________________
૨૨૮
અધ્યાત્મ રાજચંદ્ર છે—મારી આત્માભિલાષા તે શ્રેણિમાં ઘણ માસ થયાં વર્તે છે,’– મારી આભેચ્છા તે અંતરંગ નિગ્રંથશ્રેણિમાં ઘણું માસ થયાં વત્તી રહી છે. આ “ધર્મોપજીવનની– ધર્મપ્રધાન ધર્મમય ઉપજીવનની “પૂર્ણ અભિલાષા કેટલીક વ્યવહારોપાધિને લીધે પાર પડી શકતી નથી.” “પણ પ્રત્યક્ષે સહુપદની સિદ્ધિ આત્માને થાય છે,’–પ્રત્યક્ષે–આત્માનુભવ પ્રત્યક્ષથી–સાક્ષાત્ આત્માનુભૂતિથી “સાદની”—જેમ છે તેમ વસ્તુગતે વસ્તુરૂપ “સ' પદની સિદ્ધિ આત્માને થાય છે. “આ વાર્તા તો સંમત જ છે. અને ત્યાં કંઈ વય–વેષની અપેક્ષા નથી.”—અત્રે શ્રીમદે માર્મિકપણે એ પણ કહી દીધું જ કે જ્ઞાતવ્ય અને પ્રાપ્તવ્ય તે “સત્પદ’– જેમ છે તેમ અસ્તિત્વરૂપ-સ્વરૂપસત્તારૂપ શુદ્ધ આત્મપદ છે, તેની સિદ્ધિ-આત્મસિદ્ધિ પિતાને–પિતાના આત્માને થાય છે. તે પછી નાની કે માટી વયની કે બાહ્ય દ્રવ્યલિંગરૂપ વેષની વિશેષ અપેક્ષા નથી—દરકાર નથી. અર્થાત્ આટલી ૨૨ વર્ષની વયમાં અને ગૃહસ્થ વેષમાં પણ ઉલ્લાસિત–ઉદાસીનભાવે વર્તતા પિતાના આત્માએ તે આત્મારૂપ સત્પદની પ્રાપ્તિ કરી લીધી છે, એટલે વેષાદિ પણ જે પ્રજનાર્થે ગ્રહવાનું પ્રયોજન છે, તે સિદ્ધ થઈ ચૂકયું છે, એટલે તેની પણ અપેક્ષા નથી. આમ આ પત્રની વસ્તુ પરથી સ્પષ્ટ સમજાય છે કે હાલ જ્યાં લગી ગૃહવાસને ઉદય હોય ત્યાંલગી ગૃહસ્થવેષમાં પણ ઉલ્લાસિત ઉદાસીનભાવે વર્તતા રહી અંતરંગ નિગ્રંથશ્રેણિમાં વર્તવું એ જ શ્રી મને ક્રમ છે,– અધ્યાત્મજીવનના જીવનરૂપ પરમપ્રિય જીવનક્રમ છે.
તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફામાં નિવાસ ક્રમ તે આ નિગ્રંથશ્રેણી છે; આ નિગ્રંથ. શ્રેણીઓ કામે કરીને આરોહણ કરતાં આ ગુફામાં નિવાસ કરવાનું શક્ય બને છે,–આ ગહન ગુહાના ગુપ્તભેદરૂપ આત્માને જાણી દેખી તેમાં વાર્તા વારૂપ નિરંતર નિવાસ પામવાનું શક્ય બને છે, એટલા માટે આ નિગ્રંથશ્રેણી જ તેને ઉત્તમ ક્રમ છે; અને એટલે જ જેને પિતે પૂર્ણાહૂલાદકર, પરમ સુખકર, હિતકર અને હૃદયરૂપ માનેલ છે (અં. ૮૩)– તે ગુફામાં નિરંતર નિવાસને શ્રીમદ્દ પરમ ઈષ્ટ કમ આ અંતરંગ નિગ્રંથશ્રેણી જ છે. સ્વરૂપારેહણ માટે નિઃશ્રેણી સમાન આ નિગ્રંથશ્રેણીરૂપ સ્વરૂપમય પવિત્ર શ્રેણીનું સુખ કેવું નિરુપમ છે તે માટે શ્રીમને આત્માનુભવ (પત્રાંક ૬૨) છે કે–આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આણવો એ કેવું નિરુપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને વિચાર્યું વિચારાતું નથી.” સુખધામ મોક્ષની નિઃશ્રેણી સમાન આ ઉત્તમ નિગ્રંથશ્રેણીના ક્રમે ચઢતાં આત્મા સ્વરૂપારોહણ કરી અનુક્રમે સિદ્ધપદને પામે છે,–“અપૂર્વ અવસરના દિવ્ય ગાનમાં શ્રીમદે અપૂર્વ ભાવથી સંગીત કરેલ પરમ પદ પામવાનો પરમોત્તમ ક્રમ આ નિગ્રંથશ્રેણી જ છે. અંતરંગ મેહગ્રંથિ જેની છેદાઈ છે તે નિગ્રંથ છે, અને દર્શનમોહને વ્યતીત કરી શુદ્ધ આત્માનું સમ્યગદર્શન પામી આત્યા ચારિત્રમોહને નાશ કરવા પ્રવર્તત પ્રવર્તત ઉત્તરોત્તર ગુણસ્થાનકના ક્રમે સ્વરૂપ પદની શ્રેણીએ ચઢતો જાય તે નિગ્રંથશ્રેણી છે. કષાયની-રાગાદિની ઉત્તરોત્તર ન્યૂનતા પ્રમાણે આત્માનું ગુણસ્થાનક વધતું જાય છે, એટલે આ નિશ્રેણી. ઉત્તરોત્તર વીતરાગતા પ્રત્યે લઈ જઈ યથાખ્યાત