SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ અધ્યાત્મ રાજચંદ્ર ભાવવિરતિનું જ મુખ્યપણું છે, છતાં દ્રવ્ય અને ભાવવિરતિનો સુમેળ મળે તે તે સોનામાં સુગંધ જેવું છે, પ્રાયે દ્રવ્યથી અને ભાવથી તેવી વિરતિ કર્યોજ છૂટકે છે, અને શ્રીમદે પણ સર્વત્ર એ જ ઈચ્છયું છે, સર્વત્ર સ્થળે સ્થળે બાહ્યાભ્યતર નિર્ગથ થવાની જ ગવેષણા કરી છે; “અપૂર્વ અવસર એ ક્યારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જે–એ અપૂર્વ અવસરનું અપૂર્વ કાવ્ય તેની જીવતી જાગતી જ્વલંત સાક્ષી છે. પ્રારબ્ધોદયજન્ય બાહ્ય સંજોગાધીનપણે હાલના તબક્કે તત્કાળ બાહ્યથી તેમ નહિં બની શકવા છતાં અત્યંતરથી તે સાધુચરિત શ્રીમદ અંતરંગ નિગ્રંથશ્રેણીમાં અપૂર્વ આત્મપુરુષાર્થથી પ્રવર્યા જ છે. આ નિગ્રંથશ્રેણુ વા નિરાગને જ શ્રીમદ જીવનમાં અનુસરી રહ્યા છે, બાહ્ય ગૃહસ્થાશ્રેણીમાં પણ અંતરંગ નિગ્રંથશ્રેણીએ વવાનું ધાર તરવારની” કરતાં પણ વિષમ અસિધારાવત જીવનમાં આચરી રહ્યા છે, અસિધારા પર નાચવા કરતાં પણ દુર્ઘટ આત્મચારિત્રની ચરણધારા પર નાચવાનું દેવદુર્લભ મહાભીષ્મવૃત્ત આદરી રહ્યા છે, “કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા’ નિગ્રંથના પંથે વિચરી રહ્યા છે. બીજા સામાન્ય જન જે વીતરાગ નિગ્રંથના વિકટ પંથે સંચરવાના સાહસથી દૂર ભાગે, તે મહાસાહસ મહાઆત્મપરાક્રમી મહાઆત્મવીર શ્રીમદે સામે જઈને માથે લીધું છે! બીજા પ્રાકૃત જનેને જે ગૃહસ્થાવાસમાં પ્રાયે અશક્ય છે એવું અંતરંગ નિગ્રંથ શ્રેણુએ-નિરાગશ્રેણીએ અપૂર્વ વેગે ચઢવાનું મહાકાર્ય મહાધર્મવીર મહાઆત્મવીર શ્રીમદે શક્ય કરી દેખાડયું છે ! શ્રીમદ્દન પત્રો આની સાક્ષી પૂરે છે. પત્રક ૧૨૪માં શ્રીમદ્દ લખે છે– “ગળ કાળ વિઝા સાં સ વિ મહિલ' જે જે દિશા ભણી જવું ઈચછે તે તે દિશા જેને અપ્રતિબદ્ધ અર્થાત્ ખુલી છે. (રોકી શકતી નથી) આવી દશાને અભ્યાસ જ્યાં સુધી નહી થાય, ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે ?” શ્રીમદૂના વચને સૂચવે છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પ્રતિબંધને જ્યાં સર્વથા અભાવ છે એવી સર્વત્ર અપ્રતિબદ્ધ અંતરંગ નિગ્રંથ દશાને શ્રીમદ્ સતત અભ્યાસ કરી રહ્યા છે, નિગ્રંથશ્રેણીના ક્રમને અનુસરી રહ્યા છે. (પત્રાંક ૧૩૪માં – અંબાલાલભાઈ પરના સં. ૧૯૪૬ના ભાદ્રમાં લખેલા પત્રમાં શ્રીમદ્દ એર સ્પષ્ટતાથી લખે છે – કેઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાગ્ય જીવન્મુકત દશા વગરનું, યથાર્યોગ્ય નિર્ગથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી. તે પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે, એ વિટંબના આભેચ્છાની છે. યથાયોગ્ય દશાને હજુ મુમુક્ષુ છું. કેટલીક પ્રાપ્તિ છે. તથાપિ સર્વ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રેમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું? પરના પરમાર્થ સિવાયને દેહ જ ગમતું નથી તે?
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy