________________
ર૬
અધ્યાત્મ રાજચંદ્ર તેમાં વળી ઓછામાં પૂરું જેની નિરંતર ઝંખના છે એવા સત્સંગના અભાવની વેદના તે ખૂબ ખૂબ વેદાતી હતી. વવાણીઆથી લખેલા સં. ૧૯૪૪ના એક પત્રમાં એક માર્મિક વાક્ય શ્રીમદ્દનું અંતસંવેદન દાખવે છેઃ “સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી બચારે આ આત્મા વિવેકઘેલછા ભોગવે છે. – અવિવેકી જેમ યુદ્ધા તદ્ધા બોલવાબકવારૂપ—ઉન્મત્તપ્રલાપરૂપ અવિવેકઘેલછા-અવિવેકઉન્મત્તતા અનુભવે, તેમ પરમ વિવેકી જેમ છે તેમ-જે છે તે તત્ સત્ વદવારૂપ વિવેકની વાત કરવાનું– આત્મસંવેદન દર્શાવવાનું સસંગરૂપ સ્થાન ન મળવાથી વિવેકઘેલછા-વિવેકઉન્મત્તતા અનુભવે, એવી દશાનું સંવેદન દાખવતા આ વચનમાં શ્રીમદની સત્સંગઅભાવને ખેદ દર્શાવવારૂપ અંતર્વેદના વ્યક્ત થાય છે, અને શ્રીમદ્દની આ અંતર્વેદના મનઃસુખરામ સૂર્યરામ પરના પત્રમાં (અ. ૧૨૬, પ્ર. ભા. ૧૯૪૬) લખેલ ઉદ્ગારેમાં તે પરાકાષ્ઠા પામેલી દેખાય છેઃ “જ્ઞાનીઓએ કપેલો ખરેખર આ કળિકાળ જ છે. જનસમુદાયની વૃત્તિઓ વિષયકક્ષાયાદિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. રાજસી વૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. તાત્પર્યવિવેકીઓની અને યથાયોગ્ય ઉપશમ પાત્રની છાયા પણ મળતી નથી. એવા વિષમ કાળમાં જન્મેલે આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી. કહેવાનાં પાત્રોની પણ ખામી છે, ત્યાં હવે શું કરવું ? જે કે યથાયોગ્ય ઉપશમભાવને પામેલે આત્મા સંસાર અને મેક્ષ પર સમવૃત્તિવાળે હોય છે. એટલે અપ્રતિબદ્ધપણે વિચારી શકે છે, પણ આ આત્માને તે હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેને અભ્યાસ છે. ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે ? જેની નિરુપાયતા છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમજ પ્રવર્તન છે.”—અત્રે કલિકાલને પ્રભાવ અને (તેને લઈને) સસંગને અભાવ શ્રીમદને વેદાય છે, આ સંજોગોમાં આ દેહધારી આત્મા અનાદિ કાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાય છે -ઈત્યાદિ મર્મભેદી શબ્દોમાં વ્યક્ત થતી એમની અકથ્ય માનસિક ચિંતા શ્રીમદની ઊંડી અંતર્વેદના પિકારે છે,– જેના પડઘા દેશકાલના બંધનને તેડીને દિગદિગંતમાં પડે છે, અને સહૃદયેના હૃદય-કર્ણો અદ્યાપિ સાંભળે છે.