________________
અંતરંગ નિગ્રંથ શ્રેણી
ર૩૧ –શ્રીમના આ હૃદયભેદી અંતરદુગારમાં નિગ્રંથશ્રેણી–નિરાશ્રેિણી પ્રત્યે શ્રીમની કેવી અનન્ય તમન્ના દેખાઈ આવે છે!
ખરેખર! આ નિગ્રંથશ્રેણી કે નિરાગશ્રેણી એ જ શ્રીમદને પરમ પ્રિય છે, એની અપૂર્વ સાધના પ્રત્યે જ એમને પરમ પ્રેમપ્રવાહ ઉલ્લસ્યા છે, અને એની પરમ સિદ્ધિ એમણે આ જ જીવનમાં પ્રાપ્ત કરી છે તે આપણે શ્રીમદ્દના આ આત્મચારિત્રમય ચરિત્રગ્રંથમાં અનુક્રમે છે. આ જ એમના અધ્યાત્મ જીવનનું જીવન (very life of spiritual life) છે, આ જ એમના અધ્યાત્મ ચારિત્રમય ચરિત્રને આત્મા છે, આ જ એમના આત્મસિદ્ધિમય જીવનનું જીવન સર્વસ્વ છે. “કાયાની વિસારી માયા સ્વરૂપે
માયા એવા, નિગ્રંથને પંથ ભવનંતનો ઉપાય છે, – એ નિર્ગથના પંથે શ્રીમદ અપૂર્વ આત્મપુરુષાર્થથી–અનન્ય આત્મપરાક્રમથી પ્રવર્યા છે. નિગ્રંથ મહાત્માઓને નમસ્કાર” “નિરોગી પુરુષને નમસ્કાર ઈત્યાદિ અનેક પત્રોના મથાળે મૂકેલા શ્રીમદના વચને તેમના આ પરમ પ્રિય નિગ્રંથપંથે પ્રવર્તેલા સતપુરુષે પ્રત્યે શ્રીમદ્દને કેવો અનન્ય પ્રેમ છે તે સૂચવે છે, એટલું જ નહિં પણ તે નિગ્રંથ મહાત્માઓથી પિતે કેવા અભિન્ન અભેદસ્વરૂપ છે તે દાખવે છે. અને
નિગ્રંથ ભગવાને પ્રણતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડ્યો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રેમમાં કિંચિત પણ અજ્ઞાન, મેહ, કે અસમાધિ રહી નથી તે પુરુષનાં વચન અને બોધ માટે કંઈપણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસકત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી! જ્યાં આત્માને વિકારમય થવાને અનંતાંશ પણ રહ્યો નથી, શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજજવલ શુલધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથનાં પવિત્ર વચનની મનેતમને ત્રિકાળ શ્રદ્ધા રહે ! એ પરમાત્માના ગબળ આગળ પ્રયાચના!”
—એ અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલા વચને તે શ્રીમદના આ નિર્ગથમાર્ગ પ્રત્યેના નૈસર્ગિક પ્રેમની પરમ પરાકાષ્ઠા પ્રકાશે છે. પણ પૂર્વે જેણે મહાન નિગ્રંથમાર્ગની પરમ આરાધના કરી છે એવા આ મહાન પુરુષને તે મૂળ નિગ્રંથમાગે પ્રત્યે પરમ પ્રેમ કેમ ન હોય? પરમ ભક્તિઉલ્લાસ કેમ ન હોય ?
આ સર્વત્ર અપ્રતિબદ્ધ નિર્ગથદશાના અભ્યાસનું-જીવન્મુક્તદશાની ગવેષણાનું પરમપ્રેમપૂર્ણ સૂચન શ્રીમદ્દન મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પરના સં. ૧૯૪૬માં લખાયેલા પરમ ભાવવાહી પત્રમાં (અં. ૧૨૬) પ્રાપ્ત થાય છે. જો કે યથાયોગ્ય ઉપશમભાવને પામેલે આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે, એટલે અપ્રતિબદ્ધપણે વિચારી શકે છે, પણ આ આત્માને તે હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેને અભ્યાસ છે, ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે? આ વ્યવહાર પ્રવૃત્તિ અંગેની શ્રીમની અંતર્વેદના દાખવત તીવ્ર ચીત્કાર આ શબ્દોમાં સંભળાય