SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સાડત્રીશમું અંતરંગ નિગ્રંથ શ્રેણી કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથના પથ ભવ અતના ઉપાય છે.’-શ્રીમદ્ રાજચંદ્રે થાય તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફામાં નિરંતર નિવાસના શ્રીમદે જીવન જેમ પરમપ્રિય ગણેલા આ ક્રમ કચેા ? આ ગુફાના ગુપ્તભેદરૂપ આત્માના જીવનરૂપ જીવનક્રમની શ્રેણી કઈ ? તે માટેનું માર્મિક સામાન્ય સૂચન શ્રીમદે સ. ૧૯૪૫ના શ્રા. શુદ ૩ના દિને ભરૂચથી મનઃસુખરામ સૂ`રામ ત્રિપાઠી પર લખેલા પત્રમાં (અ. ૭૧) પ્રાપ્ત છે. સર્વ શાસ્ત્રના એધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યાગનું અને ભક્તિનું પ્રયાજન સ્વસ્વરૂપપ્રાપ્તિને અથે છે; અને એ સભ્યશ્રેણિએ આત્મગત થાય, તે તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે; પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સસંગપરિત્યાગની અવશ્ય છે.' અત્રે સર્વ શાસ્ત્રના બેધ આદિનું એક માત્ર પ્રત્યેાજન સ્વસ્વરૂપપ્રાપ્તિને અર્થે છે અને એ અથે એ ક્રમબદ્ધ સભ્યશ્રેણિએ આત્મગત-આત્મપરિણત થાય તે સ્વરૂપપ્રાપ્તિ સભવે છે અને તે માટે સર્વસંગપરિત્યાગની આવશ્યકતા છે એમ દર્શાવી, તે આવશ્યકતા કેમ છે તે લખે છે - નિજ નાવસ્થા–ચાગભુમિકામાં વાસ-સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સસંગપરિત્યાગમાં નિયમા વાસિત છે. દેશ (ભાગ) સંગપરિત્યાગમાં ભજના સંભવે છે.'— ચેગસાધના માટે અનુકૂળ એકાંત નિજ નાવસ્થારૂપ ચેાગભૂમિકામાં વસવાથી વાસ’--સ્વરૂપમાં સવારૂપ વાસની–સહજસમાધિની પ્રાપ્તિ નથી, તે સ સ ંગપરિત્યાગમાં નિયમા–નિયમથી નિશ્ચયે કરીને વાસિત છે—વસેલી છે. દેશસંગપરિત્યાગમાં દેશવિરતિમાં ‘ભુજના’—તેમ હાય વા ન હોય એમ વિકલ્પ (alternative) છે. આમ ગૃહવાસમાં પણ તેની સભાવના છે, એટલે હાલ ગૃહવાસમાં વસી રહેલા પાતા માટેને તેમાં વત્તવા માટેના 'ગત (Personal) ક્રમ કહે છે— જ્યાં સુધી ગૃહવાસ પૂર્વ કના ખળથી ભાગવા રહ્યો છે, ત્યાં સુધી ધમ અથ અને કામ ઉદ્ભાસિત ઉદાસીન ભાવે સેવવાં ચેાગ્ય છે.’— ઉલ્લાસિત–ઉલ્લાસ પમાડેલ-અત્યંત ઉત્કટ ભાવને પમાડેલ ઉદાસીનભાવે સેવવાં યાગ્ય છે. અર્થાત્ સર્વાં પરભાવ-વિભાવના કાર્ય થી અસ્પ ઉદાસીનભાવ એટલેા બધા ઉલ્લાસ પમાડી દેવા-એટલા બધા બળવાન બનાવી દેવા કે પ્રારüાયજનિત ધર્મ-અર્થ-કામની ખાહ્ય પ્રવૃત્તિ પણ તેને ખાધક ન બની શકે. એ જ વસ્તુ પાતે સ્પષ્ટ કરે છે—બાહ્યભાવે ગૃહસ્થશ્રેણિ છતાં અંતરંગ નિત્ર થશ્રેણિ જોઇએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે.’ આમ બાહ્યમાં ગૃહસ્થેશ્રેણિ છતાં અંતરંગ નિત્ર થશ્રેણ હેાય તે ત્યાં સ` સિદ્ધિ છે એમ જણાવી, ગૃહસ્થશ્રેણિમાં પણ ઉલ્લાસિત ઉદાસીનભાવે વત્ત'તા પેાતાની વી રહેલી આત્મવત્તના-આત્મસાધના સૂચવે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy