________________
૨૨
અધ્યાત્મ જીવનની પૂર્વભૂમિકા નિર્માણ થઈ છે. આ ભૂમિતલ-ભેંયતળીયારૂપ પૂર્વ ભૂમિકામાં ૧૧ પ્રકરણરૂપ ૧૧ ખંડ છે. (૩) અધ્યાત્મ જીવનના પહેલા તબક્કાને પૂર્વભાગ–પ્રથમ આંતરતબક્કો–(સં. ૧૯૪૧ થી ૧૯૪૪ પૂર્વભાગ સુધી)–આ પહેલા માળમાં-પહેલી ભૂમિકામાં પ્રકરણ ૧૧ થી ૨૮ સુધી ૧૭ પ્રકરણરૂપ ૧૭ ખંડ છે. (૪) અધ્યાત્મ જીવનના પહેલા તબક્કાનો ઉત્તરભાગ–બીજો આંતરતબક્કો (સં. ૧૯૪૪ ઉત્તરભાગથી ૧૯૪૬ સુધી)–આ બીજા માળમાં–બીજી ભૂમિકામાં ૨૯ થી ૪૯ પ્રકરણ સુધી ૨૧ પ્રકરણ–ખંડ છે. આ પહેલે અને બીજો આંતરૂતબક્કો મળી શ્રીમદૂના અધ્યાત્મ જીવનને પહેલો તબક્કો (સં. ૧૯૪૧થી ૧૯૪૬) પૂર્ણ થાય છે અને અત્રે આ ગ્રંથને કુલ ૪૯ પ્રકરણને પૂર્વાર્ધ પણ પૂર્ણ થાય છે. અને ઉત્તરાધની યેજના આ પ્રકારે—
અધ્યાત્મ જીવનનો બીજો તબક્કે (સં. ૧૯૪૭ થી ૧૯૫૩ ના ફા. વદ ૧૧ સુધી)–તેને અત્ર બે ભૂમિકામાં વિભક્ત કરેલ છે—(૫) સૌભાગ્ય પરના શ્રીમદના પત્રમાં શ્રીમદ્દનું જીવનદર્શન–આ ત્રીજા માળમાં-ત્રીજી ભૂમિકામાં સૌભાગ્ય પરના શ્રીમદના પત્રોનું મહામંથન કરી સાધાર પ્રમાણભૂત સાબીતીપૂર્વક (Documentary evidence) શ્રીમની ઊર્ધ્વગામિની અધ્યાત્મદશાનું દર્શન કરાવ્યું છે, અત્રે ૨૫ પ્રકરણરૂપ ૨૫ ખંડ છે. (૬) મૂળમાગ ઉદ્ધાર ને જગતને આત્મસિદ્ધિનું દર્શન
–એ ચોથા માળમાં–ચેથી ભૂમિકામાં આર્ષદૃષ્ટા રાજચંદ્ર જે મૂળમાર્ગ ઉદ્ધાર કર્યો છે,-મુમુક્ષુઓને મુનિઓને અને વ્યક્તિવિશેષને યથાપાત્ર માર્ગ દર્શન કરી મૂળમાર્ગઉદ્ધાર કર્યો છે, અને આ અવનિના અમૃત આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન કર્યું છે એટલું જ નહિં પણ સર્વત્ર ઉપદેશમાં આત્મસિદ્ધિ કેમ થાય તેનું જગને અપૂર્વ માર્ગદર્શન આપી અનન્ય જગતકલ્યાણ કર્યું છે,–તેનું દર્શન કરાવતા ૧૮ પ્રકરણખંડ છે. (૭) અધ્યાત્મજીવનને ત્રીજો તબકકે (સં. ૧૫૩ ફા. વ. ૧૨થી ૧૫૭ના ચિત્ર વદ પંચમી સુધી)–અત્રે આ પ્રાસાદના આ પાંચમા માળમાં–પાંચમી ભૂમિકારૂપ શિખરભૂમિકામાં આ દિવ્ય આત્માની ઊર્ધ્વગામિની પરાકાષ્ઠા પામેલી આત્મદશાનું દર્શન કરાવતા આ દિવ્ય જાતિના ઊર્ધ્વગમન પર્યત ૧૬ પ્રકરણ–ખંડ છે. આમ આ ઉત્તરાર્ધમાં ૫૯ પ્રકરણ-ખંડ છે.
અને આમ પૂર્વાર્ધ–ઉત્તરાર્ધ મળી કુલ એકસો આઠ ૧૦૮ પ્રકરણની મંગલ સંખ્યા આ મંગલમૂત્તિ રાજચંદ્રનું ચરિત્ર નિર્માણ કરતા આ ગ્રંથપ્રાસાદની છે. આ છે અષ્ટોત્તરશતપ્રકરણાત્મક આ પૂર્ણ પ્રાસાદ અધ્યાત્મ રાજચંદ્રની સંકલના of the Grigaleval (architecture).
આમ ઉપદુઘાત પ્રકરણરૂપ “સુવર્ણ પાયામાં નાંખી–અધ્યાત્મજીવનની પૂર્વ ભૂમિકારૂપ વજાપ દઢ ભૂમિકા બાંધી, તેના પર ઉત્તરોત્તર પંચભૂમિકારૂપ પંચમાળનું સાનુબંધ નિર્માણ કરતાં આ ચરિત્રાલેખકને સિદ્ધપ્રસાદથી આ ૧૦૮ પ્રકરણના મંગલ