SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરંગ નિગ્રંથ શ્રેણી ૨૨૯ ચારિત્ર પ્રગટાવે છે. એટલે પૂર્ણ વીતરાગતા પ્રત્યે લઈ જતી આ નિગ્રંથશ્રેણી એ જ નિરાગશ્રેણી છે, અને એટલે જ શ્રીમદે વીતરાગ એ નિર્ગથ અને નિર્ગથ એ વીતરાગ એમ નિગ્રંથશ્રેણી-નિરાગણી એ બન્ને શબ્દોને પર્યાયરૂપ પ્રયોગ કર્યો છે. | મુખ્યપણે આત્યંતર વિરતિ (વિગતારતિ) એ જ નિ થતાનું સાચું અવિસંવાદી માપ છે. બાહા વિરતિ ન હોય ને આવ્યંતર વિરતિ પણ ન હોય તો ત્યાં નિ થતા નથી, બાહ્ય વિરતિ હોય પણ આત્યંતર વિરતિ ન હોય તે ત્યાં પણ નિ થતા નથી; બાહ્ય વિરતિ હેય ને આત્યંતર વિરતિ પણ હોય તે ત્યાં નિર્ગથતા છે, કદાચ બાહા વિરતિ ન હોય પણ આત્યંતર વિરતિ હોય તો ત્યાં પણ નિઝથતા છે.–આમ ભંગી છે, તે પરથી સ્પષ્ટ સમજાય છે કે બાહ્ય વિરતિ હો કે ન હો પણ આત્યંતર વિરતિ જે હોય તે ત્યાં નિર્ગથતા અવશ્ય છે. એટલે સર્વત્ર સર્વદા સર્વથા આત્યંતર વિરતિ જ પ્રધાન છે. આ જ વસ્તુ શ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યકનિર્યુક્તિમાં ધાતુ અને છાપના પ્રસિદ્ધ દષ્ટાંતે સ્પષ્ટપણે સમર્થિત કરી છે. ધાતુ બેટી અને છાપ બેટી, અથવા ધાતુ બેટી અને છાપ સાચી, એ બે પ્રકાર કલઈના રૂપીઆ જેવા બનાવટી (Counterfeit) મૂલ્યહીન દ્રવ્યલિંગી સાધુઓના છે, તે તે ખોટા રૂપીઆની જેમ સર્વથા અમાન્ય-અસ્વીકાર્ય છે, અને ધાતુ સાચી, પણ છાપ ખોટી અથવા ધાતુ સાચી અને છાપ પણ સાચી, એ બે પ્રકાર ચાંદીના રૂપીઆ જેવા સાચા મૂલ્યવાન ભાવલિંગી સાધુજનોના છે, અને તે જ સાચા રૂપીઆની જેમ સર્વથા માન્ય સ્વીકાર્ય છે. અર્થાત્ દ્રવ્યથી તેમજ ભાવથી જે અવિરતિ છે, અને ભાવથી વિરતિ નહિ છતાં જે દ્રવ્યથી વિરતિ છે,– એ બે મિથ્યાદષ્ટિ પ્રકારની સાધુપણામાં ગણના જ નથી; પણ દ્રવ્યથી તેમજ ભાવથી જે વિરતિ છે, અને દ્રવ્યથી વિરતિ નહિં છતાં ભાવથી જે વિરતિ છે,– એ બે સમ્યગદૃષ્ટિ પ્રકારની જ સાધુપણામાં ગણના છે. દ્રવ્યથી સર્વવિરતિ આદિ પણ સમ્યગદર્શનભાવરૂપ મૂલ હોય તે જ ભાવથી વિરતિ છે, નહિં તે ભાવથી અવિરતિ જ છે. શ્રી યશોવિજયજીએ ઉપદેશરહસ્યમાં કહ્યું છે તેમ ગુખદાવા પત્તો વિમો વિશે બિચા'—ગુણસ્થાનના અવ્યાપારે આ દ્રવ્યથી વિરત નિયમથી અવિરત જ છે. માટે પરમાર્થથી સાધુત્વ તે સર્વ ભાવની ઈચ્છાથી વિરામ પામેલા “સ્વરૂપસ્થિત ઈચ્છારહિત એવા આત્મજ્ઞાની સમ્યગ્દષ્ટિ પુરુષમાં જ ઘટે છે અને ત્યાં કવચિત પ્રારબ્ધોદયથી બાહ્ય દ્રવ્યવિરતિ ન હોય તો પણ અંતરથી મેહ છૂટવારૂપ ભાવવિરતિ તે અવશ્ય હોય જ છે. “રતિ પણ જોબ સિ ઘણા'—જે સમ્યકત્વ–આત્મજ્ઞાન છે તે જ મીન-મુનિપણું છે. “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે” ઈત્યાદિ વચને આની સાક્ષી પૂરે છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે બાહ્ય વિરતિ એ કાંઈ સાધુપણાનું કે ગુણસ્થાનનું માપ નથી, પણ અંતરથી મેહભાવ છૂટવારૂપ આત્યંતર વિરતિ એ જ સાચા સાધુપણાનું કે ગુણસ્થાનનું માપ છે. અર્થાત્ જેમ જેમ કષાયરૂપ વિભાવ ઘટે ને આત્મભાવસ્થિરતા વધે, તેમ તેમ આત્માનું ગુણસ્થાન ચઢતું જઈ સાચું ભાવસાધુપણું પ્રગટે છે. આમ સર્વત્ર
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy