્રમે અપૂર્વ આત્મપુરુષાર્થથી વર્યા જતાં કેવા વિજયમાન થયા હતા, તેનું આડકતરૂં ધ્વનિરૂપ સૂચન શ્રીમદૂના અંતરાત્માના પ્રતિધ્વનિરૂપ આ ધ્વનિ-વચને (પત્રાંક ૮૦) કરે છે–નિરાબાધપણે જેની મને વૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરે જેને ફૂટયા છે; કલેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યા છે, અનેકાંતદષ્ટિયુક્ત એકાંતદષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે, તે પ્રતાપી પુરુષ જયવાન વત્ત.” –શ્રીમદ્દના આ ધ્વનિ-વચને શ્રીમદ્દ કેવી અંતર્દશા સાધવામાં પ્રયત્નશીલ હતાપરમ પુરુષાથી હતા તે તેમની પોતાની અંતર્દશાનું સૂચન કરે છે. એમની મનોવૃત્તિ સમશ્રેણીના આ નિર્ધારિત ક્રમમાં નિરાબાધપણે અખંડ એકધારાથી વા કરતી હતી, સંકલ્પ-વિકલ્પની મંદતા થઈ ગઈ હતી, એઓ નિર્વિકલ્પ દશા ભણી ધસી રહ્યા હતા; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિ એમને વૃદ્ધિ પામી હતી; રાગ-દ્વેષ-કષાયાદિ કલેશનાં કારણ એમણે નિર્મૂળ કર્યા હતાં–જડમૂળથી ઉખેડી નાંખ્યા હતા; સર્વત્ર નિરાગ્રહ અનેકાંતદષ્ટિયુક્ત એકાંતદષ્ટિ-શુદ્ધઆત્માર્થરૂપ એક ધ્યેય પ્રત્યે ઠેરવેલી એક ધ્યેયલક્ષી દષ્ટિ તે સેવ્યા કરતાં હતા; માત્ર-કેવળ એક-અદ્વિતીય-અદ્વૈત શુદ્ધ વૃત્તિ જ એમને વર્તતી હતી– આવા તે આત્મસ્વરૂપને વિષે પ્રતપતા “પ્રતાપી પુરુષ હતા. એટલે જ આવી પુરુષાર્થસિદ્ધિથી સાત્વિક હર્ષ પામેલા આ દિવ્ય આત્માના “તે પ્રતાપી પુરુષ જયવાન વર્ગો ” એવા આ આત્મપુરુષાર્થના ઉત્સાહપ્રેરક અંતરદૃગાર સાત્વિક હર્ષાનંદ અનુભવથી સહજ નિકળી પડયા છે. (૩) અને એટલે જ આમ સ્વરૂપારેહણ માટે નિસરણી સમાન આ પરમ સુખમય સમશ્રેણીએ આરહતે શ્રીમને દિવ્ય અંતરાત્મા આ સ્વરૂપમય પવિત્ર શ્રેણીનું સુખ કેવું નિરુપમ છે તેનું સ્વાનુભવસિદ્ધ આલેખન કરતા (અં.૬૨) અંતરેગાર કાઢે છે–આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણુ એ કેવું નિરુપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી, અને મને વિચાર્યું વિચારાતું નથી. ઈત્યાદિ.
આ છે સમશ્રેણીક્રમમાં વસ્તી રહેલા પરમ અંતરાત્મા શ્રીમના આત્મવર્તનની આત્મકથા ! આ છે પરમસુખમય સમણના ક્રમે સ્વરૂપશ્રેણીએ આરોહી રહેલા ભાવનિગ્રંથ શ્રીમદની આત્મચારિત્રવાર્તા !