________________
૨૩૨
અધ્યાત્મ રાજચંદ્ર છે અને સર્વથા અપ્રતિબદ્ધપણે વર્તવાની શ્રીમની અનન્ય તમન્ના અત્યંત સ્પષ્ટ દેખાય છે. એટલે જેનો ઉપાય નથી તેનું સહન કરવું સુખદાયક છે એ જણાવે છે– જેની નિરુપાયતા છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે.” પછી જીવન પૂર્ણ થતાં પહેલાં શુદ્ધોપાગમય આત્મદશા-જીવન્મુક્તદશા પ્રાપ્ત થવા મનવચન-કાયાના ચેગની યથાગ્ય પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટે પિતાને નિર્ગથશ્રેણીરૂપ જીવનક્રમ દર્શાવે છે –
પરંતુ જીવન પૂર્ણ થતા પહેલાં યથાયેગ્યપણે નીચેની દશા આવવી જોઈએ – ૧. મન, વચન અને કાયાથી આત્માને મુક્તભાવ. ૨. મનનું ઉદાસીનપણે પ્રવર્તાન. ૩. વચનનું સ્યાદ્વાદપણું (નિરાગ્રહપણું). ૪. કાયાની વૃક્ષદશા. (આહાર-વિહારની નિયમિતતા). અથવા સર્વ સંદેહની નિવૃત્તિ સર્વ ભયનું છૂટવું, અને સર્વ અજ્ઞાનને નાશ. ' અર્થાત્ “મન-વચન-કાયાથી આત્માને મુક્તભાવ – મનાતીત વચનાતીત દેહાતીત એ જીવન્મુક્ત ભાવ સાધવો જોઈએ; તેમાં “મનનું ઉદાસીન પણે પ્રવર્તન – મનની પ્રવૃત્તિ કરવી પડે તે ઉદાસીનપણે કરવી જોઈએ, “વચનનું સ્વાદુવાદપણું (નિરાગ્રહપણું)
–વચનની પ્રવૃત્તિ કરવી પડે તે નિરાગ્રહ સ્યાદ્વાદપણે કરવી જોઈએ, કાયાની વૃક્ષદશા' (આહાર વિહારની નિયમિતતા)- કાયાની જે પ્રવૃત્તિ કરવી પડે તે વૃક્ષની જેમ નિસર્ગ પણે-સહજ સ્વભાવે સહજપણે નિયમિત કરવી જોઈએ. આમ મનવચન-કાયાના
ગની યથાયોગ્ય સમ્યક પ્રવૃત્તિ કરતાં જીવતાં છતાં મુકત એવો જીવનમુક્ત ભાવ સાધવો જોઈએ; જ્યાં સર્વ સંદેહ નિવૃત્ત થાય છે, સર્વ ભય છૂટી જાય છે, સર્વ અજ્ઞાન નાશ પામે છે–એવી કેવલ જ્ઞાનમય શુદ્ધ આત્મદશા- જીવન્મુક્તદશા પ્રગટાવવી જોઈએ. આ છે જીવન્મુક્તદશા પામવા માટે શ્રીમદને નિગ્રંથશ્રેણીને જીવનક્રમ, અને આ જીવન્મુક્તદશાના ક્રમરૂપ નિગ્રંથશ્રેણીના ક્રમમાં શ્રીમદ્ સત્માથી પ્રવર્તા છે, ને એમને પરમ પ્રેમ ઉલો છે.
પ્રકરણ આડત્રીસમું
અંતરાત્માની સમશ્રેણું “જોવોહીને જ અશ્વો દુ ”– શ્રી કુંદકુંદાચાર્યજી તમારામારી અા અા ન રહો – શ્રી હરિભદ્રાચાર્યજી નિગ્રંથશ્રેણી–નિરાગણીએ સ્વરૂપારેહણ કરી રહેલા શ્રીમદને અંતરાત્મા સમણુક્રમમાં કે પ્રયત્નશીલ હતું કે અપૂર્વ આત્મપુરુષાર્થથી પ્રવન્યું હતું,